Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પિંડને દુષ્ટ માનનાર માટે યોગ્ય નથી અથવા તો યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવો જોઇએ. એટલે કે ચોક્કસ રીતે અમુક અર્થીને આશ્રયીને બનાવેલ પિંડ પરિહરણીય છે. ઇત્યાદિ સ્પષ્ટ રીતે કહેવું જોઇએ. અન્યથા જે વસ્તુનો સંભવ નથી એને જણાવવાના કા૨ણે આપ્ત પુરુષોને અનામ માનવાનો પ્રસંગ આવશે.’... ઇત્યાદિ અષ્ટકપ્રકરણથી સમજી લેવું જોઇએ. ॥૬-૧૫॥ ઉપર્યુક્ત શંકાનું સમાધાન કરાય છે—–
उच्यते विषयोऽत्रायं भिन्ने देये स्वभोग्यतः । सङ्कल्पनं क्रियाकाले दुष्टं पुष्टमियत्तया ॥६- १६ ॥
उच्यत इति - अत्रायं विषय उच्यते । यदुत क्रियाकाले पाकनिवर्तनसमये । स्वभोग्यादात्मीयभोगार्हादोदनादेर्भिन्नेऽतिरिक्त देये ओदनादौ । इयत्तया " एतावदिह कुटुम्बाय एतावच्चार्थिभ्यः पुण्यार्थं चेति” विषयतया । पुष्टं संवलितं । सङ्कल्पनं दुष्टं । तदाह - " विभिन्नं देयमाश्रित्य स्वभोग्याद्यत्र वस्तुनि । સત્વન ઝિયાળાને તત્ક્રુષ્ટ વિષયોડનયોઃ ||9||” II૬-૧૬।।
“યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડનો વિષય કહેવાય છે. રાંધતી વખતે પોતાને વાપરવા માટેના ભાત વગેરે કરતાં વધારાના દાન માટેના ભાત વગેરેમાં, ‘આટલા કુટુંબ માટે અને આટલા અર્થીઓ અને પુણ્ય માટે' - આ રીતે વિષયના વિભાગથી યુક્ત જે સંકલ્પ છે, તેનાથી યુક્ત પિંડ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે.
-
એનો આશય સમજી શકાય છે કે રાંધતી વખતે જ પોતાના વપરાશ કરતાં વધારે પ્રમાણમાં રાંધવા લીધેલા પિંડમાં ઉપર જણાવ્યા મુજબ વિષયવિભાગ કરીને જે પિંડ તૈયાર થયો હોય તે યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડના નિષેધનો વિષય સમજવો. એ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે - પોતાના માટે ઉપયોગમાં લેવાના ઓદનાદિ(ભાત વગેરે)થી જુદા દાન માટેના વધારાના ભાત વગેરેમાં રાંધતી વખતે; ‘આટલું કુટુંબ માટે અને આટલું સકલ અર્થી કે પુણ્ય માટે' - આ પ્રમાણે સંકલ્પ કરવો તે દુષ્ટ છે. આ યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડના વિષય છે. આથી સમજી શકાશે કે શ્રી દશવૈકાલિકસૂત્રમાં જણાવ્યા મુજબના એ નિષેધ પણ પિંડવિશેષને આશ્રયીને છે. સત્તરમા શ્લોકથી આ વાત સ્પષ્ટ થશે. II૬-૧૬॥
ઉપર જણાવેલો યાવદર્થિક અને પુણ્યાર્થિક પિંડ અગ્રાહ્ય છે, તેનાથી બીજો પિંડ ગ્રાહ્ય છે. યાવદર્થિક વગેરે પિંડ સર્વ સામાન્ય રીતે દુષ્ટ નથી પરંતુ ઉપર જણાવ્યા મુજબ રાંધતી વખતે જે વિષય-વિભાગથી યુક્ત પિંડ છે તે દુષ્ટ છે - એ આ પૂર્વે જણાવ્યું છે. હવે જે પિંડ દુષ્ટ - અગ્રાહ્ય નથી તે જણાવાય છે—
૨૨૪
स्वोचिते तु तदारम्भे निष्ठिते नाविशुद्धिमत् । तदर्थकृतिनिष्ठाभ्यां चतुर्भङ्ग्यां द्वयोर्ग्रहात् ॥६- १७॥
સાધુસામય બત્રીશી