Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“માંસભક્ષણમાં દોષ નથી; મદિરાપાનમાં દોષ નથી તેમ જ મૈથુન સેવવામાં દોષ નથી. પ્રાણીઓની એ પ્રવૃત્તિ (સ્વભાવ) છે. એનાથી વિરામ પામવું - એ મહાફળવાળું છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે દ્વિજ(બ્રાહ્મણ)વાદીની એ માન્યતા છે કે માંસભક્ષણ, મદિરાપાન અને મૈથુનસેવન એ પ્રાણીઓની સ્વભાવભૂત પ્રવૃત્તિ છે. એ કરવાથી કર્મબંધસ્વરૂપ દોષ પ્રાપ્ત થતો નથી. પરંતુ માંસભક્ષણાદિથી જે નિવૃત્તિ (વિરામ પામવું) છે તે મહાફલવાળી છે. એનાથી મહાન અભ્યદય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મનુસ્મૃતિમાં જણાવ્યું છે. દ્વિજવાદીઓની એ માન્યતા સ્પષ્ટ છે... I૭-લા. કિંજવાદીઓની માન્યતાનું નિરાકરણ કરાય છે–
भक्ष्यं मांसं परः प्राहानालोच्य वचनादतः ।
जन्मान्तरार्जनाद् दुष्टं न चैतद् वेद यत्स्मृतम् ॥७-१०॥ भक्ष्यमिति-परो द्विजन्मजातीयः । अतो वचनाद् । अनालोच्य पूर्वापरशास्त्रन्यायविरुद्धतां । मांसं भक्ष्यं प्राह । न चैतन्मांसभक्षणं । जन्मान्तरार्जनादन्यभवोत्पादनाद् दुष्टं वेद जानाति । यत् स्मृतं मनुना T૭-૧||
માંસભક્ષણમાં દોષ નથી... ઇત્યાદિ વચનથી કિંજવાદીએ માંસને ભક્ષ્ય તરીકે જે જણાવ્યું છે તે, શાસ્ત્રનાં પૂર્વાપર વચનોને વિચાર્યા વિના કહ્યું છે. કારણ કે આ માંસભક્ષણ બીજા જન્મને પ્રાપ્ત કરાવનારું હોવાથી તે દુષ્ટ છે એની તેને જાણ નથી. મનુએ આ વિષયમાં નીચે મુજબ જણાવ્યું છે – આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. ll૭-૧૦ના મનુએ આ વિષયમાં જે જણાવ્યું છે; તે જણાવાય છે
मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहादम्यहम् ।
एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः ॥७-११॥ मामिति-अत्र हि भक्षकस्य भक्षितेन भक्षणीयत्वप्राप्तिनिबन्धनजन्मान्तरार्जनादेव व्यक्तं मांसभक्षणस्य दुष्टत्वं प्रतीयत इति तददुष्टत्वप्रतिपादकं वचनमनेनैव विरुध्यते ॥७-११॥
જેનું માંસ હું અહીં ખાઉં છું; એ મને પરલોકમાં ખાશે.' આ માંસ શબ્દની વ્યુત્પત્તિ છે.' - આ પ્રમાણે બુદ્ધિમાનો કહે છે. અગિયારમા શ્લોકનો એ અર્થ સમજી શકાય છે. અહીં માંસનું ભક્ષણ કરનારને ભક્ષિત (જેનું માંસ ખાધું છે તે) વડે પોતે ખવાય એવી અવસ્થાને પ્રાપ્ત કરાવનાર જન્માંતરની પ્રાપ્તિ થવાથી માંસભક્ષણનું દુખત્વ સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે. તેથી માંસભક્ષણમાં કોઈ દોષ નથી. (ન માં તમને જોવો.) ઈત્યાદિ વચન માં સમયિતા આ વચનથી જ વિરુદ્ધ થાય છે, એ સારી રીતે સમજી શકાય છે. ll૭-૧૧
એક પરિશીલન
૨૫૩