Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
वृत्तान्तः पारगतोपदेशतो दुर्गतत्वनिबन्धनकर्मक्षपणाय-“यदहमुपार्जयिष्यामि द्रव्यं तद्ग्रासाच्छादनवर्ज सर्वं जिनायतनादिषु नियोक्ष्ये” इत्यभिग्रहं गृहीतवान्, कालेन च निर्वाणमवाप्तवानिति । अथ युक्तं सङ्काशस्यैतत्तथैव तत्कर्मक्षयोपपत्ते न पुनरन्यस्य, नैवं, सर्वथैवाशुभस्वरूपव्यापारस्य विशिष्टनिर्जराकारणत्वाયોતિ રૂછા
સંકાશાદિ શ્રાવકની આરંભને પ્રાપ્ત કરીને પણ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ થયેલી હોવાથી વર્મા વસ્ય. ઇત્યાદિ શ્લોકમાં ઉપર મુજબ જે જણાવ્યું છે તે અવસ્થાવિશેષને આશ્રયીને છે, તેથી વિરોધ નથી.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો કહેવાનો ભાવ એ છે કે, “વર્ષ થી વિદા.” આ શ્લોકમાં જે ઉપર જણાવ્યા મુજબ જણાવાયું છે તે સર્વવિરતિ તેમ જ સ્વભાવથી જે આરંભના ભયવાળા વગેરેની દશાવિશેષને આશ્રયીને છે. કારણ કે તે શ્લોકનો પાઠ સર્વવિરતિના અધિકારમાં આવેલો છે. ગૃહસ્થોની પૂજાદિ માટેની એ વાત નથી. તેમ જ “શુદ્ધારમૈર્યવાનામ..” આ શ્લોકમાં જણાવેલી વાતનું તાત્પર્ય એ છે કે પૂજાના અવસરે ઉપસ્થિત થયેલ માળી પાસેથી વિકસ્વર ઉત્તમજાતિનાં થોડાં કે ઘણાં જે પુષ્પો ઉપલભ્ય હોય તેટલાં ઉચિત મૂલ્યનું પ્રદાન કરીને લઈ લેવાં. પરંતુ ત્યાં ભાવતાલ કરીને પોતાની વ્યાપાર કરવાની કલા ન કરવી – આ અર્થને જણાવવા માટેની એ વાત છે. પૂજા માટે સ્વયં પુષ્પો ચૂંટવાં નહિ અને જે વેચાતાં મળે તે લઈ લેવાં. આ રીતે આરંભનો નિષેધ કરવાનું ત્યાં તાત્પર્ય નથી. શાસનની પ્રભાવના થાય એ હેતુથી પુષ્પો ખરીદતી વખતે વ્યાપારકલા ન કરવાનું જણાવવાનો જ ત્યાં આશય છે. અન્યથા શ્રી પંચાશકમાં જે જણાવ્યું છે કે, “શ્રી જિનપ્રવચનમાં સંભળાય છે કે દુર્ગતા નારી; સિંદુવાર પુષ્પોને ગ્રહણ કરી (જંગલમાં મળતાં એ પુષ્પોને ચૂંટીને) એ પુષ્પોથી જગદ્ગુરુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.” તેનો વિરોધ આવશે. શુદ્ધાગને.. ઇત્યાદિ શ્લોકથી એમ જ જણાવવાનું હોય કે તૈયાર ચૂંટેલાં પુષ્પો જ માળી પાસેથી લઈ લેવાં પરંતુ પુષ્પોને ચૂંટીને આરંભ ન કરવો તો “સુવ્ય.' ઇત્યાદિ ગાથામાં જણાવેલી તે વાતમાં વિરોધ આવશે - એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે ધર્મ માટે પોતાની અવસ્થાને ઉચિત આરંભ કરવામાં ઉપર જણાવેલાં તે તે વચનોનો વિરોધ આવતો નથી.
સંકાશ શ્રાવકાદિની ધર્મકાર્યને વિશે વિષયવિશેષના પક્ષપાતવાળી અને પાપક્ષયને કરનારી વ્યાપારાદિ ક્રિયાને સ્વીકારીને કરેલી પ્રવૃત્તિથી પણ ઉપર જણાવેલી વાત માનવી જોઇએ. આશય એ છે કે સંકાશ શ્રાવકે પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું. તેથી ક્લિષ્ટ એવા અંતરાયકમદિ કર્મનો તેણે બંધ કર્યો. દુઃખે કરીને જેનો અંત આવે એવા દુરંત સંસારમાં એ કર્મના યોગે તે ભટક્યો. અનંતકાળે તેણે મનુષ્યભવ પ્રાપ્ત કર્યો. એ વખતે તે દુર્ગત (દુસ્થદરિદ્રાદ્રિ) માણસોમાં શ્રેષ્ઠ (અત્યંત દુર્ગત) હતો. શ્રી પારગત-શ્રી સર્વજ્ઞ પરમાત્મા પાસેથી તેણે પોતાના પૂર્વભવને જાણ્યો. પરમાત્માના ઉપદેશથી; દુર્ગતિના કારણભૂત એવા કર્મની નિર્જરા ૨૦૪
ભક્તિ બત્રીશી