Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉપર જણાવેલા વિરોધના પરિહાર માટે દ્વિજવાદીના તાત્પર્યને જણાવાય છે–
निषेधः शास्त्रबाहोऽस्तु विधिः शास्त्रीयगोचरः ।
दोषो विशेषतात्पर्यान्नन्वेवं न यतः स्मृतम् ॥७-१२॥ निषेध इति-ननु शास्त्रबाह्ये मांसभक्षणे निषेधोऽस्तु, निरुक्तबलप्राप्तनिषेधे विध्यर्थोऽन्वेतु, विधिश्च शास्त्रीयगोचरो वचनोक्तमांसभक्षणविषयोऽस्तु, एवं विशेषतात्पर्याद्विधिनिषेधवाक्यार्थयोर्विधेयनिषेध्ययोः सामानाधिकरण्येनान्वये तात्पर्यान्न दोषः “न मांसभक्षणे दोष” इत्यत्र मांसभक्षणसामान्ये दोषाभावबाधलक्षणः, अन्यथा “ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत” इत्यादावपि स्वर्गादिसामान्ये यागादिकार्यताबाधप्रसङ्गाद् । इत्थं च–“इत्थं जन्मैव दोषोऽत्र न शास्त्राद् बाह्यभक्षणम् । प्रतीत्यैष निषेधश्च न्याय्यो वाक्यान्तराद्गतेः ॥१॥ [हारिभद्रीयाष्टक १८-४]” इत्यत्र नेत्यादौ पूर्वपक्षाभिप्रायेण नैवं, यतः शास्त्राबाह्यभक्षणं प्रतीत्यैष जन्मलक्षणो दोषो निषेधश्च निरुक्तबलप्रापित इति पूर्वव्याख्यानमेवादृतं । शास्त्राबाह्यभक्षणं प्रतीत्य सामान्यत इत्यर्थः, नैष निषेध इति तु व्याख्यानं विशेषतात्पर्ये परस्येष्टमेव, विशेषतात्पर्यग्रहणग्रहोपायमाह यतः स्मृतम् ।।७-१२।।
“શાસ્ત્રબાહ્ય માંસભક્ષણમાં નિષેધ હોય અને વિધિ શાસ્ત્રીય માંસભક્ષણમાં હોય – આ પ્રમાણેના વિશેષતાત્પર્યથી કોઈ દોષ નથી. - આનું કારણ આ પ્રમાણે (હવે પછી જણાવાય છે તેમ કહેવાયું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. જ કહેવાનું તાત્પર્ય એ છે કે માં ૩ મયિતા, મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પંચાવનમાં એ શ્લોકથી માંસભક્ષણનો નિષેધ પ્રતીત થાય છે અને ન માંસમક્ષને કોષો આ ત્યાંના છપ્પનમા શ્લોકથી માંસભક્ષણનું વિધાન પ્રતીત થાય છે. કારણ કે ઉપરના(પંચાવનમા) શ્લોકથી માંસભક્ષણનો નિષેધ કર્યા પછી છપ્પનમા શ્લોકથી માંસભક્ષણમાં દોષના અભાવને જણાવવાનું ખરેખર તો કોઈ જ પ્રયોજન નથી. આમ છતાં એ શ્લોક હોવાથી, એની પૂર્વેના શ્લોકથી નિષેધ કરાયે છતે છપ્પનમા શ્લોકથી વિધાન થઇ જાય છે. અને તેથી આ રીતે એક જ માંસભક્ષણમાં નિષેધ અને વિધિ બંનેનો અન્વય થવાથી વિરોધ સ્પષ્ટ છે. તેના પરિવાર માટે શાસ્ત્રબાહ્યમાં માંસભક્ષણનો નિષેધ અને શાસ્ત્રીય માંસભક્ષણમાં માંસભક્ષણનું વિધાન સમજી લેવું જોઇએ. આ રીતે વિધિવાક્યર્થનો અન્વયે વિધેય(શાસ્ત્રોક્ત માંસભક્ષણ)માં અને નિષેધવાક્યર્થનો અન્વય નિષેધ્ય(શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ)માં સામાનાધિકરણ્યથી કરવાના તાત્પર્ય સ્વરૂપ વિશેષતાત્પર્યના કારણે દોષ નથી. અર્થાતુ ન માંસમક્ષને લોકો અહીં માંસભક્ષણ સામાન્યમાં દોષાભાવનો જે બાધ થતો હતો તે થતો નથી. કારણ કે એ રીતે માંસભક્ષણસામાન્યમાં વિધિ કે નિષેધનું અહીં તાત્પર્ય નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ માંસભક્ષણવિશેષમાં તાત્પર્ય છે.
૨૫૪
ધર્મવ્યવસ્થા બત્રીશી