Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બાહ્યસંપદામાત્રથી પરમાત્માનું મહત્ત્વ નથી, તેનું વ્યવસ્થાપન કરીને હવે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારા બાહ્ય વિશિષ્ટ ભાવો પણ પરમાત્મામાં રહેલા મહત્ત્વના પ્રયોજક બને છે, તે જણાવાય છે–
पुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसङ्गतैः ।
महत्त्वं महनीयस्य बाहामाभ्यन्तरं तथा ॥४-४॥ पुण्येति - पुण्योदयभवैस्तीर्थकरनामकर्माधुदयोत्पन्नः । भावै विशिष्टसंहननरूपसत्त्वसंस्थानगतिप्रभृतिभिः । क्षायिकसङ्गतैः क्षायिकज्ञानादिमिलितैः । महत्त्वं महनीयस्य पूज्यस्य मतं । बाह्यं तथाभ्यन्तरं प्रत्येकं विशिष्टमेव वा कथञ्चिदुभयव्यपदेशभाक् । इत्थं च विशिष्टबाह्यसम्पदोऽन्यासाधारणत्वान्नातिप्रसङ्गत्वमिति भावः ॥४-४।।
“પુણ્યોદયના કારણે પ્રાપ્ત થયેલા અને ક્ષાયિકભાવોથી સંગત એવા ભાવોથી; પૂજ્ય પરમાત્માનું બાહ્ય અને આત્યંત મહત્ત્વ છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી તીર્થકર નામકર્મ વગેરે વિશિષ્ટ પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિશિષ્ટ સંઘયણ, રૂપ, સત્ત્વ, સંસ્થાન અને ગતિ વગેરે જે ભાવો છે - એ ઔદયિકભાવો; જો ક્ષાયિક (કર્મના સર્વથા ક્ષયથી પ્રાપ્ત) એવા કેવલજ્ઞાન અને કેવલદર્શન વગેરે ભાવોથી યુક્ત હોય તો તે ઔદયિકભાવોના કારણે પણ પરમાત્માનું બાહ્ય અને આત્યંત મહત્ત્વ મનાય છે. બાહ્ય ઔદયિકભાવોના કારણે બાહ્યમહત્ત્વ અને આત્યંતર ક્ષાયિકભાવોના કારણે આત્યંત મહત્ત્વ મનાય છે. માત્ર ઔદયિકભાવાદિ સ્વરૂપ મહત્ત્વ માયાવી વગેરેમાં પણ હોવાથી ઔદયિકભાવવિશિષ્ટ ક્ષાયિકભાવ સ્વરૂપ મહત્ત્વ જ કથંચિત્ બાહ્ય અને આત્યંત મહત્ત્વના વ્યવહારનો વિષય બને છે. આ રીતે વિશિષ્ટલક્ષાયિકજ્ઞાનાદિવિશિષ્ટ) બાહ્યસંપદા માયાવી વગેરેમાં ન હોવાથી વ્યભિચાર આવતો નથી. ૪-૪
આત્યંત મહત્ત્વને જણાવનાર બાહ્યસંપદાનું મહત્ત્વ તરીકે વર્ણન કરીને હવે તે દષ્ટાંતથી જણાવાય છે–
बहिरभ्युदयादर्शी भवत्यन्तर्गतो गुणः ।
मणेः पटावृतस्यापि बहिर्कोतिरुदञ्चति ॥४-५॥ રિતિ–વ્ય: I૪-KI
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે બહાર અભ્યદયને જણાવનારો અંતર્ગત ગુણ હોય છે. વસ્ત્રથી આચ્છાદિત એવા પણ મણિની કાંતિ બહાર ફેલાતી હોય છે. આવી જ રીતે આવ્યંતર ગુણથી યુક્ત એવી બાહ્યસંપદાથી પૂજય શ્રી પરમાત્માનું મહત્ત્વ મનાય છે. ll૪-પી. ૧૩૦
જિનમહત્ત્વ બત્રીશી