Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 237
________________ નિર્ગુણતાનું જ્ઞાન વૈરાગ્ય દ્વારા સંસારથી મુક્ત કરાવનારું બને છે. મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીના પ્રકૃષ્ટ આચરણથી યુક્ત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. જ્ઞાન અને આચરણ - એ બંનેનો સંવાદ જ આ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં શરૂ થાય છે. અત્યાર સુધી જ્ઞાન અને આચરણનો કોઈ મેળ જ બેસતો ન હતો. એ મેળ બેસાડવાનું કાર્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દ્વારા થાય છે. I૬-૨૪ ઉપર જણાવેલા ત્રણ વૈરાગ્યમાંથી જે વૈરાગ્યના કારણે સાધુની સમગ્રતા થાય છે - તે જણાવાય છે– सामण्यं स्यादनेनैव द्वयोस्तु स्वोपमर्दतः । अत्राङ्गत्वं कदाचित्स्याद् गुणवत्पारतन्त्र्यतः ॥६-२५॥ सामग्र्यमिति-अनेनैव ज्ञानान्वितवैराग्येणैव । सामग्र्यं सर्वथा दुःखोच्छेदलक्षणं स्यात्, ज्ञानसहितवैराग्यस्यापायशक्तिप्रतिबन्धकत्वात् । द्वयोस्तु दुःखमोहान्वितवैराग्ययोः स्वोपमर्दतः स्वविनाशद्वारा । अत्र ज्ञानान्वितवैराग्येऽङ्गत्वमुपकारकत्वं । कदाचिच्छुभोदयदशायां स्यात् । गुणवतः पारतन्त्र्यमाज्ञावशवृत्तित्वं ततः । ज्ञानवत्पारतन्त्र्यस्यापि फलतो ज्ञानत्वात् ।।६-२५॥ “આ જ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ પૂ. સાધુભગવંતોની સમગ્રતા પૂર્ણ થાય છે. દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્ય તો કોઈ વાર પોતાના વિનાશ દ્વારા ગુણવાન પુરુષોની આજ્ઞાનું પારતંત્ર્ય કેળવવાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યના અંગ બને છે.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુમહાત્માઓનું સામગ્ય દુઃખના ઉચ્છદ સ્વરૂપ છે, જે કર્મમાત્રના ઉચ્છેદથી થઈ શકે છે. સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ વિના સાધુભગવંતોની સમગ્રતા સિદ્ધ નહીં થાય. જ્ઞાનાન્વિત વૈરાગ્યના જ કારણે સર્વથા દુઃખોનો ઉચ્છેદ થાય છે. કારણ કે જ્ઞાનસહિત વૈરાગ્ય અપાયશક્તિનો પ્રતિબંધ કરે છે. તેથી ભવિષ્યમાં કોઈ અપાય થતો ન હોવાથી દુઃખોનો સર્વથા ઉચ્છેદ થઈ જાય છે. ક્રમિક દુઃખોનો ઉચ્છેદ થતો હોય તોપણ ભવિષ્યમાં જો અપાયની પ્રાપ્તિ થયા જ કરે તો સર્વથા એ દુઃખોચ્છેદ ન જ થાય - એ સમજી શકાય છે. જ્ઞાનસહિત વૈરાગ્ય સ્થળે એવું બનતું નથી. જ્ઞાનના કારણે અપાયની શક્તિ જ પ્રતિબદ્ધ થાય છે અને તેથી વૈરાગ્ય વિના પ્રતિબંધે દુઃખોનો ઉચ્છેદ કરી શકે છે. જ્ઞાનથી રહિત એવા બંન્ને વૈરાગ્યમાં એ શક્ય થતું નથી. ત્યાં અપાયની શક્તિનો પ્રતિબંધ થતો નથી. કોઈ વાર શુભનો ઉદય થાય તો એ દશામાં ગુણવાન પુરુષોની આજ્ઞાને આધીન બની મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાય તો દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય; પોતાના નાશ દ્વારા જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમે છે. આ રીતે એ બંને, જ્ઞાનાન્વેિતવૈરાગ્યમાં ઉપકારક અંગ બને છે. જોકે એ બંન્ને વૈરાગ્ય જ્ઞાનસહિત નથી પરંતુ ગુણવાનજ્ઞાનીનું પાતંત્ર્ય, એના ફળને આશ્રયીને જ્ઞાનસહિત બને છે. જ્ઞાનની જેમ જ જ્ઞાનીભગવંતનું પાતંત્ર્ય પણ અપાયશક્તિનો ૨૩૪ સાધુસામગ્રય બત્રીશી

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286