Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સંવિપાક્ષિક મહાત્માઓની આવશ્યકાદિ ક્રિયાઓ ભાવસાધુની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપ હોવાથી તે તુચ્છ (વ્યર્થ) છે – આવી શંકાનું સમાધાન કરવા માટે પચીસમો શ્લોક છે–
द्रव्यत्वेऽपि प्रधानत्वात् तथाकल्पात् तदक्षतम् ।
યતો મા વેશાય મત મિથ્યાવૃશામપિ રૂ-૨૧ द्रव्यत्वेऽपीति-तदावश्यकस्य भावसाध्वपेक्षया द्रव्यत्वेऽपि प्रधानत्वादिच्छाद्यतिशयेन भावकारणत्वाद्रव्यपदस्य क्वचिदप्रधानार्थकत्वेन क्वचिच्च कारणार्थकत्वेनानुयोगद्वारवृत्ती व्यवस्थापनात् । तथाकल्पात् तथाचारात् । तदावश्यकं । तेषामक्षतं । यतो मार्गप्रवेशाय मिथ्यादृशामपि तदावश्यकं मतं गीतार्थरङ्गीकृतम्, अभ्यासरूपत्वाद्, अस्खलितत्वादिगुणगर्भतया द्रव्यत्वोपवर्णनस्यैतदर्थद्योतकत्वाच्च ॥३-२५।।
“ભાવસાધુઓની અપેક્ષાએ સંવિગ્નપાક્ષિકોની આવશ્યકાદિ ક્રિયાઓ; પ્રધાનદ્રવ્યસ્વરૂપ હોવાથી અને પોતાના આચાર મુજબ હોવાથી તે અક્ષત છે અર્થાત્ વ્યર્થ (તુચ્છ) નથી. કારણ કે મિથ્યાષ્ટિઓને મોક્ષમાર્ગે પ્રવેશ કરાવવા માટે પ્રધાન દ્રવ્યક્રિયા આવશ્યક મનાય છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંવિગ્નપાક્ષિક મહાત્માઓની આવશ્યકાદિ ક્રિયાઓ ભાવસાધુઓની અપેક્ષાએ દ્રવ્યક્રિયાસ્વરૂપ હોવા છતાં તે પ્રધાનદ્રવ્યક્રિયાસ્વરૂપ હોવાથી વ્યર્થ નથી. કારણ કે આવી દ્રવ્યક્રિયા કરતી વખતે ભાવક્રિયાસંબંધી ઇચ્છા, બહુમાન વગેરે અત્યંત હોવાથી એ દ્રવ્યક્રિયા ભાવક્રિયાનું કારણ બને છે. જે ભાવનું કારણ છે; તેને પ્રધાનદ્રવ્ય કહેવાય છે.
શ્રી અનુયોગદ્વારસૂત્રની ટીકામાં; “કાવ્ય' પદ કોઈ વાર (ભાવનું કારણ ન બને ત્યારે) અપ્રધાન અર્થને અને કોઈ વાર ભાવના કારણ સ્વરૂપે પ્રધાન અર્થને જણાવે છે – આ પ્રમાણે વર્ણવ્યું છે. આવી ક્રિયાઓ પણ કરવાનો સંવિગ્નપાક્ષિકોનો પોતાનો આચાર છે. વિહિત આચાર વ્યર્થ નથી, પરંતુ ઉપર જણાવ્યા મુજબ સાર્થક છે. પ્રધાન દ્રવ્યક્રિયા સ્વરૂપ તે આવશ્યક; ભાવની પ્રાપ્તિ કરાવવા માટે અક્ષત-સમર્થ છે.
આથી જ ગીતાર્થમહાત્માઓએ મિથ્યાષ્ટિઓનું પણ તે પ્રધાન દ્રવ્યાવશ્યક મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે યોગ્ય માન્યું છે. આ રીતે મિથ્યાદષ્ટિઓનું પણ તે પ્રધાન દ્રવ્યાવશ્યક જો યોગ્ય મનાતું હોય અને નિરર્થક મનાતું ન હોય તો સમ્યગ્દષ્ટિ એવા સંવિપાલિક મહાત્માઓનું અનુષ્ઠાન કોઈ પણ રીતે વ્યર્થ નથી – એ સમજી શકાય છે. અભ્યાસ સ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે મિથ્યાષ્ટિઓના પણ અનુષ્ઠાનને (દ્રવ્યાનુષ્ઠાનને) પૂ. ગીતાર્થ મહાત્માઓએ માન્ય રાખ્યું છે. જો દ્રવ્ય-અનુષ્ઠાન સર્વથા વ્યર્થ હોય તો; “અસ્મલિત અહીનાક્ષર... વગેરે ગુણોથી યુક્ત સૂત્ર હોવા છતાં ભાવશૂન્ય(ઉપયોગરહિત) હોય તો તે દ્રવ્યાનુષ્ઠાન(દ્રવ્યાવશ્યક) છે.' - આ પ્રમાણે જે વર્ણન કરાય છે, તે આવશ્યક નહીં રહે; કારણ
૧૧૪
માર્ગ બત્રીશી