Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 261
________________ ઈત્યાદિવિધિપ્રાપ્ત માંસભક્ષણનો નિષેધ કરાય છે – એ પ્રમાણે કહી શકાય એમ નથી. કારણ કે પિત્ત માથે ઇત્યાદિથી માંસભક્ષણ પ્રાપ્ત થયે છતે તેનો નિષેધ કરવાના કારણે મહાફળવાળી નિવૃત્તિ સંભવતી નથી. કારણ કે શાસ્ત્રીય માંસભક્ષણનો નિષેધ કરાયા પછી નિષિદ્ધ કર્મના આચરણથી પાપના બંધનો જ સંભવ છે. તેના (નિવૃત્તિના) મહાફળની સંભાવના નથી, જેથી તમારા જ શાસ્ત્રમાં નીચે મુજબ) જણાવ્યું છે. I૭-૧૪ તેમના ગ્રંથમાં જે કહ્યું છે તે જણાવાય છે– यथाविधि नियुक्तस्तु यो मांसं नाति वै द्विजः । स प्रेत्य पशुतां याति सम्भवानेकविंशतिम् ॥७-१५॥ यथाविधीति-यथाविधि शास्त्रीयन्यायानतिक्रमेण । नियुक्तो गुरुभिर्व्यापारितः । तुः पुनरर्थः, तस्य चैवं प्रयोगः-अविधिना मांसमखादन्निर्दोष एव, यथाविधि नियुक्तः पुनः । यो मांसं नात्ति । वै इति निपातो वाक्यालङ्कारार्थः । द्विजो विप्रः । स प्रेत्य परलोके । पशुतां तिर्यग्भावं याति । सम्भवनानि सम्भवा जन्मानि तानेकविंशतिम् ॥७-१५॥ યથાવિધિ નિયુક્ત જે બ્રાહ્મણ માંસ ખાતો નથી તે મરીને ભવાંતરમાં એકવીશ જન્મ સુધી પશુતાને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે, શાસ્ત્રીય નીતિનું ઉલ્લંઘન કર્યા વિના ગુરુઓ દ્વારા નિયુક્ત (અનુમત) જે બ્રાહ્મણ છે; તે જો માંસ ખાય નહિ તો તે ભવાંતરમાં મરીને એકવીશ જન્મ સુધી પશુપણાને પ્રાપ્ત કરે છે. શ્લોકમાંનું તુ પદ પુનર્ અર્થને જણાવનારું છે. તેથી તેનો આ રીતે પ્રયોગ કરવાનો છે - અવિધિથી માંસને નહિ ખાનારો નિર્દોષ જ છે; પરંતુ યથાવિધિ નિયુક્ત જે માંસ ખાતો નથી તે ભવાંતરમાં ઉપર જણાવ્યા મુજબ તિર્યચપણાને પ્રાપ્ત કરે છે. આથી સમજી શકાશે કે શાસ્ત્રવિહિત માંસભક્ષણનો નિષેધ મહાઅપાયનું કારણ હોવાથી તેની નિવૃત્તિ શક્ય નથી અને શાસ્ત્રબાહ્ય માંસભક્ષણ તો પ્રાપ્ત જ નથી કે જેથી તેની નિવૃત્તિ જણાવી શકાય. આ રીતે બંને પ્રકારે નિવૃત્તિ શક્ય ન હોવાથી નિવૃત્તિનુ મહાપુના એ કથન અયુક્ત છે. I૭-૧પ પ્રાપ્ત-માંસભક્ષણની નિવૃત્તિના સંભવને જણાવનારની યુક્તિને જણાવવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે– अधिकारपरित्यागात् पारिवाज्येऽस्तु तत्फलम् । इति चेत् तदभावे नादुष्टतेत्यपि सङ्कटम् ॥७-१६॥ अधिकारेति-अधिकारस्य गृहस्थभावलक्षणस्य परित्यागात् । पारिवाज्ये मस्करित्वे । तत्फलं मांसभक्षणनिवृत्तिफलमस्तु । अयमभिप्रायः-गृहस्थतायां प्रोक्षितादिविशेषणं मांस भक्षणीयमेव, तस्माच्च ૨૫૮ ધર્મવ્યવસ્થા બત્રીશી

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286