Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સાધ્ય પણ છે. તેથી પૂર્વે જણાવ્યા મુજબ બાધ કે અસિદ્ધિ દોષ આવતો નથી... ઇત્યાદિ ઉપયોગપૂર્વક સમજી લેવું જોઇએ. II૪-૯
શ્રી તીર્થંકરપરમાત્મા જગત્કર્તા ન હોવાથી તેમનામાં મહત્ત્વ કઈ રીતે મનાય - આ શંકાનું નિરાકરણ કરાય છે–
इत्थं जगदकर्तृत्वेऽप्यमहत्त्वं निराकृतम् ।
कार्ये कर्तृप्रयोज्यस्य विशेषस्यैव दर्शनात् ॥४-१०॥ इत्थमिति-इत्थं ध्वस्तदोषत्वेनैव महत्त्वसिद्धौ । जगदकर्तृत्वेऽपि सति । भगवतोऽमहत्त्वं निराकृतं । जगत्कर्तृत्वस्य क्वचिदप्यसिद्धेश्च । न च “क्षित्यादिकं सकर्तृकं कार्यत्वाद् घटादिवद्" इत्यनुमानात्तत्सिद्धिः, अप्रयोजकत्वात् । कार्यत्वेन कर्तृत्वेन च कार्यकारणभावस्य विपक्षबाधकस्य तर्कस्य सत्त्वाद् नाप्रयोजकत्वमिति चेन्न, कार्यत्वावच्छिन्नं प्रति कर्तृत्वेन हेतुत्वे प्रमाणाभावात् । कार्ये घटादौ कर्तृप्रयोज्यस्य कर्तृजन्यतावच्छेदकस्य विशेषस्येव क्षितिमेदिव्यावृत्तजातिविशेषस्यैव दर्शनादिदं सकर्तृकमिदं च नेति व्युत्पन्नव्यवहारेण ग्रहणाद्व्याप्यधर्मेण व्यापकधर्मान्यथासिद्धेस्तदवच्छिन्न एव कर्तृत्वेन हेतुत्वात् । पृथिवीत्वादिना साङ्कर्यान्नायं विशेष इति चेन, उपाधिसाङ्कर्यस्येव जातिसाङ्कर्यस्याप्यदूषणत्वस्य त्वदीयैरेव व्यवस्थापितत्वात्, कार्यत्वस्य कालिकसम्बन्धेन घटत्वपटत्वादिमत्त्वरूपस्य नानात्वात्, कृत्यव्यवहितोत्तरत्वस्य परम्परासम्बन्धेन कृतित्वस्यैव वा कर्तृजन्यतावच्छेदकत्वौचित्याच्च ॥४-१०॥
“દોષ અને આવરણના સર્વથા ધ્વંસને લઈને પરમાત્મામાં મહત્ત્વ સિદ્ધ થવાથી પરમાત્મા જગત્કર્તા ન હોવા છતાં તેઓશ્રીમાં મહત્ત્વના અભાવનું નિરાકરણ થાય છે. કારણ કે કાર્યમાં; વિશેષ-સ્વરૂપ જ કર્તાનું પ્રયોજ્યત્વ દેખાતું હોવાથી જગત્કર્તા જ સિદ્ધ નથી.” આ પ્રમાણે દશમાં શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ધ્વસ્તદોષત્વના કારણે પરમાત્મામાં મહત્ત્વ સિદ્ધ હોવાથી પરમાત્મા ન મદન નવરુષ્કૃત્વા કવિ આ અનુમાનથી પરમાત્મામાં મહત્ત્વાભાવ સિદ્ધ નહિ થાય. કારણ કે જગત્કર્તુત્વ કોઈ પણ વ્યક્તિમાં સિદ્ધ નથી.
યદ્યપિ સિત્યાદિ સંસ્કૃવં કાર્ય–ા પરિવત્ આ અનુમાનથી જગત્કર્તા સિદ્ધ થાય છે. જ્યાં જ્યાં કાર્યત્વ છે (જન્યત્વ છે) ત્યાં ત્યાં સકર્તકત્વ હોય છે. ઘટાદિમાં કાર્યત્વ છે તેથી ત્યાં કુલાલાદિનું (કુંભારાદિનું) કર્તુત્વ છે. આવી જ રીતે પૃથ્વી વગેરેમાં કાર્યત્વ હોવાથી ત્યાં પણ કોઇનું પણ કર્તુત્વ હોવું જ જોઈએ. પૃથ્વી વગેરેમાં આપણા સૌનું કર્તુત્વ ન હોવાથી પૃથ્વી વગેરેનો જે કર્તા છે, તે જ જગત્કર્તા છે - એ સિદ્ધ થાય છે. પરંતુ ફિત્યાદિ(પૃથ્વી વગેરે)માં કાર્યત્વ ભલે રહ્યું (હેતુ ભલે હોય, પરંતુ સકર્તકત્વ(સાધ્ય) તેમાં માનતા નથી.” - આવી શંકા (વ્યભિચારશંકા)ને દૂર કરવા માટે કોઈ તર્ક ન હોવાથી અનુમાન પ્રયોજક નહિ બને.
૧૩૮
જિનમહત્ત્વ બત્રીશી