Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રતિષ્ઠા પછી પૂજાનું નિરૂપણ શરૂ કર્યું છે. તેમાં પુષ્પાદિપૂજાનું નિરૂપણ કર્યું. હવે સ્તોત્રપૂજાનું નિરૂપણ કરાય છે
पिण्डक्रियागुणोदारैरेषा स्तोत्रैश्च सङ्गता ।
પાર્ટી િસચાણાનપુર:-૨૪ના पिण्डेति-पिण्डं शरीरमष्टोत्तरलक्षणसहस्रकलितं । क्रिया आचारो दुर्वारपरीषहोपसर्गजयलक्षणः । गुणाः श्रद्धाज्ञानविरतिपरिणामादयः, केवलज्ञानदर्शनादयश्च । तैरुदारैर्गम्भीरैः । पापानां रागद्वेषमोहपूर्वं स्वयं-कृतानां । गर्दा भगवत्साक्षिकनिन्दारूपा तया परैः प्रकृष्टैः । सम्यक् समीचीनं यत् प्रणिधानमैकाग्र्यं તપુર:સરે: સ્તોત્રજ | gષા પૂળા / સતી ll૧-૨૪
“શરીર, ક્રિયા અને ગુણોના વર્ણનથી ગંભીર, પોતાના પાપની ગહ કરવામાં તત્પર અને સારી રીતે કરાતા પ્રણિધાનપૂર્વકનાં સ્તોત્રોથી આ પૂજા સંગત છે.” - આ પ્રમાણે ચોવીસમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યોથી જેમ પૂજા કરાય છે તેમ ઉત્તમ સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. એક હજાર આઠ લક્ષણોથી અને અદ્ભુતરૂપાદિથી યુક્ત શરીરને પિંડ કહેવાય છે. દુઃખે કરીને જેનું નિવારણ કરી શકાય એવા પરીસહ અને ઉપસર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરવા વગેરે સ્વરૂપ આચારને ક્રિયા કહેવાય છે. શ્રદ્ધા, જ્ઞાન, વિરતિ વગેરે પરિણામ સ્વરૂપ ગુણો છે. પિંડ, ક્રિયા અને ગુણોના વર્ણનથી ગંભીર એવાં સ્તોત્રો દ્વારા પરમાત્માની સ્તોત્રપૂજા કરવી જોઇએ. તેમ જ રાગ, દ્વેષ અને મોહપૂર્વક પોતે કરેલાં પાપોની ભગવંતાદિની સાક્ષીએ કરાતી નિંદાને પાપગઈ કહેવાય છે. એ ગહ વખતે કેવો પાપી છું અને પરમાત્મા કેવા પાપરહિત છે'... ઇત્યાદિ પ્રકારના ભાવથી વાસિત હોવાથી પાપગઈથી યુક્ત એવાં સ્તોત્રો પ્રવૃષ્ટ હોય છે. એવાં સ્તોત્રોથી પૂજા કરવી જોઈએ. આ સ્તોત્રો પણ સારી રીતે સુંદર પ્રણિધાન(એકાગ્રતા)પૂર્વક બોલવાનાં હોવાથી આ પૂજા સમ્યક્મણિધાનપુરસર સ્તોત્રોથી થતી હોય છે. એવી સ્તોત્રપૂજા સંગત છે અર્થાત્ ફળને આપનારી છે.
શ્રી ષોડશકપ્રકરણમાં સ્તોત્રનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે(૧) પિંડ, ક્રિયા અને ગુણને જણાવનારાં. (૨) અર્થગંભીર. (૩) છંદ અને અલંકારોની રચનાના કારણે વિવિધ વર્ણવાળાં. (૪) આશયશુદ્ધિને કરનારાં. (૫) સંવેગ પ્રાપ્ત કરાવનારાં. (૬) પરમપવિત્ર. (૭) પોતાના પાપનું નિવેદન કરનારાં.
એક પરિશીલન
૧૯૫