Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉદારતા ન હોય તો ઉદ્ઘોષણાનો સંભવ જ ન હોય. પરંવૃભુત વરં વૃભુત.. ઇત્યાદિ ઉદ્ઘોષણાને અને અથદિના અભાવને સ્પષ્ટ વિરોધ છે. શ્રી તીર્થંકરપરમાત્માએ જે પરિમિત દાન આપ્યું હતું; તેનું કારણ એ છે કે બીજા લોકોને જેવા યાચકો મળ્યા હતા, એવા યાચકોનો અભાવ હતો. વાચકોનો જ જયાં અભાવ હોય ત્યાં દાન આપવાનું કઈ રીતે શક્ય બને?
મહાદાનસ્થાપના-અષ્ટકમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – “વાં વૃણુત વરં વૃyત' આ પ્રમાણે વરવરિકાના સૂત્રવિધાનને લઈને જગદ્ગુરુ શ્રી તીર્થંકર પરમાત્માએ ઉદ્દઘોષણાપૂર્વક આપેલું મહાદાન સંખ્યાવ૬; અર્થીઓના અભાવના કારણે સિદ્ધ થાય છે. અષ્ટકપ્રકરણમાં જણાવેલી આ વાતથી પણ સ્પષ્ટ થાય છે કે શ્રી તીર્થંકર પરમાત્માએ આપેલું મહાદાન પરિમિત થયું તેમાં અર્થજનોનો અભાવ જ કારણ હતો. પરંતુ કૃપણતા વગેરે કારણ ન હતા. ll૪-૧૪
બીજા (બુદ્ધ વગેરે)ને અર્થજનો મળ્યા અને શ્રી તીર્થંકરપરમાત્માને એ ન મળ્યા - એમાં કયું કારણ છે – એ શંકાનું સમાધાન કરાય છે–
स च स्वाम्यनुभावेन सन्तोषसुखयोगतः ।
धर्मेऽप्युग्रोद्यमात्तत्त्वदृष्ट्येत्येतदनाविलम् ॥४-१५॥ स चेति-स चार्थ्यभावश्च । स्वाम्यनुभावेन भगवतः सिद्धयोगफलभाजः प्रभावेण सोपक्रमनिरुपक्रमधनादानवाञ्छाजनककर्मणा । सन्तोषसुखस्यानिच्छामितेच्छालक्षणस्य योगतः सम्भवात् । तथा स्वाम्यनुभावेनैव प्राणिनां धर्मेऽपि कुशलानुष्ठानरूपे । उग्रोद्यमादतिशयितप्रयत्नात् । तत्त्वदृष्ट्या संसारासारतापरिज्ञानेन । इत्येतत् सङ्ख्यावद्दानम् । अनाविलं निर्दोषं । तदिदमुक्तं-“महानुभावताप्येषा तदावेन यदर्थिनः । विशिष्टसुखयुक्तत्वात् सन्ति प्रायेण देहिनः ॥१॥ धर्मोद्यताश्च तद्योगात्ते तदा तत्त्वदर्शिनः । महन्महत्त्वमस्यैवमयमेव जगद्गुरुरिति ।।२।।” यत्तु सन्तोषजनकत्वे मितमपि दानं न स्यादिति केनचिदुच्यते, तत्तूक्तसन्तोषव्यवस्थाऽपरिज्ञानविजृम्भितं । तदिदमाहाष्टकवृत्तिकृद्-“ननु यदि तीर्थङ्करानुभावादशेषदेहिनां सन्तोषभावादीभावः स्यात्तदा सङ्ख्याकरणमप्ययुक्तम्, अल्पस्यापि दानस्यासम्भवाद्, इत्यत्रोच्यते-देवताशेषाया इव संवत्सरमात्रेण प्रभूतप्राणिग्राह्यत्वाद्युक्तमेव सङ्ख्यावत्त्वमिति” ||४-१५॥
“શ્રી તીર્થંકરપરમાત્માના પ્રભાવથી સંતોષસુખનો સંભવ હોવાથી અને સંસારની અસારતાનું પરિજ્ઞાન થવાના કારણે ધર્મમાં પણ ઉત્કટ પ્રયત્ન થવાથી એ અર્થી જનોનો અભાવ હતો. તેથી આ પરિમિત દાન નિર્દોષ-ઉચિત છે.” -આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, ભગવાન શ્રી તીર્થંકરપરમાત્મા સિદ્ધયોગી હોય છે. તેઓશ્રીની યોગસિદ્ધિના પ્રભાવથી વાચકોને ધન ગ્રહણ કરવાની ઇચ્છાને ઉત્પન્ન કરનાર કર્મ સોપક્રમ(અનિકાચિત) કે નિરુપક્રમ (નિકાચિત) હોય તો અનુક્રમે ધન ગ્રહણ કરવાની ઇચ્છાનો જ અભાવ થાય છે કે થોડું
૧૪૮
જિનમહત્ત્વ બત્રીશી