Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 241
________________ આવશ્યકતા છે તેની વધુ પડતી ઉપેક્ષા કરવાના કારણે આજે ખૂબ જ વિષમ સ્થિતિ સર્જાઇ છે. વહેલામાં વહેલી તકે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરાય તો ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે કહી શકાય એવું નથી. ૬-૨થી ગુણવત્યારતંત્રનો કોણ સ્વીકાર કરે છે અને કોણ સ્વીકારતું નથી – એ જણાવાય છે– यस्तु नान्यगुणान् वेद नवा स्वगुणदोषवित् । स एवैतन्नाद्रियते न त्वासन्नमहोदयः ॥६-२८॥ સ્વિતિ–વ્યy: I૬-૨૮ાા. શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે – જે બીજાના ગુણોને જાણતો નથી તેમ જ પોતાના ગુણ અને દોષને જાણતો નથી તે જ ગુણવત્યારતંત્ર્યનો સ્વીકાર કરતો નથી. કારણ કે એવો આત્મા લગભગ બીજાના દોષો જોવામાં તત્પર હોય છે અને પોતાના દોષો હોવા છતાં અને ગુણો ન હોવા છતાં દોષને જોતો નથી અને ગુણને જોયા કરે છે. આવા લોકો ગુણવનું પાતંત્ર્ય રાખી ન શકે. કારણ કે તેમને એનું કોઈ જ પ્રયોજન નથી. પોતાના ગુણદોષને જોયા પછી ગુણની રક્ષા અને દોષનો વિગમ વગેરે માટે ગુણવગુરુજનોના પાતંત્ર્યની અપેક્ષા હોય છે. સામા માણસના ગુણ પણ તેના પારતંત્રના સ્વીકાર માટે જોવાના છે. પરંતુ જેને બીજાના ગુણો જણાતા નથી અને પોતાના પણ ગુણદોષો જણાતા નથી એવા આત્માને ગુણવત્યારતંત્રનો વિચાર કરવાનો અવકાશ જ રહેતો નથી. બીજાના ગુણો તરફ દૃષ્ટિ જાય અને પોતાના ગુણ-દોષનું ભાન થાય તો ગુણવત્યારતંત્રનો થોડો પણ વિચાર કરી શકાય. ગુણની લાલચ લાગે અને દોષો પ્રત્યે નફરત જાગે ત્યારે ગુણવત્પાતંત્ર્ય માટે કહેવું નહિ પડે, સ્વાભાવિક જ તે ત્યારે પ્રાપ્ત થયેલું હશે. આ રીતે શ્લોકના પ્રથમ ત્રણ પાદથી ગુણવત્પાતંત્ર્યનો આદર કોણ કરતો નથી એ જણાવીને ચોથા પાદથી શ્લોકમાં, ગુણવત્યારતંત્ર્યનો આદર કોણ કરે છે તે જણાવ્યું છે. નજીકના કાળમાં જેને મહોદય-મોક્ષની પ્રાપ્તિ થવાની છે એવા આત્માઓ ગુણવત્યારતંત્ર્યનો આદર કરતા નથી એવું નથી અર્થાત્ તેઓ તેનો આદર કરે છે. મોક્ષની પ્રાપ્તિ નજીકમાં હોવાથી એવા આત્માઓની યોગ્યતા શ્રેષ્ઠ કક્ષાની હોય છે. સ્વભાવસિદ્ધ કર્મલઘુતાને લઈને એ આત્માઓને ગુણની પ્રાપ્તિ અને દોષની નિવૃત્તિ ખૂબ જ સરળતાથી થતી હોય છે. //૬-૨૮ ગુણવદ્ ગુરુજનોના પાતંત્ર્યથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે– गुणवबहुमानाद् यः कुर्यात् प्रवचनोन्नतिम् । અન્વેષાં વનોત્પસ્તસ્ય ચાલુતિઃ પરા દ્-૨૧ ૨૩૮ સાધુસામગ્રય બત્રીશી

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286