Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अथ जिनमहत्त्वद्वात्रिंशिका प्रारभ्यते ।
मार्गविवेचनानन्तरं तद्देशकस्य भगवतो माहात्म्यं व्यवस्थाप्यते
ત્રીજી બત્રીશીમાં “માર્ગનું વિવેચન કર્યું. હવે આ બત્રીશીમાં માગદશક શ્રી તીર્થંકરભગવંતનું માહાત્મ વ્યવસ્થાપિત કરાય છે–
वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा ।
विभुत्वं न विभोस्तादृङ्मायाविष्वपि सम्भवात् ॥४-१॥ वप्रेति-तादृक् प्रेक्षावच्चमत्कारजनकं । मायाविष्वपि ऐन्द्रजालिकेष्वपि । यदि हि बाह्यसम्पदैव महत्त्वबुद्धिर्धर्मजननी स्यात्तदा मायाविष्वपि सा तथा स्यादित्यर्थः । तदिदमुक्तं समन्तभद्रेणापि“देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ।।१।।” इति । न च व्यक्तिविशेषविषयकत्वेन नातिप्रसङ्ग इति शङ्कनीयं, प्रमेयत्वादिना महत्त्वप्रकारकज्ञानादपि फलापत्तेविशेषरूपेण महत्त्वप्रकारकत्वनिवेशस्यावश्यकत्वाद् । अत एवासाधावपि आलयविहारादिमत्त्वेन साधुत्वबुद्धावपि विशेषादर्शनदशायां न फलाभाव इति तत्र तत्र व्युत्पादितम् । अव्यक्तसमाधिफलविशेषे तु विषयविशेषोऽपि निवेश्यः । यदि चालयविहारादिलिङ्गेन साधुत्वमनुमीयत एव तदनुमितिप्रयोज्यवन्दनादिना च फलविशेष इति विभाव्यते, तदा भगवत्यपि विशिष्टरूपेण महत्त्वानुमित्यनन्तरमेव स्मरणादिना फलोदयाविशेषान् ‘महत्त्वं न' इत्यनन्तर मनुमेयम्' इत्यध्याहारान्नानुपपत्तिः स्वेतरनिष्ठात्यन्ताभावप्रतियोगिगुणवत्त्वरूपस्य महत्त्वस्य बाह्यसम्पदाऽनुमातुमशक्यत्वाद् मायाविष्वेव व्यभिचारात् ।।४-१।।
આશય એ છે કે આ પૂર્વેની માર્ગ બત્રીશીમાં શ્રી જિનેશ્વરદેવોના પરમતારક વચનને માર્ગરૂપે વર્ણવ્યું છે. પરંતુ જે લોકો શ્રી તીર્થંકરપરમાત્માને મહાન માનતા નથી, તેઓ તેઓશ્રીના પરમતારક વચનને માર્ગસ્વરૂપ નહિ માને; તેથી શ્રી વીતરાગપરમાત્માનું મહત્ત્વ સિદ્ધ કરવા આ બત્રીશી છે. આ બત્રીશીમાં શ્રી તીર્થંકરપરમાત્માનું માહાત્મ અનુમાનપ્રમાણથી સિદ્ધ કર્યું છે. ન્યાયદર્શનની પરિભાષાનો જેમને પરિચય નથી; તેમને આ બત્રીશીમાં જણાવેલી વાત સમજવાનું શક્ય નહિ બને. આમ છતાં વચ્ચે વચ્ચે કેટલીક વાતો પ્રયત્નથી સમજી પણ શકાશે. ન્યાયદર્શનની પરિભાષાના જાણકારોને અનુલક્ષીને અહીં મુખ્યપણે વિવરણ છે.
સમવસરણના ત્રણ કિલ્લા(ગઢ), ઈન્દ્રધ્વજ, ત્રણ છત્ર, ધર્મચક્ર અને ચામરની સંપદાના કારણે વિભુ(અનંતજ્ઞાનાદિમય પરમાત્મા)નું વિભુત્વ નથી. કારણ કે તેવું વિભુત્વ તો માયાવી દેવતા વગેરેમાં પણ સંભવે છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે શ્રી તીર્થંકર પરમાત્મા સૌથી મહાન છે – એમાં કોઈ વિવાદ નથી. પરંતુ એ મહત્ત્વ શ્રી તીર્થંકરનામકર્મના વિશિષ્ટ પુણ્યોદયે પ્રાપ્ત થનારી ત્રણ ગઢ વગેરે બાહ્યસંપદાને લઈને નથી.
૧૨૪
જિનમહત્ત્વ બત્રીશી