Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે કે પ્રતિમાજીના કોઈ અવયવનો નાશ થવાથી તે પ્રતિમાંતર છે; એમ ચિંતામણિકાર માને છે. તેવા પ્રસંગે પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી ન હોવાથી તેનો ધ્વંસ પણ હોતો નથી અને આમ છતાં પ્રતિમાજીને તેઓ પૂજય માને છે. આથી સમજી શકાશે કે પ્રતિષ્ઠાના ધ્વસમાં પૂજાદિ ફળની પ્રયોજકતા માને તો વિનષ્ટઅવયવવાળી પ્રતિમામાં પૂજયત્વ માની શકાશે નહીં.
યદ્યપિ સંસ્કૃત વ્રીહિમાં તે ખંડિત થવા છતાં તેમાં જેમ સંસ્કૃતત્વની બુદ્ધિ થાય છે; તેમ કોઈ અવયવ નાશ પામવાના કારણે પ્રતિમાંતરની ઉત્પત્તિ થવા છતાં ત્યાં તે પ્રતિમા પ્રતિષ્ઠિત છે; તેવી (પ્રતિષ્ઠિતત્વની) બુદ્ધિ થાય છે. તે બુદ્ધિના સામર્થ્યથી જ તે પ્રતિમામાં પૂજયત્વ મનાય છે, તેથી કોઈ દોષ નથી. પરંતુ આ રીતે પ્રતીતિના બળે જો પદાર્થની સિદ્ધિ માને તો નિત્યસ્વાદિ અનેક ધર્મોથી યુક્ત એવી શબલ વસ્તુને માનવાનો પણ તેમને પ્રસંગ આવશે, કારણ કે દ્રવ્યસ્વરૂપે વસ્તુ નિત્ય છે અને પર્યાયસ્વરૂપે તે અનિત્ય છે...ઇત્યાદિ પ્રતીતિ સર્વસિદ્ધ છે. તેના સામર્થ્યથી સ્યાદ્વાદમુદ્રાએ વસ્તુને શબલ માનવામાં આવે તો તે લોકોને સ્વસિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવશે... ઈત્યાદિ સ્વયં સમજી લેવું. અત્યંત વિસ્તારથી સર્યું. પ-૧લા. પ્રતિષ્ઠાવિણંતર્ગત મંત્રજાસાદિને જણાવવા માટે વીસમો શ્લોક છે–
सम्प्रदायागतं चेह मन्त्रन्यासादियुक्तिमत् ।
अष्टौ दिनान्यविच्छित्या पूजा दानं च भावतः ॥५-२०॥ सम्प्रदायेति-इह प्रतिष्ठविधौ । मन्त्रन्यासादिकं च क्षेत्रसंशोधनाभिवर्षणादिनिष्पत्तये वायुमेघकुमारादिविषयं । सम्प्रदायागतं शिष्टपारम्पर्यायातं युक्तिमद्भवति । [परः प्राह'-इत्थं विशिष्टन्यायार्जने भावशुद्धनिष्पन्नबिम्बस्य स्थापनावसरे बल्यादि विघ्नोपशान्त्यर्थमापादनमसारं, भावशुद्धेनैव सिद्धेः, मैवं भावसत्यान्तरितस्थापनायां तत्प्राधान्यात्सत्यतातिशयेन स्वारसिकेनैव सिद्धेः । अत्र तूपचारादेव क्षेत्राधिष्ठातृप्रस्तुतशान्त्याद्यर्थं शासनोन्नतित्वेन विशेषाभ्युदयतासिद्धेरन्यथाप्रतिष्ठपत्तेः । केवलं भावसिद्धत्वे पद्मासनपर्यंकादिमुद्राविधीयमानत्वे सिद्धावस्थात्वे जलाभिषेकादिव्यवहृतित्वमनापत्ति यत्परैरुच्यते तन्न, तदेवाभिमतफलेप्सितावाप्तिपूर्वकज्ञायकसिद्धद्रव्यशरीरमत्त्वेनामरैरपि तद्विहितत्वात्सर्वसावद्यवृत्तिमतामनिष्टापत्तिर्भवितेत्यारेकापहारः । तस्मात्स्थापनात्वेऽवस्थान्तरकल्पनाविशेषादाववृद्ध्यैव विहितत्वात्तवापि सिध्येयेन स्थापनमपि अश्लीलं स्यादतो नैव शङ्काव्यभिचारित्वम्] अष्टौ दिनानि यावदविच्छित्या नैरन्तर्येण । पूजा बिम्बस्य । दानं च विभवानुसारेण शासनोन्नतिनिमित्तमिति ।।५-२०।।
“શિષ્ટમાન્ય પરંપરાથી આવેલ મંત્રન્યાસાદિ અહીં યુક્તિયુક્ત છે. આઠ દિવસ સુધી નિરંતર પ્રતિમાજીની પૂજા અને વાચકોને દાન ભાવપૂર્વક આપવું જોઈએ.” - આ પ્રમાણે વીસમાં શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ પ્રતિષ્ઠાવિધિમાં ક્ષેત્રશુદ્ધિ માટે અને પાણીની 9. માં પારો મૂકત () વિદ્યતે | ૧૯૦
ભક્તિ બત્રીશી