Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આવા સ્થળે જ તત્ત્વસંવેદનશાનનો પ્રાદુર્ભાવ હોય છે. બીજે એનો સંભવ નથી. શ્રી અષ્ટકપ્રકરણમાં આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “નિરપેક્ષ પ્રવૃત્તિ વગેરે જેનું લિંગ છે, તે વિષયપ્રતિભાસજ્ઞાન છે. તેવા પ્રકારની સંક્લેશથી રહિત પ્રવૃત્તિ વગેરે જેનું લિંગ છે, તે આત્મપરિણતિમદ્ જ્ઞાન છે અને ન્યાય-મોક્ષમાગદિને વિશે શુદ્ધ વૃત્તિ વગેરેથી જણાતું તત્ત્વસંવેદનશાન છે.” I૬-દી
ननु क्वैतानि लिङ्गान्युपयुज्यन्ते इत्यत आह
ઉપર જણાવેલાં નિષ્કપ-પાપપ્રવૃત્તિ વગેરે લિંગોનો ક્યાં ઉપયોગ છે - આવી શંકાનું સમાધાન કરાય છે–
जातिभेदानुमानाय व्यक्तीनां वेदनात् स्वतः ।
तेन कर्मान्तरात् कार्यभेदेऽप्येतद् भिदाऽक्षता ॥६-७॥ जातीति-जातिभेदस्य निष्कम्पपापप्रवृत्त्यादिजनकतावच्छेदकस्याज्ञानादिगतस्य अनुमानाय उक्तानि लिङ्गानीति सम्बन्धः । व्यक्तीनामज्ञानादिव्यक्तीनां स्वतो लिङ्गनैरपेक्ष्येणैव वेदनात् परिज्ञानात् । तेन कर्मान्तरात् चारित्रमोहादिरूपादुदयक्षयोपशमावस्थानवस्थितात् । कार्यभेदेऽपि सावधानवद्यप्रवृत्तिवैचित्र्येऽपि । तद्विदाऽज्ञानादिभिदाऽक्षता । प्रवृत्तिसामान्य ज्ञानस्य हेतुत्वात्तद्वैचित्र्येणैव तद्वैचित्र्योपपत्तेः । प्रवृत्तौ कर्मविशेषप्रतिबन्धकत्वस्यापि हेतुविशेषविघटनं विनाऽयोगात् । वस्तुतः कार्यस्वभावभेदे कारणस्वभावभेदः सर्वत्राप्यावश्यकः, अन्यथा हेत्वन्तरसमवधानस्याप्यकिञ्चित्करत्वादिति विवेचितमन्यत्र ।।६-७।।
“અજ્ઞાન, જ્ઞાન અને સજ્ઞાન: આ ત્રણનું જ્ઞાન તેના લિંગાદિની અપેક્ષા વિના જ થતું હોવાથી એ ત્રણની અંદર રહેલી અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ અને સજ્ઞાનત્વ સ્વરૂપ જે જાતિવિશેષ છે, તેના અનુમાન માટે ઉપર જણાવેલાં લિંગો છે. તેથી કર્માતરને લઈને કાર્યભેદ(વિશેષ)ની સિદ્ધિ થવા છતાં અજ્ઞાનાદિનો ભેદ અક્ષત જ છે.” - આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી પ્રવૃત્તિમાત્રની પ્રત્યે જ્ઞાન કારણ હોવાથી ઉપર જણાવેલાં અજ્ઞાનાદિસ્થળે જ્ઞાન સામાન્ય તો સિદ્ધ જ હોવાથી અજ્ઞાનાદિ જ્ઞાનસામાન્ય સ્વરૂપે જ્ઞાત છે. પરંતુ નિષ્કપપાપપ્રવૃત્તિ, સકંપપાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ વિશેષના કારણ સ્વરૂપ જ્ઞાનમાં જે અજ્ઞાનત્વ, જ્ઞાનત્વ અને અજ્ઞાનત્વ સ્વરૂપ ધર્મવિશેષ છે તેના જ્ઞાન માટે તે તે પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ લિંગોની ઉપયોગિતા છે. અજ્ઞાનાદિ સ્વરૂપ જ્ઞાનમાં કોઈ પણ જાતિવિશેષ ન હોય તો તે પ્રવૃત્તિવિશેષ(નિષ્કપ પાપપ્રવૃત્તિવિશેષાદિ)નું કારણ નહિ બને. એ પ્રવૃત્તિવિશેષના જનક (કારણ) તરીકે જ્ઞાનવિશેષને જે ધર્મના લીધે મનાય છે, તે તે અજ્ઞાનત્વ વગેરે ધર્મો અહીં જનકતાવચ્છેદક તરીકે મનાય છે. અજ્ઞાનાદિમાં રહેલી જનકતાના અવચ્છેદક તરીકે અજ્ઞાનત્વ વગેરેને મનાય છે. તેનું અનુમાન કરવા માટે નિષ્ઠાપાપપ્રવૃત્તિ વગેરે લિંગો ઉપયોગી બને છે.
એક પરિશીલન
૨૧૩