Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अपरस्त्विति–अपरस्तु वादी आह-राज्यादि महाधिकरणं महापापकारणं ददत् स्वपुत्रादिभ्यः । शिल्पादि दर्शयंश्च लोकानाम् । अर्हन् कथं महत्त्वमृच्छति ।।४-२०।।
બીજા કહે છે કે, રાજય વગેરે મહાધિકરણને આપનાર અને શિલ્પ વગેરેને બતાવનારા શ્રી અરિહંત પરમાત્મા મહત્ત્વને કઈ રીતે પ્રાપ્ત કરે છે?” - આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે કોઈ એક વાદી કહે છે કે, મહાપાપના કારણ(મહાધિકરણ)ભૂત એવા રાજ્ય વગેરેને પોતાના પુત્ર વગેરેને શ્રી તીર્થંકરપરમાત્માએ આપ્યું હતું. તેમ જ લોકોને શિલ્પકર્મ અને કલા વગેરે તેઓશ્રીએ બતાવી હતી, તો આવા પાપમાર્ગે પ્રવર્તાવનાર શ્રી અરિહંત પરમાત્માને મહાન કઈ રીતે મનાય? અર્થાત્ આથી શ્રી અરિહંત પરમાત્મા મહાન નથી એ સિદ્ધ થાય છે. #l૪-૨વા
ઉપર જણાવેલી શંકાનું સમાધાન કરાય છે. અર્થાત્ એ રીતે પરમાત્મામાં મહત્ત્વાભાવને સિદ્ધ કરનારાના મતનું નિરાકરણ કરાય છે
तन्नेत्थमेव प्रकृताधिकदोषनिवारणात् ।
शक्ती सत्यामुपेक्षाया अयुक्तत्वान्महात्मनाम् ॥४-२१॥ तदिति-यदुक्तमपरेण वादिना तन्न । इत्थमेव राज्यप्रदानादिप्रकारेणैव । प्रकृताद् राज्यप्रदानादिदोषादधिको राज्याप्रदानादिकृतमिथःकलहातिरेकप्रसङ्गादिरूपो यो दोषस्तस्य निवारणात् । शक्तौ परेषामधिकदोषनिवारणविषयायां सत्याम् । उपेक्षाया माध्यस्थ्यरूपाया अयुक्तत्वात् । महात्मनां परार्थमात्रप्रवृत्तशुद्धाशयानां । तदिदमाह-“अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः । मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।।१।। विनश्यत्यधिकं यस्मादिह लोके परत्र च । शक्तौ सत्यामुपेक्षा च युज्यते न महात्मनः ॥२॥ तस्मात्तदुपकाराय तत्पदानं गुणावहम् । परार्थदीक्षितस्यास्य विशेषेण जगद्गुरोः ॥३॥ एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे । न दोषो झुत्तमं पुण्यमित्थमेव विपच्यते ॥४।। किं चेहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यद् । उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च ॥५॥" ।।४-२१।।
શ્લોકાર્ધ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રાજયાદિ આપવા વગેરેના કારણે પરમાત્મા મહાન નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે રાજયપ્રદાનાદિના કારણે જ; રાજયપ્રદાનાદિ દોષ કરતાં; રાજ્યપ્રદાનાદિ ન કરવાના કારણે ઝઘડા વગેરેના પ્રસંગાદિ સ્વરૂપ જે દોષ અધિક થવાનો હતો તેનું નિવારણ થાય છે. પરસ્પરના કલહ વગેરેના પ્રસંગનું નિવારણ રાજ્યપ્રદાનાદિના કારણે થાય છે. અન્યથા એ શક્ય બનત નહિ. બીજાના અધિક દોષોને નિવારણ કરવાની શક્તિ હોવા છતાં અધિક દોષોને દૂર કરવામાં ઉપેક્ષા-માધ્યચ્ય સેવવામાં આવે તો તે મહાત્માઓ માટે ઉચિત નથી. કારણ કે મહાત્માઓનો એકમાત્ર શુદ્ધ આશય;
એક પરિશીલન
૧૫૫