Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અપેક્ષાએ “ધ્વસ્તદોષત્વ' ને મદનું પદની પ્રવૃત્તિના નિમિત્ત તરીકે માનવામાં લાઘવ છે. એ પ્રમાણે માનવાથી નિત્યનિર્દોષત્વ(આત્મવૃત્તિનિત્યનિર્દોષત્વ)ની અપ્રસિદ્ધિથી તેના અભાવની પણ અપ્રસિદ્ધિ થવાથી વીતરો ન મહાન માત્મવૃત્તિત્વવિશિષ્ટનિત્યનિષત્કામાવાનું આ અનુમાનમાં હેતુ અસિદ્ધ છે.
યદ્યપિ મહંત પદના પ્રવૃત્તિનિમિત્તસ્વરૂપે ઉપર જણાવ્યા મુજબ ધ્વસ્તદોષત્વ(યાવદોષોના ધ્વસ)ને માનવાથી તે તે દોષોના ધ્વસને એટલે કે અનંત દોષઘ્નસોને અથવા તે ધ્વસોના સમુદાયને મદન પદનું પ્રવૃત્તિનિમિત્ત માનવું પડે છે. તેની અપેક્ષાએ તો દોષસામાન્યના અત્યંતાભાવ સ્વરૂપ એક જ નિર્દોષત્વને મદન પદનું પ્રવૃત્તિનિમિત્ત માનવામાં લાઘવ છે. અને તેથી એમ કરવાથી ઉપર જણાવ્યા મુજબ હેતુ અસિદ્ધ નહિ બને. કારણ કે નિત્યનિર્દોષત્વ પ્રસિદ્ધ થવાથી ઉપર જણાવ્યા મુજબ તેનો અભાવ પણ પ્રસિદ્ધ થશે. પરંતુ ખરી રીતે પદપ્રવૃત્તિનિમિત્ત માત્ર પદાર્થાતરને સિદ્ધ કરવા સમર્થ નથી. કારણ કે કોઈ પદ જોઈને લોકમાં પદાર્થની કલ્પના કરાતી નથી, પણ પદાર્થ જોઇને આપ્તપુરુષાદિના વચનાદિના અનુસાર પદનો વ્યવહાર પ્રવર્તે છે. તેથી મહત્ પદના પ્રવૃત્તિનિમિત્ત તરીકે નિત્યનિર્દોષત્વને સિદ્ધ કરવાનું શક્ય ન હોવાથી આત્મવૃત્તિનિત્યનિર્દોષતાભાવ સ્વરૂપ હેતુ અસિદ્ધ છે. ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ. //૪-૮
ध्वस्तदोषत्वे भगवतः समन्तभद्रोक्तं मानमनुवदति ।
જેમના દોષોનો સર્વથા ધ્વંસ થયો છે તેમાં રહેલું “ધ્વસ્તદોષત્વ મા પદનું પ્રવૃત્તિનિમિત્ત છે – એ પ્રમાણે જણાવીને એ ધ્વસ્તદોષત્વમાં શ્રી સમતભદ્રાચાર્યે જણાવેલ પ્રમાણ જણાવાય છે. અન્યથા આત્મામાં જેમ નિત્યનિર્દોષત્વ અસિદ્ધ છે તેમ ધ્વસ્તદોષત્વ પણ ક્યાં સિદ્ધ છે? આવી શંકાનો સંભવ છે. તેથી ધ્વસ્તદોષત્વ'માં પ્રમાણ બતાવાય છે–
दोषावरणयोर्हानिनिःशेषास्त्यतिशायनात् ।
क्वचिद् यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥४-९॥ दोषेति-क्वचिद्दोषावरणयोनिःशेषा हानिरस्ति । अतिशायनात्तारतम्यात् । यथा स्वहेतुभ्यो मलक्षयहेतुभ्यः । स्वर्णादेर्बहिरन्तश्च मलक्षयः । यद्यप्यत्र दोषावरणे निःशेषहानिप्रतियोगिनी तारतम्यवद्धानिप्रतियोगित्वादित्यनुमाने पक्षविवेचने बाधासिद्धी न क्वचित्पदग्रहणमात्रनिव] साध्याश्रयतया पृथक्कृतां व्यक्तिमनुपादायापादनाच्च न दिग्नागमतप्रवेशो न च निःशेषहानिप्रतियोगिजातीयत्वस्य साध्यत्वे सम्पतिपन्नस्वर्णमलस्य दृष्टान्तत्वे च न कोऽपि दोष इति वाच्यं, निःशेषक्षीयमाणस्वर्णमलवृत्तिदोषावरणसाधारणौपाधिकत्वजातिसिद्ध्याऽर्थान्तरापत्तेः । दोषत्वादिजातिग्रहे च दृष्टान्तस्य साध्यविकलत्वात् तथापि
એક પરિશીલન
૧૩૫