Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જન્યતાની અવચ્છેદક માનવી જોઇએ. આથી સમજી શકાશે કે કર્તાસામાન્ય અને કાર્યસામાન્યઃ એ બેમાં કાર્યકારણભાવ સિદ્ધ ન હોવાથી સિત્યાદિ સંસ્કૃ ર્ધિત્વા પવિત્ આ અનુમાન પ્રયોજક નથી. II૪-૧ના
ઉપર જણાવ્યા મુજબ કર્તાસામાન્ય અને કાર્યસામાન્ય ઃ એ બેમાં કાર્યકારણભાવ અસિદ્ધ હોવાથી સિત્યાદિ સંસ્કૃતાર્થત્યાત્ આ અનુમાન અપ્રયોજક છે – એમ માનવાની જરૂર નથી. કારણ કે સિત્યાદિમાં કાર્યત્વ (હેતુ) હોય અને સકર્તકત્વ ન હોય તો જન્યસત્ત્વ અને કર્તાસામાન્યઃ એ બેનો કાર્યકારણભાવ સંગત નહિ થાય. - આ પ્રમાણે અનુકૂળ તક હોવાથી એ અનુમાન પ્રયોજક છે. આશય એ છે કે ઘટસામાન્યની પ્રત્યે કપાલસામાન્ય કારણ છે. ત્યાં જેમ કપાલસામાન્યમાં રહેનારી કારણતાથી નિરૂપિત, ઘટમાં રહેનારી કાર્યતા, ઘટત્વથી અવચ્છિન્ન છે અર્થાતુ એ કાર્યતાનો અવચ્છેદક ઘટત્વજાતિસ્વરૂપ ધર્મ છે તેમ દ્રવ્યમાત્રમાં રહેનારી કારણતા(સમવાયિકારણતા)થી નિરૂપિત; જન્યસતુ(દ્રવ્ય, ગુણ અને કમ)માં રહેનારી કાર્યતાનો અવચ્છેદક ધર્મ જન્યસત્ત્વ સિદ્ધ છે. એ સ્વરૂપે જન્યસત્ અને કર્તાસામાન્યને કાર્યકારણભાવ માની શકાશે. અને તેથી જ સત્ એવા પૃથ્વી વગેરેનો જે કર્તા છે તે જગકર્તા પરમાત્મા છે : એ સિદ્ધ થાય છે. શ્રી વીતરાગપરમાત્માને જગત્કર્તા માનતા ન હોવાથી તે મહાન નથી - આ પ્રમાણે કહેવામાં આવે તો, તેનું સમાધાન જણાવાય છે
कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनाऽपि तद्भवेत् । ज्ञानस्यैव च हेतुत्वे सिद्ध नः सिद्धसाधनम् ॥४-११॥
कर्तृत्वेनेति-कर्तृत्वेन च हेतुत्वे ज्ञातृत्वेनापि तद्धेतुत्वं भवेत् । तथा चानेककार्यकारणभावकल्पनम् । इत्थमप्रामाणिकमिति भावः । घटतदुपादानप्रत्यक्षयोः कार्यकारणभावः कल्प्यमानः सामान्यव्यभिचारानुपस्थितिलाघवाभ्यां सामान्यत एव सिध्यतीति व्यणुकाधुपादानप्रत्यक्षाश्रयतया जगत्कर्तृत्वं सेत्स्यतीत्यत आह-ज्ञानस्यैव च हेतुत्वेऽभ्युपगम्यमाने सिद्धे !ऽस्माकं सिद्धसाधनं, प्रवाहतस्तेषामनादित्वात् । तदिदमुच्यते-“जं जहा भगवया दिटुं तं तहा विपरिणमइत्ति” । अपि चैवमुपादानप्रत्यक्षं निराश्रयमेव सिध्यतु, गुणस्य साश्रयकत्वव्याप्तौ मानाभावात् । क्षणमात्रमेव सदापि कस्यचिद्गुणस्यानाश्रयस्यावस्थितेर्वक्तुं शक्यत्वात् ||४-११।।
“કાર્યમાત્રની પ્રત્યે કર્તુત્વરૂપે કર્તાને કારણે માનીએ તો જ્ઞાતૃત્વસ્વરૂપે જ્ઞાતાને પણ કારણ માનવાનો પ્રસંગ આવશે. કાર્યમાત્રની પ્રત્યે જ્ઞાનની કારણતાને સિદ્ધ કરવામાં આવે તો અમારે (જૈનોને) સિદ્ધસાધન આવશે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, “વ્યાત્રિાલસિક્વન્યાવિચ્છિન્નનનનિરૂપિત્તસમવાયसम्बन्धावच्छिन्नजन्यता (द्रव्यगुणकर्मनिष्ठा); यत्किञ्चिद्धर्मावच्छिन्ना, कार्यतात्वाद् कपालत्वावच्छिन्नએક પરિશીલન
૧૪૧