Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
दृष्टान्ताधुपादानेन परमतदूषणमात्रपर्यवसितहेतुत्वेऽपि अदोऽयुक्तं, व्यवस्थितेर्लोकागमसिद्धभक्ष्याभक्ष्यव्यवस्थाया बाधकत्वात् प्राण्यङ्गत्वमात्रस्य भक्ष्यत्वाप्रयोजकत्वात् । न हि शक्यभक्षणकत्वमेव भक्ष्यत्वं, किं त्वधर्माजनकभक्षणकत्वं, तत्र च व्यवस्था प्रयोजिकेति । तदाह-“भक्ष्याभक्ष्यव्यवस्थेह शास्त्रलोकનિવત્થના | સર્વેવ માવતો યત્તતામૃતમ્ Iકા” II૭-રૂા.
દષ્ટાંતમાં દોષ હોવાથી, સ્વતંત્ર-સાધનતામાં આ અનુમાન અયુક્ત છે. પ્રસંગસાધનતાની વિવક્ષામાં પણ વ્યવસ્થાનું બાધકત્વ હોવાથી અર્થાત્ વ્યવસ્થા; (શિષ્ટજનપ્રસિદ્ધ વ્યવસ્થા) બાધક હોવાથી આ અનુમાન દુષ્ટ છે.” કહેવાનો આશય એ છે કે અનુમાન બે રીતે થતું હોય છે. એક તો; પોતાની જે માન્યતા છે (અર્થાતુ પોતાને જે ઇષ્ટ છે) તેને સિદ્ધ કરવા માટે અનુમાન કરાય છે અને બીજું પરપક્ષમાં દૂષણ આપવા માટે પોતાની માન્યતા ન હોય તોપણ અનુમાન કરાય છે.
માંસ ભક્ષ્ય પૃથક્વાન્ ગોરનાવિવત્ (માંસ પણ ભક્ષ્ય છે, પ્રાણીનું અંગ હોવાથી. ઓદનાદિની જેમ) આ અનુમાન સ્વતંત્રની સાધના માટે હોય તો આ બૌદ્ધોનું અનુમાન દુષ્ટ છે. કારણ કે દષ્ટાંતમાં સાધનની વિકલતા છે. આશય એ છે કે ઉપરના અનુમાનમાં પ્રાણ્યગત્વ સાધન-હેતુ છે. તે હેતુ દષ્ટાંતમાં પણ રહેવો જોઈએ. અન્યથા દષ્ટાંતમાં સાધનની વિકલતા સ્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે. બૌદ્ધોની એ માન્યતા નથી કે વનસ્પતિ વગેરે એકેન્દ્રિય પ્રાણી છે. એવી માન્યતા ન હોવાથી તેમના મતે ઓદનાદિમાં પ્રાäગત્વ નથી. હેતુના અભાવે દષ્ટાંત તરીકે ઓદનાદિનો ઉપન્યાસ નહીં કરી શકાય. તેથી ઉપર જણાવેલું અનુમાન અયુક્ત છે.
જે લોકો માંસને અભક્ષ્ય માને છે. એમના મતમાં માત્ર દૂષણ ઉદ્ભાવન કરવાના તાત્પર્યથી પ્રસંગ(અતિપ્રસંગ-અનિષ્ટાપદનાદિ સાધન માટે જો ઉપર જણાવેલું અનુમાન માની લઈએ તો વિકલ્પસિદ્ધ દાંતનું ઉપાદાન કરીને એ અનુમાન કરી શકાય. પરંતુ એ પણ અયુક્ત છે. કારણ કે આ અનુમાનથી સિદ્ધ થયેલા ભક્ષ્યત્વનો; લોક અને આગમથી સિદ્ધ ભક્ષ્યાભઢ્યની જે વ્યવસ્થા છે કે ઓદનાદિ ભક્ષ્ય છે; અને માંસ અભક્ષ્ય છે; તે વ્યવસ્થા બાધ કરે છે. આશય એ છે કે બીજાની માન્યતામાં માત્ર દૂષણનું જ ઉદ્ભાવન કરવાનું તાત્પર્ય હોય ત્યારે બીજાની માન્યતા મુજબના દષ્ટાંતથી અનુમાન કરી શકાય છે. દષ્ટાંત મુજબ પોતાની પણ એવી માન્યતા હોવી જોઇએ : એ આવશ્યક નથી. ઓદનાદિમાં બૌદ્ધો પ્રાટ્યગત્વ માનતા નથી. પરંતુ બીજા લોકો માને છે. તેથી બૌદ્ધોની દષ્ટિએ ઓદનાદિમાં વાસ્તવિક પ્રાäગત્વ નથી. પરંતુ કાલ્પનિક છે. એ જ આશયથી અહીં ઓદનાદિદષ્ટાંતને વિકલ્પસિદ્ધરૂપે વર્ણવ્યું છે. બીજાને એ દષ્ટાંત વાસ્તવિક હોવાથી ઓદનની જેમ પ્રાટ્યગત્વને લઈને માંસમાં પણ ભક્ષ્યત્વ માનવાનો તેઓ અતિપ્રસંગ આપી શકે છે. એ અતિપ્રસંગનું વારણ; અનુમાનમાં બાધદોષના ઉભાવનથી ઉપર કર્યું છે અર્થાત્ અતિપ્રસંગને સિદ્ધ કરવા માટે કરેલા અનુમાનમાં બાધ આવે છે.
૨૪૬
ધર્મવ્યવસ્થા બત્રીશી