Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 257
________________ ઉપર જણાવેલા વિરોધના પરિહાર માટે દ્વિજવાદીના તાત્પર્યને જણાવાય છે– निषेधः शास्त्रबाहोऽस्तु विधिः शास्त्रीयगोचरः । दोषो विशेषतात्पर्यान्नन्वेवं न यतः स्मृतम् ॥७-१२॥ निषेध इति-ननु शास्त्रबाह्ये मांसभक्षणे निषेधोऽस्तु, निरुक्तबलप्राप्तनिषेधे विध्यर्थोऽन्वेतु, विधिश्च शास्त्रीयगोचरो वचनोक्तमांसभक्षणविषयोऽस्तु, एवं विशेषतात्पर्याद्विधिनिषेधवाक्यार्थयोर्विधेयनिषेध्ययोः सामानाधिकरण्येनान्वये तात्पर्यान्न दोषः “न मांसभक्षणे दोष” इत्यत्र मांसभक्षणसामान्ये दोषाभावबाधलक्षणः, अन्यथा “ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत” इत्यादावपि स्वर्गादिसामान्ये यागादिकार्यताबाधप्रसङ्गाद् । इत्थं च–“इत्थं जन्मैव दोषोऽत्र न शास्त्राद् बाह्यभक्षणम् । प्रतीत्यैष निषेधश्च न्याय्यो वाक्यान्तराद्गतेः ॥१॥ [हारिभद्रीयाष्टक १८-४]” इत्यत्र नेत्यादौ पूर्वपक्षाभिप्रायेण नैवं, यतः शास्त्राबाह्यभक्षणं प्रतीत्यैष जन्मलक्षणो दोषो निषेधश्च निरुक्तबलप्रापित इति पूर्वव्याख्यानमेवादृतं । शास्त्राबाह्यभक्षणं प्रतीत्य सामान्यत इत्यर्थः, नैष निषेध इति तु व्याख्यानं विशेषतात्पर्ये परस्येष्टमेव, विशेषतात्पर्यग्रहणग्रहोपायमाह यतः स्मृतम् ।।७-१२।। “શાસ્ત્રબાહ્ય માંસભક્ષણમાં નિષેધ હોય અને વિધિ શાસ્ત્રીય માંસભક્ષણમાં હોય – આ પ્રમાણેના વિશેષતાત્પર્યથી કોઈ દોષ નથી. - આનું કારણ આ પ્રમાણે (હવે પછી જણાવાય છે તેમ કહેવાયું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. જ કહેવાનું તાત્પર્ય એ છે કે માં ૩ મયિતા, મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના પંચાવનમાં એ શ્લોકથી માંસભક્ષણનો નિષેધ પ્રતીત થાય છે અને ન માંસમક્ષને કોષો આ ત્યાંના છપ્પનમા શ્લોકથી માંસભક્ષણનું વિધાન પ્રતીત થાય છે. કારણ કે ઉપરના(પંચાવનમા) શ્લોકથી માંસભક્ષણનો નિષેધ કર્યા પછી છપ્પનમા શ્લોકથી માંસભક્ષણમાં દોષના અભાવને જણાવવાનું ખરેખર તો કોઈ જ પ્રયોજન નથી. આમ છતાં એ શ્લોક હોવાથી, એની પૂર્વેના શ્લોકથી નિષેધ કરાયે છતે છપ્પનમા શ્લોકથી વિધાન થઇ જાય છે. અને તેથી આ રીતે એક જ માંસભક્ષણમાં નિષેધ અને વિધિ બંનેનો અન્વય થવાથી વિરોધ સ્પષ્ટ છે. તેના પરિવાર માટે શાસ્ત્રબાહ્યમાં માંસભક્ષણનો નિષેધ અને શાસ્ત્રીય માંસભક્ષણમાં માંસભક્ષણનું વિધાન સમજી લેવું જોઇએ. આ રીતે વિધિવાક્યર્થનો અન્વયે વિધેય(શાસ્ત્રોક્ત માંસભક્ષણ)માં અને નિષેધવાક્યર્થનો અન્વય નિષેધ્ય(શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ)માં સામાનાધિકરણ્યથી કરવાના તાત્પર્ય સ્વરૂપ વિશેષતાત્પર્યના કારણે દોષ નથી. અર્થાતુ ન માંસમક્ષને લોકો અહીં માંસભક્ષણ સામાન્યમાં દોષાભાવનો જે બાધ થતો હતો તે થતો નથી. કારણ કે એ રીતે માંસભક્ષણસામાન્યમાં વિધિ કે નિષેધનું અહીં તાત્પર્ય નથી. પરંતુ ઉપર જણાવ્યા મુજબ માંસભક્ષણવિશેષમાં તાત્પર્ય છે. ૨૫૪ ધર્મવ્યવસ્થા બત્રીશી

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286