Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
स्वोचिते त्विति-स्वोचिते तु स्वशरीरकुटुम्बादेर्योग्ये तु । आरम्भे पाकप्रयले । निष्ठिते चरमेन्धनप्रक्षेपेणौदनसिद्ध्युपहिते । तत् स्वभोग्यातिरिक्तपाकशून्यतया सङ्कल्पनं स्वार्थमुपकल्पितमन्न “मितो मुनीनामुचितेन दानेनात्मानं कृतार्थयिष्यामि” इत्याकारं । नाविशुद्धिमद् न दोषान्वितं । तदर्थं साध्वर्थं । कृतिराद्यपाकः, निष्ठा च चरमः पाकः, ताभ्यां निष्पन्नायां चतुर्भङ्ग्यां तदर्थं कृतिस्तदर्थं निष्ठा, अन्यार्थं कृतिस्तदर्थं निष्ठा, तदर्थं कृतिरन्यार्थं निष्ठा, अन्यार्थं कृतिरन्यार्थं च निष्ठा, इत्येवंरूपायां द्वयोर्भङ्गयो-र्ग्रहाच्छुद्धत्वेनोपादानात् । तदुक्तं - "तस्स कडं तस्स निट्ठीयं चउभंगो तत्थ दु चरिमा सुद्धा" । यदि च साध्वर्थं पृथिव्याद्यारम्भप्रयोजकशुभसङ्कल्पनमपि गृहिणो दुष्टं स्यात्तदा साधुवन्दनादियोगोऽपि तथा स्यादिति न किञ्चिदेतत् । तदिदमुक्तं - “स्वोचिते तु यदारम्भे तथासङ्कल्पनं क्वचित् । न दुष्टं शुभभावસ્વાત્તેચ્છુન્દ્વાપરવો વત્ |9||* ||૬-૧૭||
“પોતાના માટે ઉચિત એવો આરંભ કરાયે છતે અને સમાપ્ત કરાયે છતે તેવો સંકલ્પ અવિશુદ્ધ નથી. કારણ કે સાધુ માટે આરંભ અને સમાપ્તિ એ બે પદના કારણે થનારા ચાર ભાંગામાં બે ભાંગે પિંડ ગ્રહણ કરી શકાય છે.” આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
ન
આશય એ છે કે, ગૃહસ્થે પોતાનાં શરીર અને કુટુંબાદિ માટે રાંધવાની ક્રિયાનો આરંભ કરેલો અને છેલ્લું બળતણ નાંખવાદિની ક્રિયા વડે ભાત વગેરે રંધાઇ જાય. આ રીતે પોતાના અને પોતાના કુટુંબાદિ માટે શરૂ કરીને પૂર્ણ કરેલી રાંધવા વગેરેની ક્રિયા વડે પિંડ તૈયાર થયે છતે પોતાના અને પોતાના કુટુંબ માટેના પિંડથી અતિરિક્ત પિંડ ન હોવાથી ગૃહસ્થ એ વખતે સંકલ્પ કરે છે કે ‘આ અમારા માટે ખાવાનું તૈયાર થઇ ગયું છે. આમાંથી મુનિભગવંતોને સુપાત્રદાન આપી પોતાના આત્માને કૃતાર્થ કરું' - આવો સંકલ્પ અવિશુદ્ધ નથી અર્થાત્ આવો પિંડ સંકલ્પિત મનાતો નથી. કારણ કે સાધુ માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા (સમાપ્તિ); આ બે પદોથી થતા ચાર ભાંગામાં બે ભાંગા શુદ્ધ હોવાથી તે સંબંધી પિંડ ગ્રાહ્ય બને છે. સાધુ માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા. બીજા માટે આરંભ અને સાધુ માટે નિષ્ઠા. સાધુ માટે આરંભ અને બીજા માટે નિષ્ઠા, તેમ જ બીજા માટે આરંભ અને બીજા માટે નિષ્ઠા - આ ચાર ભાંગામાં છેલ્લા બે ભાંગા શુદ્ધ માનેલા છે. આ પ્રમાણે અન્યત્ર પણ કહ્યું છે કે ‘સાધુ માટે કરેલું(આરંભેલું) અને સાધુ માટે નિતિ(પૂર્ણ કરેલું). - આવી રીતે ચાર ભાંગા થાય. એમાંથી છેલ્લા બે શુદ્ધ છે.’ આવી રીતે પોતાના માટે થઇ ગયેલા પિંડને સાધુભગવંતોને આપવાનો સંકલ્પ કરવામાં કોઇ દોષ નથી. એ પરિણામ પૃથ્વીકાયાદિના વધાદિનો નથી, પરંતુ દાતાનો એ શુભપરિણામ છે. પોતાના માટે બનાવેલા પિંડમાંથી આ રીતે પૂ. સાધુભગવંતોને આપીને પોતાના આત્માને કૃતાર્થ બનાવવાનો સંકલ્પ; પૃથ્વીકાયાદિના આરંભનો પ્રયોજક ન હોવા છતાં જો દુષ્ટ મનાય તો પૂ. સાધુમહાત્માને વંદનાદિ કરવાનો સંકલ્પ પણ દુષ્ટ મનાશે. તેથી આવા પ્રકારના સંકલ્પને પણ દુષ્ટ માનવાનું સાવ જ તુચ્છ છે. આ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે પોતાને ઉચિત એવો એક પરિશીલન
૨૨૫