Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તેથી અભિગ્રહ યોગ્ય ન હતો.” – આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે પ્રયત્નવિશેષથી ખપાવી શકાય એવું એ ચારિત્રમોહનીયકર્મ; માતાપિતાના ઉગના પરિહાર માટે લીધેલા અભિગ્રહ વિના વિરતિના પરિણામથી ખપી શકે (ક્ષીણ થાય) એવું હતું છતાં અભિગ્રહ લીધો તેથી તે યોગ્ય હતો. જોકે એ અભિગ્રહ પ્રવજ્યાનો વિરોધી હોવાથી યોગ્ય તો ન કહેવાય પરંતુ ક્રમે કરી અભિગ્રહની પૂર્ણતા પછી ન્યાયસંગત એવી પ્રવજ્યાને પ્રાપ્ત કરાવનારો એ અભિગ્રહ હોવાથી તે ન્યાયસંગત છે. કાલાંતરે ચિકાર ફળને આપનાર કાર્યનો થોડા કાળ માટે નિષેધ કરવા છતાં તે ન્યાયયુક્ત છે.” - આવો વ્યવહાર સર્વજનપ્રસિદ્ધ છે. આથી જ અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે ઘરમાં રહેતા અને માતા-પિતાની સેવાને કરતા એવા મને ક્રમે કરી ન્યાયસંગત પ્રવ્રયા છેલ્લે પ્રાપ્ત થશે. કારણ કે આ પ્રવ્રયાને સર્વથા સર્વપાપથી નિવૃત્તિ સ્વરૂપે સત્પરુષોએ માની છે; માતાપિતાને ઉગ કરનારને ન્યાયસંગત એ પ્રવ્રયા થતી નથી.
તદુપરાંત આ જે માતાપિતાની પરિચર્યા છે તે પ્રવજ્યા સ્વરૂપ શુભકાર્યના પ્રારંભે પ્રથમ મંગલ છે. આ મંગલ વિના પ્રવ્રજયાની સિદ્ધિ થતી નથી. આથી જ શુશ્રુષા ન્યાયસંગત છે. આ પ્રમાણે અષ્ટક પ્રકરણમાં પણ કહ્યું છે કે માતા-પિતા સ્વરૂપ ગુરુની શુશ્રુષા પ્રવ્રજયાનું પરમ કોટિનું પ્રથમ મંગલ છે. ધર્મ(પ્રવ્રજ્યાસ્વરૂપ ધમ)માં પ્રવૃત્ત થયેલા પુરુષો માટે આ માતા-પિતા મોટું પૂજાસ્થાન છે. II૪-૧૮
ननु पित्रुकेंगे परिणामस्तावन्नास्त्येव मुमुक्षोरनिष्टनिमित्ततापरिहारस्तु सर्वत्र दुःशक इत्यत आह
મુમુક્ષુ આત્માને પ્રવજ્યા લેતી વખતે માતા-પિતાને ઉગ કરાવવાનો પરિણામ હોતો જ નથી. આમ છતાં માતા-પિતાના અનિષ્ટમાં (ઉગમાં) નિમિત્ત ન બનવાનું કઈ રીતે શક્ય બને? કારણ કે સર્વત્ર અનિષ્ટના નિમિત્ત બનવાનો પરિહાર કરવાનું શક્ય નથી. તેથી અભિગ્રહની પ્રવૃત્તિના કારણે પ્રવ્રજયાનો વિલંબ કરવો ઉચિત નથી – આ શંકાનું સમાધાન કરાય છે–
तत्खेदरक्षणोपायाप्रवृत्तौ न कृतज्ञता ।
त्यागोऽप्यबोधे न त्यागो यथा ग्लानौषधार्थिनः ॥४-१९॥ तदिति-तयोः पित्रोः खेदस्य यद्रक्षणं तदुपायेऽप्रवृत्तौ न कृतज्ञता । सा हि तत्प्रतिपत्तिसाध्यैव । यदाह-“स कृतज्ञः पुमाल्लोके स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव य एतौ प्रतिपद्यते ।।१।।" इति । तथा च सर्वश्रेयोमूलभूतस्य स्वेष्टस्य कृतज्ञतागुणस्य प्रतिपक्षः पितृखेदः सर्वथैव वर्जनीय इति भावः । यदाह-“अप्पडिबुज्झमाणे कहिंचि पडिबोहिज्जा अम्मापियरो” प्रव्रज्याभिमुखीकुर्वीतेत्यर्थः । “अप्पडिबुज्झमाणेसु य कम्मपरिणइए विहेज्जा जहासत्ति तदुवगरणं तओ अणुणाए पडिवज्जेज्जा धम्म” । अथ नानुजानीतस्तदा “अणुवहे चेव उवहिजुत्ते सिया” अल्पायुरहमित्यादिकां मायां कुर्यादित्यर्थः । एवमुपायप्रवृत्तावपि तयोरबोधे । त्यागोऽपि मुमुक्षोस्तत्त्वतो न त्यागः । यथा ग्लानयोरध्वनि ग्लानीभूतयोः
એક પરિશીલન
૧૫૩