Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એકાંતે અધર્મ નથી. શ્રી તીર્થંકરપરમાત્માના વચનાનુસાર અહિંસાદિમાં ધર્મ છે અને તેની બાધાનુસાર તેમાં અધર્મ છે. આવી જ રીતે શ્રી તીર્થંકર પરમાત્માના વચનાનુસાર યતનાપૂર્વક નદી ઊતરવાદિમાં થતી હિંસામાં અધર્મ નથી અને વચનનિરપેક્ષ તેમાં અધર્મ છે. આ રીતે અહિંસાદિમાં કથંચિત્ ધર્મ છે અને હિંસાદિમાં કથંચિત્ અધર્મ છે. વચનની આરાધનામાં કે બાધામાં અનુક્રમે એકાંતે ધર્મ અને અધર્મ છે. આ રીતે બધી જ ક્રિયાઓને ગૌણ બનાવી છે અને ભગવાનના પરમતારક વચનને પ્રધાન બનાવ્યું છે જેમાં એવું ધર્મગુહ્ય-રહસ્ય પંડિત-જીવોને સમજાવવું. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં સઘળાંય અનુષ્ઠાનો તેઓશ્રીના પરમતારક વચનને આધીન છે. વચન કરતાં અનુષ્ઠાન કોઇ પણ રીતે મહાન નથી - એ નિરંતર યાદ રાખવું. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના પ્રાધાન્યને સમજવાનું ખૂબ જ અઘરું છે. પંડિતજનોને એ સમજાય છે. આજ્ઞાનું પ્રાધાન્ય સમજાવવા દરેક ધર્માનુષ્ઠાનના રહસ્યને સમજાવવાનું આવશ્યક બને છે. અંતે ધર્મના પરમ રહસ્ય-રૂપે આજ્ઞાની પ્રતીતિ થાય છે. વિદ્વાન ધર્મોપદેશક સિવાય એ રીતે આજ્ઞાની પ્રધાનતાને વર્ણવવાનું બીજા ઉપદેશકો માટે શક્ય નથી. ભાવનાજ્ઞાનથી ભાવિત ઉપદેશક ન હોય તો કેવી સ્થિતિ નિર્માણ પામે છે - તેનું વર્ણન કરવાની જરૂર નથી. ઓછાવધતા પ્રમાણમાં એનો અનુભવ આપણને છે જ. //ર-૨૪
ભાવનામય જ્ઞાનથી ધર્મના રહસ્યભૂત આજ્ઞાના પ્રાધાન્યને પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થતા ફળને જણાવાય છે–
इत्थमाज्ञादरद्वारा हृदयस्थे जिने सति ।
भवेत् समरसापत्तिः फलं ध्यानस्य या परम् ॥२-२५॥ इत्थमिति-इत्थमनया रीत्या । आज्ञादरद्वारा भगवद्वचनबहुमानद्वारेण । हृदयस्थे ध्यानसाक्षात्कृते जिने सति भवेत् । समरसापत्तिः समतापत्तिः । या ध्यानस्य परं प्रकृष्टं फलं । तदाह-“सैषेह योगिमातेति” इत्थं च समापत्तिसज्ञकासङ्गानुष्ठानफलकस्य वचनानुष्ठानस्य आज्ञादरद्वारैवोपपत्तेरयमेव गरीयानिति फलितम् । क्रियान्तरे च नैतदुपपत्तिः, न च तदनन्तरं भगवदनुध्यानादुपपत्तिः, अनियमादनुषङ्गत एवाસ મવાāતિ ર-ર૧/
આ રીતે આશાદર દ્વારા શ્રી જિનેશ્વરદેવ હૃદયસ્થ બચે છતે “સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે, જે ધ્યાનનું શ્રેષ્ઠ ફળ છે.” - આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવોના વચન પ્રત્યેના બહુમાન દ્વારા શ્રી તીર્થંકરપરમાત્મા હૃદયસ્થ બને છે. વિહિતા તે તે અનુષ્ઠાન કરતી વખતે તેમ જ તે તે નિષિદ્ધની નિવૃત્તિ વખતે નિરંતર ભગવાનના વચનમાં પ્રાધાન્યનો ઉપયોગ હોવાથી પરમાત્માનું જ ધ્યાન હોય છે. આ ધ્યાન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તેને જ અહીં પરમાત્માની હૃદયસ્થતા જણાવી છે.
એક પરિશીલન
૭૫