Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા કરતાં પણ અધિક એવી પોતાની કલ્પનાના અભિનિવેશને સ્વાગ્રહ કહેવાય છે. અને વિશિષ્ટ ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવવામાં તત્પર એવો જીવનો સ્વાભાવિક જે પરિણામ છે તેને માર્ગ કહેવાય છે. આથી સમજી શકાશે કે જે ભાવશુદ્ધિ માર્ગોનુસારિણી હોય, પ્રજ્ઞાપનીયની હોય અને સ્વાગ્રહથી શૂન્ય હોય તે જ ન્યાય-ઉચિત છે. - ગુણવંત ગુરુદેવશ્રીનું પાતંત્ર્ય જેઓ સ્વીકારતા નથી, તેમની શાંતપરિણતિ માર્ગને અનુસરનારી હોતી નથી. તેઓ પોતાની જાતને પરમેગીતાર્થ માનતા હોવાથી બીજા કોઈ પણ ગીતાર્થ મહાત્માઓનો પરમતારક ઉપદેશ ઝીલવાની યોગ્યતાથી રહિત હોય છે અને શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા રાખવાના બદલે પોતાની મતિકલ્પના ઉપર તેમને વધારે વિશ્વાસ હોવાથી દરેક વસ્તુના વિષયમાં તેમને ચિકાર આગ્રહ હોય છે. આવા બાલ જીવોની (અજ્ઞાનીઓની) ભાવશુદ્ધિ ન્યાય મનાતી નથી. કારણ કે તેઓ ગુણવંત ગુરુદેવશ્રીની પરમતારક આજ્ઞાને આધીન નથી.
ન્યાય કોટિની ભાવશુદ્ધિનું વર્ણન કરતાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – “આ ભાવની શુદ્ધિ પણ (મનની અસંક્તિશ્યમાનતા પણ) મોક્ષમાર્ગના અનુસરણના સ્વભાવવાળી હોવી જોઇએ, આગમના અર્થના ઉપદેશ સ્વરૂપ પ્રજ્ઞાપના જેમાં અત્યંત પ્રિય છે એવી હોવી જોઇએ અને શાસ્ત્રપ્રતિપાદિત અર્થથી વિલક્ષણ એવો જે સ્વાભિમત અર્થ; તેના અભિનિવેશથી રહિત હોવી જોઇએ.” ભાવશુદ્ધિમાં સ્વાગ્રહથી રહિતપણું કેમ હોવું જોઈએ, તે જણાવતાં ત્યાં ફરમાવ્યું છે કે “રાગ, દ્વેષ અને મોહ (અજ્ઞાન) : આ ત્રણ, ભાવની મલિનતાનાં (આત્મપરિણતિની અશુદ્ધતાનાં) કારણ છે. તેના ઉત્કર્ષ(ઉપચય)થી ભાવની મલિનતાનો (સ્વાગ્રહાદિસ્વરૂપ ભાવમલિનતાનો) જ ખરેખર તો ઉપચય થાય છે. અને તેથી “રાગાદિના ઉત્કર્ષથી સ્વાગ્રહાદિસ્વરૂપ ભાવમાલિન્ય ઉત્કટ થયે છતે ભાવની શુદ્ધિ બોલવાપૂરતી જ રહે છે. પોતાની બુદ્ધિની કલ્પના સ્વરૂપ શિલ્હીથી નિર્માણ પામેલું અર્થવદ્ નહિ બને.”... ઇત્યાદિ અષ્ટકમકરણથી જાણી લેવું જોઈએ. ll -૨ . ગુણવત્પાતંત્ર્યનું કાર્ય જણાવીને તેનું સમર્થન કરાય છે–
मोहानुत्कर्षकृच्चैतदत एवापि शास्त्रवित् ।
क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु कर्मसु ॥६-२७॥ मोहेति-एतद्गुणवत्पारतन्त्र्यं च । मोहानुत्कर्षकृत् स्वाग्रहहेतुमोहापकर्षनिबन्धनं । तदाह-"न मोहोद्रिक्तताभावे स्वाग्रहो जायते क्वचित् । गुणवत्पारतन्त्र्यं हि तदनुत्कर्षसाधनम् ॥१॥' अत एव गुणवत्पारतन्त्र्यस्य मोहानुत्कर्षकृत्त्वादेव । शास्त्रविदपि आगमज्ञोऽपि । सर्वेषु कर्मसु दीक्षादानोद्देशसमुद्देशादिषु । क्षमाश्रमणहस्तेनेत्याह । इत्थमभिलापस्य भावतो गुरुपारतन्त्र्यहेतुत्वात् तस्य च मोहापकर्ष
સાધુસામગ્રય બત્રીશી
૨૩૬