Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મનાતું નથી. જ્યાં જ્યાં નિર્દોષતા (નિત્ય-નિર્દોષતા) છે ત્યાં ત્યાં મહત્ત્વ છે - એ કહેવાનું શક્ય નથી. કારણ કે ઘટાદિમાં નિત્યનિર્દોષતા હોવા છતાં મહત્ત્વ ન હોવાથી વ્યભિચાર આવે છે.
દોષના અત્યંતાભાવ સ્વરૂપ નિર્દોષતા છે. એ અત્યંતાભાવરૂપ હોવાથી જ નિત્ય છે. તેથી કેવળ નિર્દોષતા પદથી એ અર્થ (નિત્યનિર્દોષતા) પ્રતીત થતો હોવાથી નિત્ય પદ યદ્યપિ વ્યર્થ છે. પરંતુ નિત્યનિર્દોષતાનો અર્થ એ છે કે દોષસામાન્યનો અત્યંતભાવ હોવો જોઇએ અને દોષાત્યતાભાવવત્ વસ્તુ નિત્ય હોવી જોઇએ. અર્થાત્ નિત્યત્વવિશિષ્ટ (નિત્યત્વ જ્યાં રહેતું હોય
ત્યાં રહેનાર) નિર્દોષતા વિવક્ષિત છે. તેથી નિત્ય પદ વ્યર્થ નહીં બને. ઘટાદિ પદાર્થમાં યદ્યપિ નિર્દોષતા હોવા છતાં નિત્યત્વ ન હોવાથી નિત્યત્વવિશિષ્ટ નિર્દોષતાના અભાવના કારણે વ્યભિચાર નહીં આવે, પરંતુ આકાશાદિ નિત્ય પદાર્થોમાં નિત્યત્વવિશિષ્ટ નિર્દોષતા હોવાથી ત્યાં વ્યભિચાર આવે છે.
આથી ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે વીતરાપો ન મહાન નિત્યનિર્દોષ–ામાવતિ' અહીં મહત્ત્વાભાવસ્વરૂપ સાધ્ય જ્યાં નિશ્ચિત છે ત્યાં ઘટાદિ (આકાશાદિ) અન્વયદષ્ટાંતમાં નિત્યનિર્દોષતાભાવસ્વરૂપ સાધન-હેતુનું વૈકલ્યા છે. મહત્ત્વાભાવસ્વરૂપ સાધ્યનો અભાવ જે મહત્ત્વસ્વરૂપ છે, તેનો નિશ્ચય જેમાં છે એ પરમાત્મા-ઇશ્વરસ્વરૂપ વ્યતિરેકદષ્ટાંત ઉભયવાદિસંમત નથી, તેથી દાંતાસિદ્ધિ છે. વીતરી ન મદીન.... આ અનુમાનનો કર્તા, વીતરાગને અસિદ્ધ માને તો તેને પલાડપ્રસિદ્ધિ દોષ પ્રાપ્ત થાય છે. અને બીજા કોઈ પણ પ્રમાણથી વીતરાગપરમાત્માની સિદ્ધિ કરે તો તે પ્રમાણ કે જે શ્રી વિતરાગપરમાત્મા સ્વરૂપ ધર્મી(પક્ષ-વિશેષ્યઉદ્દેશ્ય)નું ગ્રાહક-સાધક છે, તે પ્રમાણથી જ શ્રી વીતરાગપરમાત્મામાં મહત્ત્વ પણ સિદ્ધ થવાથી મહત્ત્વાભાવને સિદ્ધ કરવા માટે પ્રયુક્ત એ (નિત્યનિર્દોષતાભાવ) હેતુમાં બાધ આવે છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ll૪-ળી
ઉપર જણાવેલા સાધનવૈકલ્યદોષને દૂર કરવા માટે જણાવેલા ઉપાયને જણાવીને તેનું નિરાકરણ કરાય છે–
सात्मन्येव महत्त्वाङ्गमिति चेत् तत्र का प्रमा ।
पुमन्तरस्य कल्प्यत्वाद् ध्वस्तदोषो वरं पुमान् ॥४-८॥ सेति-सा नित्यनिर्दोषता । आत्मन्येव आत्मनिष्ठेव । महत्त्वाङ्गम् । इत्थं च नित्यनिर्दोषत्वाभावस्य हेतुत्वान्न दृष्टान्ते साधनवैकल्यमिति भावः । अत्राह-इति चेत्तत्रात्मनि नित्यनिर्दोषत्वे । का प्रमा किं प्रमाणं । तथा च प्रतियोग्यप्रसिद्ध्याऽभावाप्रसिद्धेहेतुरेवासिद्ध इति भावः । महत्पदप्रवृत्तिनिमित्ततयैव नित्यनिर्दोषात्मत्वं सेत्स्यतीत्यत आह-पुमन्तरस्य नित्यनिर्दोषस्य पुंसः कल्प्यत्वाद्वरं ध्वस्तदोषः पुमान्
એક પરિશીલન
૧૩૩.