Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તે ભિક્ષામાં આ ભિક્ષાનું લક્ષણ સમન્વિત થતું ન હોવાથી તેમાં અતિવ્યાપ્તિ આવતી નથી. જેનું લક્ષણ કરાય છે તેના સિવાય બીજે પણ લક્ષણ સમન્વય થાય તો તે લક્ષણ અતિવ્યાપ્તિ દોષથી દુષ્ટ મનાય છે. એવું અહીં બનતું નથી. II૬-૧૧ હવે ત્રીજી વૃત્તિભિક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે–
क्रियान्तरासमर्थत्वप्रयुक्ता वृत्तिसंज्ञिका ।
दीनान्धादिष्वियं सिद्धपुत्रादिष्वपि केषुचित् ॥६-१२॥ क्रियान्तरेति-क्रियान्तरासमर्थत्वेन प्रयुक्ता, न तु मोहेन चारित्रशुद्धीच्छया वा । वृत्तिसंज्ञिका भिक्षा भवति । इयं च दीनान्धादिषु संभवति । यदाह-“निःस्वान्धपङ्गवो ये तु न शक्ता वै क्रियान्तरे । भिक्षामटन्ति वृत्त्यर्थं वृत्तिभिक्षेयमुच्यते ।।१।। नातिदुष्टापि चामीषामेषा स्यान्न ह्यमी तथा । अनुकम्पानिमित्तत्वाद्धर्मलाघवकारिणः ॥२॥ तथा सिद्धपुत्रादिष्वपि केषुचिवृत्तिभिक्षा सम्भवति । आदिना सारूपिकग्रहः । दीनादिपदाव्यपदेश्यत्वाच्चैषां पृथगुक्तिः । श्रूयन्ते चोत्प्रवजिता अमी जिनागमे भिक्षुका यतो व्यवहारचूामुक्तं-“जो अणुसासिओ ण पडिनियत्तो सो सारूविअत्तणेण वा सिद्धपुत्तत्तणेण वा अच्छउ कंचिकालं । साविओ णाम सिरमुंडो अरजोहरणो अलाउयाहिं भिक्खं हिंडइ अभज्जो अ । सिद्धपुत्तो णाम सबालओ भिक्खं हिंडइ वा णवा वराडएहिं वेठलिअं करेइ ललुि वा धरेतित्ति” । केषुचिदित्यनेन ये उत्प्रवजितत्वेन क्रियान्तरासमर्थास्ते गृह्यन्ते । येषां पुनरत्यन्तावद्यभीरूणां संवेगातिशयेन प्रव्रज्यां प्रति प्रतिबद्धमेव मानसं तेषामाद्यैव भिक्षा । एतद्व्यतिरिक्तानामसदारम्भाणां च पौरुषघ्नयेव । तत्त्वं पुनरिह केवलिनो विदन्तीति अष्टकवृत्तिकृद्वचनं च तेषां नियतभावापरिज्ञानसूचकमित्यवधेयम् ॥६-१२।।
“ભિક્ષા સિવાયની અન્ય ક્રિયા કરવાનું સામર્થ્ય ન હોવાના કારણે જે ભિક્ષા ગ્રહણ કરાય છે તેને “વૃત્તિ' નામની ભિક્ષા કહેવાય છે. દીન, અંધ વગેરેને આ ભિક્ષા હોય છે. તેમ જ કેટલાક સિદ્ધપુત્રાદિને પણ આ ભિક્ષા હોય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. એનો ભાવાર્થ સ્પષ્ટ છે કે ભિક્ષા ગ્રહણ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોવાથી જ વૃત્તિભિક્ષા થતી હોય છે. મોહથી અથવા ચારિત્રની શુદ્ધિની ઇચ્છાથી આ ભિક્ષા ગ્રહણ કરાતી નથી.
શ્રી અષ્ટકપ્રકરણમાં આ ત્રીજી ભિક્ષાનું વર્ણન કરતી વખતે જણાવ્યું છે કે “જેઓ અન્ય ક્રિયા કરવા માટે અસમર્થ છે, તેવા નિર્ધન, અંધ અને પંગુ વગેરે લોકો પોતાના જીવનનિર્વાહ માટે ભિક્ષાએ ફરે છે, તે ભિક્ષાને વૃત્તિભિક્ષા કહેવાય છે.” “આવા જીવો માટે આ ભિક્ષા, પૌરુષબીભિક્ષાની જેમ અત્યંત દુષ્ટ નથી. કારણ કે એ ભિક્ષા અનુકંપાનું નિમિત્ત હોવાથી આ લોકો ધર્મની લઘુતાને કરનારા હોતા નથી.” તેમ જ આવી ભિક્ષા કેટલાક સિદ્ધપુત્ર અને સારૂપિકને પણ હોય છે. દીન, અંધ, પંગુ કે દરિદ્ર વગેરે જીવોમાં સિદ્ધપુત્રાદિની ગણના હોવાથી “સિદ્ધપુત્રષ્યિ ' - આ પ્રમાણે શ્લોકમાં તેમનું સ્વતંત્ર ઉપાદાન કર્યું છે.
એક પરિશીલન
૨૧૯