Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
स्वभावभेदादपि कार्यकलिङ्गकं महत्त्वमाह
પાંચમા શ્લોકથી શ્રી તીર્થંકર પરમાત્માનું મહત્ત્વ; દૃષ્ટાંતપૂર્વક, બાહ્યસંપદાથી અભિવ્યક્ત થતું આંતરિક ગુણ સ્વરૂપ જણાવ્યું. વસથી આચ્છાદિત હોવા છતાં મણિની બાહ્ય પ્રભાના કારણે જેમ મણિનું આંતરિક મહત્ત્વ જણાય છે તેમ જ કર્માચ્છાદિત હોવા છતાં વિશિષ્ટરૂપાદિ બાહ્યસંપદાના કારણે પરમાત્માનું આંતરિક ક્ષાયિકભાવના ગુણ સ્વરૂપ મહત્ત્વ જણાય છે. આ પ્રમાણે આ પૂર્વે જણાવીને હવે; પરમાત્માનો અનન્યસાધારણ સ્વભાવ હોવાથી જ તેઓશ્રીનું મહત્ત્વ છે, જે સ્વભાવની ભિન્નતાને લઈને પરમાત્માનું મહત્ત્વ છે એ સ્વભાવનો ભેદ તીર્થની સ્થાપના વગેરે કાર્યથી મનાય છે તેથી પરમાત્માનું એ મહત્ત્વ કાર્યલિંગ (કાર્યથી અનુમેય) છે, તે જણાવાય છે–
भेदः प्रकृत्या रत्नस्य जात्यस्याजात्यतो यथा ।
तथागपि देवस्य भेदोऽन्येभ्यः स्वभावतः ॥४-६॥ भेद इति-अर्वागपि मिथ्यात्वादिदशायामपि । स्वभावत इति अन्यथा स्वस्मिन्नन्यवृत्तिगुणापत्तेः । न च प्रागभावाभावान्नेयमापत्तिः स्वगुणप्रागभावस्य स्वयोग्यतापरिणतिपर्यवसितत्वादिति भावः ।।४-६।।
જેમ અજાત્યરત્ન કરતાં જાત્યરત્ન સ્વભાવથી જ શ્રેષ્ઠ હોય છે તેમ શ્રી તીર્થંકરપરમાત્મા, બીજા બધાની અપેક્ષાએ સ્વભાવથી જ મહાન છે.' - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનંતાનંત જીવોમાં, શ્રી તીર્થંકરપરમાત્મા થવાની યોગ્યતા ખૂબ જ થોડા આત્માઓમાં રહેલી છે. એ પરમતારક આત્માઓની યોગ્યતા બીજા આત્માઓની યોગ્યતાથી જુદી છે. આ ભેદ(ફરક) અનાદિકાળથી છે, તેથી સ્વભાવથી છે. મિથ્યાત્વદશામાં અને અવ્યવહારરાશિમાં પણ આ ભેદ છે.
આ પ્રમાણે સ્વભાવભેદ માનવામાં ન આવે તો અન્યમાં રહેનારા ગુણોની ઉત્પત્તિ પોતામાં થશે. કારણ કે આવી જાતની સ્વભાવસિદ્ધ યોગ્યતા માનવામાં ન આવે તો બીજાના ગુણો જેમ બીજાના આત્મામાં ઉત્પન્ન થાય છે તેમ આપણા પોતાના આત્મામાં થઈ શકશે. પરંતુ આવું બનતું નથી. તેથી માનવું પડે છે કે પોતાના આત્મામાં પોતાના જ ગુણો ઉત્પન્ન થવાની યોગ્યતા છે, જે અનાદિકાળની છે, દરેક આત્મામાં પ્રત્યાત્મ) જુદી જુદી છે. એ અસાધારણ યોગ્યતાને લઈને તે તે આત્મામાં ગુણો ઉત્પન્ન થતા હોય છે. શ્રી તીર્થંકરપરમાત્માનું મહત્ત્વ પણ તેઓશ્રીની અનન્યસાધારણ યોગ્યતાને કારણે છે. અને એ યોગ્યતા પણ અનાદિકાળથી મિથ્યાત્વાદિ દશામાં પણ છે, એ સમજી શકાય છે.
યદ્યપિ બીજાના ગુણોની ઉત્પત્તિ આપણા પોતામાં ન થાય એ માટે ઉપર જણાવ્યા મુજબની યોગ્યતા માનવાની જરૂર નથી. કારણ કે કાર્યમાત્રની પ્રત્યે તેનો પ્રાગભાવ (ઉત્પત્તિ
એક પરિશીલન
૧૩૧