Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 247
________________ अथ धर्मव्यवस्थाद्वात्रिंशिका प्रारभ्यते ।। साधुसामग्र्यं धर्मव्यवस्थया निर्वाहात इतीयमत्राभिधीयते છઠ્ઠી બત્રીશીમાં સાધુસમયનું વર્ણન કર્યું. તેનો નિર્વાહ ધર્મવ્યવસ્થાથી થાય છે. તેથી હવે ધર્મવ્યવસ્થાનું નિરૂપણ કરાય છે– भक्ष्याभक्ष्यविवेकाच्च गम्यागम्यविवेकतः । तपोदयाविशेषाच्च स धर्मो व्यवतिष्ठते ॥७-१॥ મતિ–વ્યm: II-9ો. “ભક્ષ્ય અને અભક્ષ્યના વિવેકથી; ગમ્ય અને અગમ્યના વિવેકથી; તપવિશેષથી અને દયાવિશેષથી છઠ્ઠી બત્રીશીમાં છેલ્લા શ્લોક દ્વારા જણાવેલો ધર્મ વ્યવસ્થિત થાય છે. - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે છઠ્ઠી સાધુસામગ્ય નામની બત્રીશીના છેલ્લા શ્લોકમાં પરમાનંદની પ્રાપ્તિ; જે ધર્મની આરાધનાથી વર્ણવી છે, તે ધર્મ ભક્ષ્યાભર્યા અને ગમ્યાગમ્યના વિવેકથી તેમ જ તપ અને દયા વિશેષથી વ્યવસ્થિત-સંગત બને છે. જ્યાં ભક્ષ્યાભર્યો અને ગમ્યાગમનો વિવેક નથી તેમ જ તપવિશેષ કે દયાવિશેષ નથી, તે ધર્મ વાસ્તવિક નથી. આમ તો દરેક ધર્મમાં ભણ્યાભઢ્યાદિનો વિવેક તેમ જ તપ, દયા વગેરેનું વર્ણન કર્યું તો હોય છે પરંતુ તે વાસ્તવિક અને પૂર્ણ હોતું નથી. અવાસ્તવિક અધકચરું નિરૂપણ ધર્મની વ્યવસ્થા માટે તદન જ અર્થહીન બને છે. તેથી એ રીતે ધર્મનું નિરૂપણ કર્યા વિના અહીં વાસ્તવિક અને પૂર્ણ રીતે તેનું (ધર્મનું) નિરૂપણ કરવાનું ધાર્યું છે. અન્યદર્શનકારોએ ધર્મની વ્યવસ્થા માટે જે રીતે વ્યવસ્થા વિચારી છે; તેની અનુપપત્તિ જણાવવાપૂર્વક વાસ્તવિક વ્યવસ્થા કેવી હોય છે તે જણાવવાનું અહીં તાત્પર્ય છે. અજ્ઞાન અને કદાગ્રહ આત્માને વાસ્તવિકતાથી ખૂબ જ દૂર-સુદૂર રાખે છે. અન્યદર્શનકારો તો એ રીતે વાસ્તવિકતાથી ખૂબ જ દૂર રહ્યા છે. પરંતુ એમની વાતમાં આવી જઇને આપણે વાસ્તવિકતાથી દૂર ન થઈએ એ માટે અહીં ગ્રંથકાર પરમર્ષિએ આપણી ઉપર અનુગ્રહ કરવા દ્વારા પ્રયત્ન કર્યો છે. ધર્મનું અગાધ સ્વરૂપ જોતાં અહીં ખૂબ જ અલ્પાંશે વાસ્તવિક વ્યવસ્થાનું નિરૂપણ કરાયું છે – એમ માન્યા વિના ચાલે એવું નથી. પરંતુ એ દિશાસૂચન મુજબ, અહીં જેનું નિરૂપણ કરાયું નથી એવા વિષયોનું પણ દર્શન કરી લેવાનું આવશ્યક છે. અહીં ભક્ષ્યાભઢ્યનો અને ગમ્યાગમ્યનો વિવેક તેમ જ તાપવિશેષ અને દયાવિશેષ: એ ચારનું નિરૂપણ મુખ્યપણે કરાયું છે. ગ્લો.નં. ૨ થી ૧૭, ૧૮ થી ૨૪; ૨૫-૨૬ અને ૨૭ થી ૩૧: આ ચાર વિભાગમાં એ ૨૪૪ ધર્મવ્યવસ્થા બત્રીશી

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286