Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
નથી.” આથી સમજી શકાશે કે “ર માંસમક્ષને રોષઃ' અને “નિવૃત્તિનુ મહીના' અર્થાત્ “માંસભક્ષણમાં દોષ નથી” અને “માંસભક્ષણની નિવૃત્તિ મહાફળવાળી છે' - આ કથન ઉચિત નથી.
અહીં પૂર્વે જણાવ્યા મુજબ પ્રાપ્તનો જ પ્રતિષેધ થતો હોવાથી માંસભક્ષણની નિવૃત્તિનો અસંભવ થાય છે. પરંતુ ખરી રીતે પ્રાપ્તિ; પ્રમાણથી પરિચ્છેદ (બોધ-જ્ઞાન) સ્વરૂપ છે. શાસ્ત્રબાહ્યમાંસભક્ષણનો પણ પ્રમાણપરિચ્છેદ થાય છે. તેથી તેનો નિષેધ શક્ય છે જેથી તેની નિવૃત્તિ મહાફળવાળી છે – એમ માનવામાં ન આવે અને પ્રતને પ્રતિવિધ્ય આનો મંત્રપાઠ કરવામાં આવે તો જલહૂદ વગેરેમાં વહ્નિ પણ કોઇવાર સિદ્ધ થશે. કારણ કે ત્યાં જલહૂદ વગેરેમાં પણ વદ્વિનો નિષેધ તો કરાય છે જ. તેથી તેને લઈને કોઇવાર તેની પ્રાપ્તિ પણ થઈ જાય. અશાસ્ત્રીય માંસભક્ષણનો પ્રમાણપરિચ્છેદ થતો હોવાથી તે સ્વરૂપ તેની પ્રાપ્તિપૂર્વકની તેની નિવૃત્તિ મહાફળવાળી છે - એમ માનવામાં કોઈ બાધ નથી. ખરી રીતે નિષિદ્ધ વસ્તુની નિવૃત્તિ ધર્મનું કારણ નથી, પરંતુ અધર્માભાવની પ્રયોજિકા હોય છે. કારણ કે નિષિદ્ધ પ્રવૃત્તિ અધર્મનું કારણ હોવાથી એની (નિષિદ્ધની) પ્રવૃત્તિના અભાવમાં અધર્મની ઉત્પત્તિ થતી નથી. આથી નિવૃત્તિનુ મહાપત્તા અહીં નિવૃત્તિ પદ માંસભક્ષણની નિવૃત્તિને જણાવનારું નથી પરંતુ પારિવ્રાજયને જણાવનારું છે. સર્વ સાવદ્યકર્મના ત્યાગ સ્વરૂપ એ પારિવ્રાજય હોવાથી તેનું મહાલત્વ માનવામાં કોઇ જ અનુપપત્તિ નથી. તેથી જ માંસમક્ષ રોષ .. ઇત્યાદિ બરાબર જ છે. આ પ્રમાણેની શંકાનું સમાધાન તથા.. ઈત્યાદિ ગ્રંથથી કરાય છે.
એનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ નિવૃત્તિસ્તુ મહાપા - એમાં કોઈ અનુપપત્તિ ન હોય તોપણ માંfમને રોકો... અહીં માંસભક્ષણમાં દુષ્ટતાના અભાવને જણાવવા હેતુ તરીકે પ્રાણીઓની પ્રવૃત્તિના વિષયવૈને જણાવ્યો છે. તેથી “માસમક્ષi (શાસ્ત્રીય માંસભક્ષણની અપેક્ષાએ) તુષ્ટત્વાભાવવત્ ભૂતપ્રવૃત્તિ વિષયા નાપનાદિવ” - આ પ્રમાણે અનુમાનનું સ્વરૂપ છે. એમાં હેતુ વ્યભિચારી છે. કારણ કે શાસ્ત્રબાહ્યમાંસભક્ષણ પ્રાણીઓ કરતા હોવાથી ભૂતપ્રવૃત્તિવિષયત્વ શાસ્ત્રબાહ્યમાંસભક્ષણમાં છે અને ત્યાં સુષ્ટત્વમાવવત્ત (અદુત્વ-દોષાભાવ) નથી. આ વ્યભિચારદોષના નિવારણ માટે હેતુમાં વિહિતત્વનો નિવેશ કરી લેવાય તો વ્યભિચાર નહીં આવે. કારણ કે વિહિત એવી પ્રવૃત્તિનું વિષયત્વ શાસ્ત્રબાહ્યમાંસભક્ષણમાં ન હોવાથી ત્યાં અદુત્વ ન હોય તોપણ દોષ નથી. પરંતુ આ રીતે પ્રવૃત્તિમાં “વિહિતત્વ' વિશેષણના ઉપાદાનથી વ્યભિચારનું વારણ કરવાથી ‘વિહિતત્વ' હેતુ જ બરાબર છે. ભૂતપ્રવૃત્તિવિષયત્વનું ઉપાદાન નિરર્થક છે. “માંસમક્ષમતુષ્ટ વિદિતા... ઇત્યાદિ અનુમાન પર્યાપ્ત છે.
યદ્યપિ “એ અનુમાનથી પણ શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં અદુષ્ટત્વ સિદ્ધ થતું હોવાથી ભૂતપ્રવૃત્તિવિષયત્વનું ઉપાદાન નહીં કરીએ” – આ પ્રમાણે પૂર્વપક્ષી કહી શકે છે. પરંતુ માંસમાન(શાસ્ત્રવિદિતમાંસમક્ષ)મતુષ્ટ વિહિતત્વા આ અનુમાનમાં વિહિતત્વ હેતુ છે અને પક્ષ, ૨૬૦
ધર્મવ્યવસ્થા બત્રીશી