Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
થાય અને મારા જ્ઞાનના યોગે તેમનામાં કાયમ માટે ચૈતન્યનો સંચાર થાય.” જો આ પ્રમાણે માનવાનું સંભવિત નથી તો ઉપર જણાવ્યા મુજબ કુશલચિત્ત પણ સંભવતું નથી – એ સમજી શકાશે. I૪-૨૧
આવી જાતનું કુશલચિત્ત ન હોય તો જ શ્રીવીતરાગ પરમાત્મામાં મહત્ત્વ છે. અન્યથા શ્રી વીતરાગપરમાત્માની વીતરાગતા અસિદ્ધ થશે - એ જણાવાય છે–
अतो मोहानुगं होतन्निर्मोहानामसुन्दरम् ।
बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि ॥४-२५॥ अत इति–अत उक्तकुशलचित्तस्य तत्त्वतोऽसम्भव्यर्थविषयत्वाद् । एतद्धि मोहानुगं मोहनीयकर्मोदयानुगतं । मोहोदयाभावे हि समस्तविकल्पोत्कलिकावर्जितमेव चित्तं स्यादिति । निर्मोहानां वीतरागाणाम् । असुन्दरम् । तथा च कुशलचित्तस्य न मुख्यत्वं निर्मोहत्वविरोधादित्यर्थः । सरागत्वे तु प्रशस्तरागदशायां तु । एतद्बोध्यादिप्रार्थनाकल्पम् । आदिनारोग्योत्तमसमाधिग्रहः । साध्वपि प्रशस्तमपि । असम्भविविषयकयोरपि वाङ्मनसोः प्रशस्तभावोत्कर्षकत्वेन चतुर्भङ्गान्तः-पातित्वसम्भवात् । तदुक्तम्“बोध्यादिप्रार्थनाकल्पं सरागत्वे तु साध्वपि” । ननु चतुर्थभङ्गस्थवाङ्मनसोर्भगवत्यपि सम्भवात् कथं न कुशलचित्तयोग इति चेन, वैकल्पिकभक्तिभावप्रयुक्तस्य चतुर्थभङ्गस्य प्रार्थनारूपस्य भगवत्यनुपपत्तेविचित्रवर्गणासदावेनैव तत्र तदुपवर्णनादिति बोध्यम् ॥४-२५॥
“અસંભવિત વિષયવાળું એ કુશલચિત્ત હોવાથી મોહનીયકર્મના ઉદયથી અનુગત છે. શ્રી વીતરાગપરમાત્માઓ માટે તે સારું નથી. બોધિ, આરોગ્ય વગેરેની પ્રાર્થના જેવું એ ચિત્ત સરાગ અવસ્થામાં સારું પણ મનાય છે.” – આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વાસ્તવિક રીતે ઉપર જણાવેલું કુશલચિત્ત અસંભવિત અર્થના વિષયવાળું હોવાથી મોહનીયકર્મના ઉદયને અનુસરનારું છે. મોહનીયકર્મના અભાવમાં તો સમસ્ત વિકલ્પના અંશથી પણ રહિત ચિત્ત હોય છે. શ્રી વીતરાગપરમાત્મા મોહરહિત હોવાથી તેમના માટે આ કુશલચિત્ત સુંદર નથી. તેથી કુશલચિત્ત (પરપરિકલ્પિત) શ્રીવીતરાગતાનું વિરોધી હોવાથી મુખ્ય નથી.
પ્રશસ્ત રાગની અવસ્થામાં આ કુશલચિત્ત બોધિ, આરોગ્ય અને ઉત્તમસમાધિની પ્રાર્થના જેવું છે. આશય એ છે કે, સામાવહિનામં સમદિવરમુd કિંતુ... ઇત્યાદિ પદોથી આરોગ્યાદિની પ્રાર્થના કરાય છે. શ્રી વીતરાગપરમાત્મા રાગાદિદોષોથી રહિત હોવાથી તેઓશ્રી કશું આપતા નથી અને લેતા નથી. તેથી તેઓશ્રીની પાસે કરેલી પ્રાર્થનાનો વિષય સંભવતો નથી. આમ છતાં રાગી જનો ભગવાન શ્રી તીર્થકર દેવમાં ભક્તિને વ્યક્ત કરતા ભાવની પ્રકર્ષઅવસ્થાને લઇને આ પ્રમાણે પ્રાર્થના કરે છે, તે તેમના માટે ઉચિત મનાય છે. આથી જ કહ્યું છે કે – આ
એક પરિશીલન
૧૫૯