Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अथ धर्मव्यवस्थाद्वात्रिंशिका प्रारभ्यते ।।
साधुसामग्र्यं धर्मव्यवस्थया निर्वाहात इतीयमत्राभिधीयते
છઠ્ઠી બત્રીશીમાં સાધુસમયનું વર્ણન કર્યું. તેનો નિર્વાહ ધર્મવ્યવસ્થાથી થાય છે. તેથી હવે ધર્મવ્યવસ્થાનું નિરૂપણ કરાય છે–
भक्ष्याभक्ष्यविवेकाच्च गम्यागम्यविवेकतः । तपोदयाविशेषाच्च स धर्मो व्यवतिष्ठते ॥७-१॥
મતિ–વ્યm: II-9ો.
“ભક્ષ્ય અને અભક્ષ્યના વિવેકથી; ગમ્ય અને અગમ્યના વિવેકથી; તપવિશેષથી અને દયાવિશેષથી છઠ્ઠી બત્રીશીમાં છેલ્લા શ્લોક દ્વારા જણાવેલો ધર્મ વ્યવસ્થિત થાય છે. - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે છઠ્ઠી સાધુસામગ્ય નામની બત્રીશીના છેલ્લા શ્લોકમાં પરમાનંદની પ્રાપ્તિ; જે ધર્મની આરાધનાથી વર્ણવી છે, તે ધર્મ ભક્ષ્યાભર્યા અને ગમ્યાગમ્યના વિવેકથી તેમ જ તપ અને દયા વિશેષથી વ્યવસ્થિત-સંગત બને છે. જ્યાં ભક્ષ્યાભર્યો અને ગમ્યાગમનો વિવેક નથી તેમ જ તપવિશેષ કે દયાવિશેષ નથી, તે ધર્મ વાસ્તવિક નથી.
આમ તો દરેક ધર્મમાં ભણ્યાભઢ્યાદિનો વિવેક તેમ જ તપ, દયા વગેરેનું વર્ણન કર્યું તો હોય છે પરંતુ તે વાસ્તવિક અને પૂર્ણ હોતું નથી. અવાસ્તવિક અધકચરું નિરૂપણ ધર્મની વ્યવસ્થા માટે તદન જ અર્થહીન બને છે. તેથી એ રીતે ધર્મનું નિરૂપણ કર્યા વિના અહીં વાસ્તવિક અને પૂર્ણ રીતે તેનું (ધર્મનું) નિરૂપણ કરવાનું ધાર્યું છે. અન્યદર્શનકારોએ ધર્મની વ્યવસ્થા માટે જે રીતે વ્યવસ્થા વિચારી છે; તેની અનુપપત્તિ જણાવવાપૂર્વક વાસ્તવિક વ્યવસ્થા કેવી હોય છે તે જણાવવાનું અહીં તાત્પર્ય છે. અજ્ઞાન અને કદાગ્રહ આત્માને વાસ્તવિકતાથી ખૂબ જ દૂર-સુદૂર રાખે છે. અન્યદર્શનકારો તો એ રીતે વાસ્તવિકતાથી ખૂબ જ દૂર રહ્યા છે. પરંતુ એમની વાતમાં આવી જઇને આપણે વાસ્તવિકતાથી દૂર ન થઈએ એ માટે અહીં ગ્રંથકાર પરમર્ષિએ આપણી ઉપર અનુગ્રહ કરવા દ્વારા પ્રયત્ન કર્યો છે.
ધર્મનું અગાધ સ્વરૂપ જોતાં અહીં ખૂબ જ અલ્પાંશે વાસ્તવિક વ્યવસ્થાનું નિરૂપણ કરાયું છે – એમ માન્યા વિના ચાલે એવું નથી. પરંતુ એ દિશાસૂચન મુજબ, અહીં જેનું નિરૂપણ કરાયું નથી એવા વિષયોનું પણ દર્શન કરી લેવાનું આવશ્યક છે. અહીં ભક્ષ્યાભઢ્યનો અને ગમ્યાગમ્યનો વિવેક તેમ જ તાપવિશેષ અને દયાવિશેષ: એ ચારનું નિરૂપણ મુખ્યપણે કરાયું છે. ગ્લો.નં. ૨ થી ૧૭, ૧૮ થી ૨૪; ૨૫-૨૬ અને ૨૭ થી ૩૧: આ ચાર વિભાગમાં એ
૨૪૪
ધર્મવ્યવસ્થા બત્રીશી