Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શાસ્ત્રવિહિત માંસભક્ષણ છે. પક્ષતાવચ્છેદક શાસ્ત્રવિહિતમાંસભક્ષણત્વ એટલે કે ખરી રીતે વિહિતત્વ છે. માંસભક્ષણ છે તેથી તેમાં અદુષ્ટત્વ નથી મનાતું પરંતુ તે વિહિત છે માટે તેમાં અદુષ્ટત્વ મનાય છે અર્થાત્ માંસભક્ષણત્વ સ્વરૂપે તેમાં અદુષ્ટત્વ સિદ્ધ કરાતું નથી પરંતુ વિહિતત્વરૂપે અદૃષ્ટત્વ સિદ્ધ કરાય છે. આથી સમજી શકાશે કે એ અનુમાનમાં પક્ષતાવચ્છેદક અને હેતુ બંને એક જ થાય છે. પક્ષહેત્વોરવિશેષાપત્તેજી અહીં પક્ષ પદ પક્ષતાવચ્છેદક૫૨ક છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ.
બીજું ઉત્સર્ગથી જેનો નિષેધ કરાયો છે તે; કોઇવાર કોઇ સ્થાને કોઇ વ્યક્તિને પુષ્ટ આલંબને ગુણનું કારણ બને તોપણ પોતાની દુષ્ટતાનો સ્વરૂપથી ત્યાગ કરતું નથી અર્થાત્ એ સ્વરૂપથી દુષ્ટ જ મનાય છે. જેમ વૈદ્યકશાસ્રનિષિદ્ધ સ્વેદકર્મ, તાવને દૂર કરવા માટે કરાય છે. પરંતુ તે સ્વરૂપથી તો દુષ્ટ જ મનાય છે તેમ ઉપર જણાવ્યા મુજબ ઉત્સર્ગથી નિષિદ્ધ એવું માંસભક્ષણ પ્રોક્ષિતાદિવિશિષ્ટ હોવા માત્રથી અદુષ્ટ નહિ મનાય. કારણ કે અહીં એવું કોઇ પુષ્ટ આલંબન અમને દેખાતું નથી; સિવાય કે અધર્મને વધારનાર કુતૂહલ. આથી સમજી શકાશે કે શાસ્ત્રીયમાંસભક્ષણસ્થળે એવા કુતૂહલને છોડીને બીજું કોઇ પુષ્ટાલંબન ન હોવાથી તે માંસભક્ષણ અદુષ્ટ નથી. આથી વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ ગ્રંથકારશ્રીની સ્યાદ્વાદકલ્પલતામાં જોવું જોઇએ. ૭-૧૬॥
માંસભક્ષણમાં દોષનું ઉદ્ભાવન કરીને હવે મદ્યપાનમાં દોષ જણાવાય છે—
मद्येऽपि प्रकटो दोषः श्रीहीनाशादिरैहिकः । सन्धानजीवमिश्रत्वान्महानामुष्मिकोऽपि च ॥७-१७॥
મઘેડીતિ—મઘેડપિ મધુપિ । પ્રટો રોષઃ । શ્રીÍક્ષ્મીઃ, હીર્નષ્ના, બાવિના વિવેાવિગ્રહ:, तन्नाशाद् । ऐहिक इहैव विपाकप्रदर्शकः । तथामुष्मिकोऽपि परभवे विपाकप्रदर्शकोऽपि । महान् दोषः । सन्धानेन जलमिश्रितबहुद्रव्यसंस्थापनेन जीवमिश्रत्वाद् जीवसंसक्तिमत्त्वात् । सन्धानवत्यप्याराला नात्र दोष इति चेन्न, शास्त्रेणैतदुष्टत्वबोधनात् । तदाह - " मद्यं पुनः प्रमादाङ्गं तथा सच्चित्तनाशनं । सन्धानदोषवत्तत्र न दोष इति साहसम् ||9||" मद्यस्यातिदुष्टत्वं च पुराणकथास्वपि श्रूयते । तथाहि“ कश्चिदृषिस्तपस्तेपे भीत इन्द्रः सुरस्त्रियः । क्षोभाय प्रेषयामास तस्यागत्य च तास्तकम् ||१|| विनयेन समाराध्य वरदाभिमुखं स्थितम् । जगुर्मद्यं तथा हिंसां सेवस्वाब्रह्म वेच्छया || २ || स एवं गदितस्ताभिर्द्वयोर्नरकहेतुताम् । आलोच्य मद्यरूपं च शुद्ध [द्धि] कारणपूर्वकम् || ३ || मद्यं प्रपद्य तद्भोगान्नष्टधर्मस्थितिर्मदात् । विदंशार्थमजं हत्वा सर्वमेव चकार सः || ४ || ततश्च भ्रष्टसामर्थ्यः स मृत्वा दुर्गतिं गतः । इत्थं दोषाकरो मद्यं विज्ञेयं धर्मचारिभिः ||५||” इति ।।७-१७।।
એક પરિશીલન
૨૬૧