Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
नारकादिभवपरम्पराकारणं चैतद्वितीयं । यच्च तिर्यगादेः प्राग्जन्मोपात्तं तिर्यक्त्वाद्यशुभभावानुभवननिमित्तमनन्तरं च नरकादिहेतु तत्तृतीयं । तदनन्तरं देवादिगतिपरम्परानिमित्तं चैतच्चतुर्थमिति । यदाह-गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादधिकं नरः । याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।।१।। गेहाद्गेहान्तरं कश्चिच्छोभनादितरन्नरः । याति यद्वदसद्धर्मात्तद्वदेव भवाद्भवम् ।।२।। गेहाद्गेहान्तरं कश्चिदशुभादधिकं नरः । याति यद्वन्महापापात्तद्वदेव भवाद्भवम् ।।३।। गेहाद्गेहान्तरं कश्चिदशुभादितरन्नरः । याति यद्वत्सुधर्मेण तद्वदेव भवाद्भवम् ।।४।” अत्र चाद्यभङ्गवर्तिभगवत्पुण्यमनुभूतावशिष्टमप्युचितक्रियाप्रगुणमेवेति न दानादતાર્થત્વતિ ભાવનીયમ્ I૪-૧દ્દા
દાન આપવાના કારણે જ શ્રી અરિહંતપરમાત્મા અકૃતાર્થ છે અને તેથી તેમનામાં મહત્ત્વ નથી... આ પ્રમાણે જે કોઈ મંદબુદ્ધિવાળો કહે છે; તેને આ ઉત્તર છે કે શ્રી તીર્થંકરપરમાત્માનું પુણ્ય (તીર્થકર નામકર્મ) એ રીતે જ વિપાક બતાવે છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે દાન આપવાનું કાર્ય કરવાથી એ ચોક્કસ છે કે દાન આપવાનું જે ફળવિશેષ છે, એને પ્રાપ્ત કરવાની ઇચ્છા અવશ્ય હતી. તેથી ભગવાનનું પ્રયોજન સિદ્ધ ન હોવાથી ભગવાન અકૃતાર્થ હતા. અકૃતાર્થ મહાન ન હોય. મહાપુરુષો કૃતાર્થ-કૃતકૃત્ય હોય છે – આવી માન્યતાને ધરનારાને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે કે શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિનું કારણભૂત શ્રી તીર્થંકર નામકર્મ આ રીતે દાન આપવાથી જ પોતાના વિપાકને પ્રદર્શિત કરે છે. આ રીતે દાન આપ્યા વિના શ્રી તીર્થકર થવાતું નથી. શ્રી તીર્થંકરનામકર્મને લઇને તેઓશ્રી આ રીતે વાર્ષિક દાન આપે છે. પોતાના કલ્પથી(આચારથી) જ એ દાનની પ્રવૃત્તિ હોવાથી ત્યાં કોઈ પણ જાતના ફળ પ્રત્યે આશા નથી. તેથી ભગવાન શ્રી તીર્થંકરપરમાત્મા અકૃતાર્થ નથી – એ સૂચિત થાય છે. આ વાત શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવતી વખતે ફરમાવ્યું છે કે
ઉપર જણાવ્યા મુજબની શંકાનું સમાધાન જણાવાય છે – શ્રી તીર્થંકરનામકર્મના ઉદયથી સર્વ પ્રાણીઓના હિતમાં જ પરમાત્મા પ્રવર્તે છે. એ મુજબ વાર્ષિક દાન આપવાનો એક કલ્પ છે. પુણ્ય અને પાપના સામાન્યથી ચાર ભાંગા છે. ૧. પુણ્યાનુબંધી પુણ્ય, ૨. પાપાનુબંધી પુણ્ય, ૩. પાપાનુબંધી પાપ, ૪. પુણ્યાનુબંધી પાપ. એમાં પુણ્યાનુબંધી પુણ્ય મનુષ્યાદિને હોય છે. પૂર્વભવમાં ઉપાર્જેલું એ; મનુષ્યત્વાદિના શુભભાવનું કારણ હોવાથી પુણ્ય છે અને અનંતરભવમાં તે દેવાદિગતિની પ્રાપ્તિમાં કારણ હોવાથી પુણ્યાનુબંધી છે. આ પ્રથમ ભંગ (પુણ્યાનુબંધી પુણ્ય) છે. એ પુણ્ય અનંતર ભવમાં નરકાદિ ગતિની પરંપરાનું કારણ બને તો તે પાપાનુબંધી પુણ્ય (દ્વિતીય ભંગ) છે. તિર્યંચો વગેરેનું પૂર્વભવમાં ઉપાર્જેલું એ કર્મ તિર્યંચગતિનું કારણ હોવાથી પાપ-સ્વરૂપ છે. અને અનંતરભવમાં નરકાદિ ગતિની પ્રાપ્તિમાં કારણ હોવાથી પાપાનુબંધી છે. આ તૃતીય ભંગ (પાપાનુબંધી પા૫) છે. એ પાપ જો અનંતરભવમાં દેવાદિગતિની પરંપરાનું કારણ બને તો તે પુણ્યાનુબંધી પાપ સ્વરૂપ ચતુર્થ ભંગ
જિનમહત્ત્વ બત્રીશી
૧૫૦