Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
यस्तु सेवेत मैथुनम् । ब्रह्महत्याफलं तस्य सूतकं च दिने दिने ॥१॥ तन्मैथुनं न दुष्टं । भोजनमिव क्षुधादौ । उक्तकारणाश्रितं मैथुनमदुष्टं गतरागप्रवृत्तित्वाद् वेदनादिकारणाश्रितभोजनवदिति प्रयोगः ।।७-१९।।
“ધર્મ માટે પુત્રની ઇચ્છાવાળા અધિકારીને ઋતુકાળમાં પોતાની સ્ત્રીને વિશે મૈથુન; ક્ષુધાકાળમાં જેમ ભોજન દુષ્ટ નથી તેમ દુષ્ટ નથી.” આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે— ઊપુત્રસ્ય તિ ર્રાપ્તિ અને લપુત્રસ્ય હિ ધર્મો ન મત અર્થાત્ પુત્રરહિત માણસની સતિ નથી થતી અને પુત્રરહિત માણસને ધર્મ હોતો નથી... ઇત્યાદિ વચનોના આધારે સદ્ગતિ અને ધર્મની પ્રાપ્તિ માટે તે તે માણસને પુત્રને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. એ ઇચ્છાવાળા અધિકારી ગૃહસ્થને પોતાની પત્નીમાં મૈથુન દુષ્ટ નથી. પરંતુ આવા પણ ગૃહસ્થો જો પરસ્ત્રી કે વેશ્યામાં મૈથુન સેવે તો તે અનર્થનું જ કારણ બને છે. તેથી શ્લોકમાં સ્વવારેપુ આ પદ છે.
આ રીતે સ્વસ્ત્રીમાં પણ ઋતુકાળમાં જ ઉપર જણાવ્યા મુજબ મૈથુન દુષ્ટ નથી. અન્યથા ઋતુકાળને છોડીને બીજા કાળમાં તો મૈથુનમાં દોષ છે. એ વિષયમાં દોષ જણાવતાં કહ્યું છે કે, ‘ઋતુકાળ ગયે છતે જે મૈથુનને સેવે છે; તેને બ્રહ્મહત્યાના પાપનું ફળ પ્રાપ્ત થાય છે; અને દ૨૨ોજ સૂતક લાગે છે.’ આથી અહીં ૠતુને આ પદ છે. આથી સમજી શકાશે કે પ્રયોજનવિશેષે ઉપર જણાવ્યા મુજબ અધિકારી (વેદાદિનું અધ્યયન જેણે કરી લીધું છે) એવા ગૃહસ્થને મૈથુન દુષ્ટ નથી. ક્ષુધાની વેદના શમાવવા જેમ ભોજન દુષ્ટ નથી તેમ વિશિષ્ટ સંયોગોમાં તે રીતે મૈથુન પણ દુષ્ટ નથી. પારમાશ્રિત મૈથુનમનુષ્ય તરાપ્રવૃત્તિમત્ત્વાલ્ વેવાાિરાશ્રિતમોનનવત્ અર્થાત્ ધર્મ માટે પુત્રપ્રાપ્તિના કારણે સેવાતું મૈથુન દુષ્ટ નથી. કારણ કે રાગરહિત એ પ્રવૃત્તિ છે. વેદનાદિ કારણે કરાતું ભોજન જેમ રાગરહિત પ્રવૃત્તિ સ્વરૂપ હોવાથી દુષ્ટ નથી તેમ ઉક્ત, કા૨ણે સેવાતું મૈથુન પણ દુષ્ટ નથી. આ પ્રમાણે બ્રાહ્મણોની માન્યતા છે. II૭-૧૯।
બ્રાહ્મણોની એ માન્યતાનું નિરાકરણ કરાય છે—
नैवमित्थं स्वरूपेण दुष्टत्वान्निबिडापदि । श्वमांसभक्षणस्येवापवादिकनिभत्वतः ॥७-२०॥
नैवमिति एवं यथोक्तं प्राक्, तन्न, इत्थं पुत्रोत्पत्तिगुणार्थमाश्रयणे । आपवादिकनिभत्वतो विशेष - विध्यर्थप्रायत्वात् । निबिडापदि श्वमांसभक्षणस्येव । स्वरूपेण दुष्टत्वाद् । अयमभिप्रायः - यद्यप्यपवादेन श्वमांसाद्यासेव्यते तथापि तत्स्वरूपेण निर्दोषं न भवति । किं तर्हि, गुणान्तरकारणत्वेन गुणान्तरार्थिना तदाश्रीयते । एवं मैथुनं स्वरूपेण सदोषमप्याकौमाराद्यतित्वपालनासहिष्णुर्गुणान्तरापेक्षी समाश्रयते, सर्वथा निर्दोषत्वे त्वाकुमारत्वाद्यतित्वपालनोपदेशोऽनर्थकः स्याद् गार्हस्थ्यत्यागोपदेशश्चेति । धर्मार्थिनोऽपि पुंसो मैथुनविकारिणः कामोदयस्य तथाविधारम्भपरिग्रहयोश्च दोषयोरवश्यम्भावो दृश्यते । न च कामोद्रेकं ધર્મવ્યવસ્થા બત્રીશી
૨૬૪