Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સંવિગ્નપાલિકોના જ બીજા આચાર જણાવાય છે–
आत्मार्थं दीक्षणं तेषां निषिद्धं श्रूयते श्रुते ।
ज्ञानाद्यर्थान्यदीक्षा च स्वोपसम्पच्च नाऽहिता ॥३-२३॥ आत्मार्थमिति-आत्मार्थं स्ववैयावृत्त्याद्यर्थं । तेषां संविग्नपाक्षिकाणां । दीक्षणं श्रुते निषिद्धं श्रूयते । “अत्तट्ठा न वि दिक्खइ” इति वचनात् । ज्ञानाद्यर्थाऽन्येषां भावचरणपरिणामवत्पृष्ठभाविनामपुनर्बन्धकादीनां दीक्षा च तदर्थं तेषां स्वोपसम्पच्च नाहितकारिणी । असद्ग्रहपरित्यागार्थमपुनर्बन्धकादीनामपि दीक्षणाधिकारात् । तदुक्तं-“सइअपुणबंधगाणं कुग्गहविहं लहुं कुणइत्ति ।” तात्त्विकानां तु तात्त्विकैः सह થોનનમસ્થાવર: | તદુë–“હેલ્ સુદૂ વોર્ડ તિ” રૂિ-૨રૂ/
શાસ્ત્રમાં સંવિગ્નપાક્ષિકોને પોતાના માટે કોઈને દીક્ષા આપવાનો નિષેધ છે. જ્ઞાનાદિ માટે બીજાને દીક્ષા આપવાનું અને પોતાની પાસે તેને રાખવાનું અહિતકર નથી.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓ પૂર્વે જણાવ્યા મુજબ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરતા હોય છે. તેમની દેશનાને સાંભળીને પ્રતિબોધ પામેલાને પોતાની વૈયાવચ્ચ વગેરે સારી રીતે કરશે.” એવી કોઈ સ્વાર્થભાવનાથી દીક્ષા આપવાનો સંવિગ્નપાક્ષિકોને શાસ્ત્રમાં નિષેધ છે. “ગઠ્ઠા ન વિ વિવ... ઇત્યાદિ પાઠથી તેનો નિષેધ કરાયો છે.
ભાવચારિત્રસંપન્ન આત્માઓને અનુસરનારા એવા અપુનબંધકાદિ જીવોને જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય એ માટે એ અપુનબંધકાદિ આત્માઓને દીક્ષા આપવાનો તેમ જ જ્ઞાનાદિ માટે પોતાની પાસે તેમને રાખવાનું સંવિપાક્ષિક મહાત્માઓને માટે અહિતકર નથી. અત્યાર સુધીના અસદ્ગહને દૂર કરવા માટે સંવિગ્નપાક્ષિક મહાત્માઓને; અપુનબંધકાદિ આત્માને દીક્ષા આપવાનો અધિકાર છે. આ પ્રમાણે અન્યત્ર પણ જણાવ્યું છે કે – (આગમને અનુસરી ભાવિત કરાતું આ દીક્ષાવિધાન) - સકૂબંધક અને અપુનબંધક આત્માઓના કુગ્રહવિરહને શીધ્ર કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે કુગ્રહવાળાઅતાત્ત્વિક આત્માઓને સંવિગ્નપાલિકો પોતે દીક્ષા આપે છે અને પોતાની પાસે પણ રાખે છે. પરંતુ કુગ્રહવગરના તાત્ત્વિક આત્માઓને પ્રતિબોધીને દીક્ષા પ્રદાન કરાવવા માટે પૂ. મુનિભગવંતોની પાસે મોકલે છે. પોતે દીક્ષા આપતા નથી. કારણ કે તાત્ત્વિકોને તાત્ત્વિકો સાથે મેળવવાનો તેમનો (સંવિગ્નપાક્ષિકોનો) આચાર છે. આથી જ કહ્યું છે કે – સંવિગ્નપાક્ષિક મહાત્માઓ મુમુક્ષુઓને પ્રતિબોધ પમાડીને પૂ. સાધુભગવંતોને આપી દે છે. આથી સમજી શકાશે કે સંવિગ્નપાક્ષિકોને તત્ત્વનો પક્ષપાત કેટલો ઉત્કટ હોય છે. એના યોગે કરાતી શુદ્ધપ્રરૂપણા એમના માટે પરમનિર્જરાનું કારણ બને છે અને સકલગુણોની ઉત્પત્તિનું મૂળ બને છે. તાત્ત્વિક પક્ષપાતનું અચિંત્ય સામર્થ્ય છે, એ સમજાય તો સંવિગ્નપાક્ષિકોનું મહત્ત્વ સમજાશે. સર્વવિરતિધર્મ પ્રત્યેનો
૧૧૨
માર્ગ બત્રીશી