Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છીએ. તેથી પ્રતિમાજી ભરાવતી વખતે એ રીતે ધ્યાન રાખી શિલ્પીને ખુશ રાખવો જોઈએ - એ પરમાર્થ છે. I૫-૧all શ્રી જિનબિંબ કરાવતી વખતે જે વિશેષ વિધિ કરવાનો છે તે જણાવાય છે–
स्ववित्तस्थेऽन्यवित्ते तत्पुण्याशंसा विधीयते ।
मन्त्रन्यासोऽर्हतो नाम्ना स्वाहान्तः प्रणवादिकः ॥५-१४॥ स्ववित्तस्थ इति-स्ववित्तस्थे कथञ्चित्स्वधनान्तः प्रविष्टे परवित्ते सति । तस्य परस्य पुण्याशंसा, अत्रस्थात्परधनांशात् परस्यापि पुण्यं भवत्वितीच्छारूपा विधीयते । एवं हि परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलाषाभावशुद्धं न्यायार्जितं वित्तं भवतीति । तदिदमुक्तम्-“यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् । भवतु शुभाशयकरणादित्येतद्भावशुद्धं स्यात् ॥१॥ इति । तथाऽर्हतोऽधिकृतस्य नाम्ना मध्यगतेन प्रणवादिकः स्वाहान्तश्च मन्त्रन्यासो विधीयते । मननत्राणहेतुत्वेनास्यैव परममन्त्रत्वात् । यदाह-“मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम । मन्त्रः परमो ज्ञेयो મનનત્રાળ હતો નિયમાન્ 19 રૂતિ I4-9૪.
પોતાના ધનમાં ગમે તે રીતે બીજાનું ધન હોતે છતે તે વ્યક્તિને તેના પ્રમાણમાં પુણ્ય પ્રાપ્ત થાઓ – આવી ઇચ્છા સ્વરૂપ આશંસા, પ્રતિમાજી ભરાવતી વખતે કરાય છે. શ્રી અરિહંત પરમાત્માના નામ સાથે ૐ છે શરૂઆતમાં જેના અને સ્વાહા છે અંતમાં જેના એવો મંત્રજાસ કરાય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રતિમાજી ભરાવવા માટે ન્યાયોપાત્ત સ્વદ્રવ્યનો ઉપયોગ કરવાનો છે. કોઈ કારણે એ ધનમાં જો પરધન આવી ગયું હોય તો આ પ્રતિમાજીના નિર્માણકાર્યથી તે ધનના સ્વામી(બીજા)ને પણ પુણ્ય પ્રાપ્ત થાઓ આવી ઇચ્છા રાખવી જોઈએ. આ રીતે પોતાના ધનમાં પ્રવેશેલા(આવી ગયેલા) બીજાના ધનથી પુણ્ય કરવાની ઇચ્છાનો અભાવ હોવાથી, ન્યાયથી ઉપાર્જેલું ધન ભાવશુદ્ધ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – “અહીં પ્રતિમાજીના નિર્માણમાં જે સ્વરૂપે જેટલા પ્રમાણમાં જેનું વિર(ધન) મારા વિત્તમાં જાણે-અજાણે આવી ગયું છે, તે પુરુષને તેટલા પ્રમાણમાં, પ્રતિમાજીના નિર્માણથી ઉત્પન્ન થયેલું પુણ્ય પ્રાપ્ત થાઓ ! - આ પ્રમાણે શુભાશય કરવાથી પ્રતિમાજીના નિર્માણ માટેનું ન્યાયપ્રાપ્ત વિત્ત ભાવશુદ્ધ બને છે. (૭-૧૦)” આવા ભાવશુદ્ધ સ્વદ્રવ્યથી પ્રતિમાજીનું નિર્માણકાર્ય કરાવવું.
તેમ જ અધિકૃત (કોઈ એક) શ્રી તીર્થંકર પરમાત્માનું નામ જેના મધ્યભાગમાં છે અને ૐ તથા સ્વાહા અનુક્રમે જેના પ્રારંભે અને પ્રાંતે છે એવો ( 7ષમા સ્વાહા.. ઇત્યાદિ) મંત્રન્યાસ કરવો જોઈએ. કારણ કે મનન કરવા માત્રથી રક્ષા કરતો હોવાથી તે જ પરમ મંત્ર
૧૭૮
ભક્તિ બત્રીશી