Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અસદૂભૂત અર્થના વિષયવાળું હોવાથી ખરી રીતે એ સંભવતું જ નથી. તેથી તે અસંભવિત ચિત્તનો અભાવ હોવાથી પરમાત્મા મહાન નથી – એ કથન અયુક્ત છે. //૪-૨૩
તથાદિબીજાએ માનેલું કુશલ ચિત્ત અસંભવિત છે – એ જણાવાય છે–
स्वधर्मादन्यमुक्त्याशा तदधर्मसहिष्णुता ।
यद्वयं कुशले चित्ते तदसम्भवि तत्त्वतः ॥४-२४॥ स्वधर्मादिति-स्वधर्मादन्येषां जगत्प्राणिनां मुक्त्याशा मुक्तिवाञ्छा । तेषामन्येषां येऽधर्मा दुर्गतिहेतवस्तेषां सहिष्णुता स्वस्मिंस्तत्फलापत्त्या परदुःखपरजिहीर्षालक्षणा । यदेतद्वयं कुशले चित्ते विषयीभवति । तत्तत्त्वतोऽसम्भवि बुद्धानां निर्वृतिप्रतिपादनात् । गङ्गावालुकासमा बुद्धा निर्वृता इति परेषामागमव्यवस्थितेः स्वान्यधर्माधर्मयोः परेषु स्वस्मिंश्चोपसङ्क्रमे तदयोगात् । यदि चैवमसद्भूतार्थविषयं कुशलचित्तं प्रामाणिकं स्यात्तदा-"मय्येव निपतत्वेतज्जगदुश्चरितं यथा । मत्सुचरितयोगाच्च मुक्तिः स्यात्सर्वदेहिनाम् ।।१।।” इतिवद् “अज्ञानानां यदज्ञानमास्तां मय्येव तत्सदा । मदीयज्ञानयोगाच्च चैतन्यं તેષુ સર્વલા Iકા” ત્યપ પરેજી પનીર્થ યાત્ II૪-૨૪
પોતાના ધર્મથી અન્ય જીવોની મુક્તિની આશા (ઇચ્છા) અને તે જીવોના અધર્મને સહન કરી લેવાની ભાવના : એ બંન્ને (પરંપરિકલ્પિત) કુશલ ચિત્તના વિષય મનાય છે. પરંતુ તે વાસ્તવિક રીતે સંભવિત નથી.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે માયાપુત્રીય કુશલચિત્તની કલ્પના એ રીતે કરી છે કે – “પોતાના ધર્મના કારણે જગતના બધા જ પ્રાણીઓ મુક્ત થાય અને દુર્ગતિના કારણભૂત જે અધર્મ તેમણે આચર્યો છે તેનું ફળ મને મળે - આ રીતે તેમનાં દુઃખો દૂર કરવાની અને તેમને મુક્ત બનાવવાની જે ઇચ્છા છે, તે બે ઇચ્છાથી યુક્ત ચિત્ત કુશલચિત્ત છે.
પરંતુ એ કુશલચિત્ત વાસ્તવિક રીતે સંભવિત નથી. કારણ કે તેમના જ ગ્રંથોમાં બુદ્ધોની (તત્ત્વજ્ઞાતાઓની) મુક્તિ જણાવી છે. ગંગાનદીની રેતીના કણો પ્રમાણ બુદ્ધો નિર્વાણ પામ્યા છે – આવી વ્યવસ્થા તેમના આગમમાં જણાવી છે. સ્વધર્મનો અન્ય જીવોમાં અને અન્ય જીવોના અધર્મનો સ્વમાં ઉપસક્રમ થતો હોત તો બધાની જ મુક્તિ થતી હોવાથી બુદ્ધોની જ મુક્તિ વર્ણવવાનું સંગત નહીં થાય, બધાની જ મુક્તિ વર્ણવવી પડત. આમ છતાં માત્ર ભાવનાના કારણે (વાસ્તવિક રીતે નહિ) જ અસભૂત અર્થના વિષયવાળું ચિત્ત (કુશલચિત્ત) પ્રામાણિક માનવું હોય તો; “આ જગતનું દુશરિત્ર (અધમ, મારામાં જ પડે (સંક્રમિત થાય) અને તેવી જ રીતે મારા સચ્ચારિત્ર(ધમ)ના યોગે બધા પ્રાણીઓની મુક્તિ થાય” - આની જેમ નીચે જણાવ્યા મુજબ પણ બોલવું પડશે. “અજ્ઞાનીઓનું જે અજ્ઞાન છે તે સદાને માટે મારામાં સંક્રમિત ૧૫૮
જિનમહત્વ બત્રીશી