Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્રી અરિહંતપરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મા બને છે તે દષ્ટાંતપૂર્વક જણાવાય છે–
आत्मायमर्हतो ध्यानात् परमात्मत्वमश्नुते ।
રવિન્દ્ર યથા તામ્ર સ્વત્વથાચ્છિતિ I૪-રૂવા આ આત્મા શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણું પ્રાપ્ત કરે છે. રસથી વિદ્ધ તાંબું જેમ સુવર્ણપણું પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી પરમતારક મોક્ષસાધનાના પ્રારંભથી માંડીને શ્રી સિદ્ધપદની પ્રાપ્તિ સુધીની આત્માની અનેકવિધ અવસ્થાનો વિચાર કરીએ તો શ્રી અરિહંત પરમાત્માના પરમતારક ધ્યાનનું સ્વરૂપ સારી રીતે સમજી શકાશે. શ્રી અરિહંત પરમાત્માની પરમતારક આજ્ઞાના પાલનમાં; આત્મા પોતાની ભૂમિકા મુજબ ઉપયોગ રાખે તો ક્રમે કરીને શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન પ્રાપ્ત કરી શકશે. પોતાની ભૂમિકા મુજબ તે તે વિહિત પ્રવૃત્તિ કરતી વખતે આજ્ઞાપાલનનો જે સતત ઉપયોગ છે, તે શ્રી અરિહંતપરમાત્માનું ધ્યાનવિશેષ છે. પરમપ્રકૃષ્ટ એ ધ્યાન જ આત્માને પરમાત્મપણું પ્રાપ્ત કરાવે છે. માર્ગોનુસરણ, સમ્યગ્દર્શન, વિરતિ અને સામર્થ્યયોગ તેમ જ શૈલેશી અવસ્થા : આ બધાનો વિચાર કરવાથી ધ્યાનની પ્રારંભઅવસ્થાથી પરાકાષ્ઠા સુધીની સ્થિતિનો સામાન્ય ખ્યાલ આવશે. દષ્ટાંતમાં જણાવેલા રસના સ્થાને શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન છે. આત્મા તાંબાના સ્થાને છે. અને પરમાત્મપણું – એ સુવર્ણત્વના સ્થાને છે. તાંબું જ સોનું થાય છે તેમ આત્મા જ પરમાત્મા બને છે. તેમાં શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન મુખ્ય કારણ છે. ૪-૩૦ના - શ્રી અરિહંત પરમાત્માના જ ધ્યાનથી પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે એ ચોક્કસ થયે છતે જે કર્તવ્ય છે તે જણાવાય છે
पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् ।
अस्यैव शासने भक्तिः कार्या चेच्चेतनाऽस्ति वः ॥४-३१॥ શ્લોકાર્ધ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી વીતરાગપરમાત્માની ઉપાસનાને છોડીને બીજો કોઇ જ ઉપાય પરમપદની પ્રાપ્તિ માટે ન હોવાથી; પરમપદના પ્રાપક શ્રી વીતરાગપરમાત્મા જ મહાન છે. બુદ્ધાદિ કોઈ પણ મહાન નથી. તેથી આ શ્રી વીતરાગપરમાત્મા જ પૂજય છે, આ પરમાત્મા જસ્મરણીય છે અને આ પરમાત્મા જ આદરપૂર્વકસેવનીય છે. શ્રી અરિહંતપરમાત્માની જ તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ અષ્ટપ્રકારી વગેરે દ્રવ્યપૂજા અને ચૈત્યવંદનાદિ સ્વરૂપ ભાવપૂજા કરવી જોઈએ. તેમ જ દરેક ધર્માનુષ્ઠાનાદિ કરતી વખતે શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાનું મુખ્યપણે સ્મરણ કરવા દ્વારા તેઓશ્રીનું સ્મરણ કરવું જોઈએ. અને જ્યારે પણ આજ્ઞા
એક પરિશીલન
૧૬૩