Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આંખ સામે રાખીને શાસ્ત્રનિરપેક્ષ રીતે કરાતો માર્ગભેદ સુંદર નથી જ – એ યાદ રાખવું જોઈએ. એ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવામાં નહીં આવે તો માર્ગ અને ઉન્માર્ગ વચ્ચે જે ભેદરેખા છે તેની રક્ષા કરવાનું શક્ય નહીં બને. એ ભેદરેખાનો વિનાશ કરનારો વર્ગ દિવસે દિવસે મજબૂત અને વિશાળ બનતો જાય છે. એની ઉપેક્ષા કરવાથી શાસનને પારાવાર નુકસાન થશે. એ પહેલાં અહીં આ શ્લોક દ્વારા જણાવેલી વાત આપણે બરાબર યાદ કરી લઈએ. પારમાર્થિક માર્ગમાં તેના અનુસરણ માટે જે સત્ત્વ જોઈએ તે મેળવી લેવામાં જ આપણું હિત છે. આપણી પાસે જેટલું સત્ત્વ છે; તેના પ્રમાણમાં માર્ગવિશેષમાં ફેરફાર કરવાથી આપણું હિત નહીં થાય. /૩-૨૬ll.
સંવિગ્નપાક્ષિકોનો માર્ગ સ્વમતિકલ્પિત નથી પરંતુ શાસ્ત્રપ્રસિદ્ધ છે - તે જણાવવા માટે હવે પછીના બે (૨૭/૨૮) શ્લોક છે.
निवर्तमाना अप्येके वदन्त्याचारगोचरम् ।
आख्याता मार्गमप्येको नोञ्छजीवीति च श्रुतिः ॥३-२७॥ निवर्तमाना इति-एकं संयमान्निवर्तमाना अपि । आचारगोचरं यथावस्थितं वदन्ति “वयमेव कर्तुमसहिष्णवः, मार्गः पुनरित्थम्भूत एवेति” । यदाचारसूत्रं - नियट्टमाणा वेगे आयारगोअरमाइक्खं ति” । अत्र संयमाल्लिङ्गाद्वा निवर्तमानाः, वाशब्दादनिवर्तमानाश्च लभ्यन्ते । उभयथाप्यवसीदन्त एव योजिता यथास्थिताचारोक्त्या हि तेषामेकैकबालता भवति आचारहीनतया न तु द्वितीयापि । ये तु हीना अपि वदन्ति “एवम्भूत एवाचारोऽस्ति योऽस्माभिरनुष्ठीयते, साम्प्रतं दुःषमानुभावेन बलाद्यपगमान्मध्यभूतैव वर्तनी श्रेयसी, नोत्सर्गावसर इति” तेषां तु द्वितीयापि बालता बलादापतति, गुणवदोषानुवादात् । यदागमः“सीलमंता उवसंता 'संखाए रीयमाणा असीला । अणुवयमाणस्स बितिआ मंदस्स बालया ॥१॥ [आचाराङ्गसूत्र १८६ पत्र २५०/५१] तथा मार्गमेक आख्याता न चोञ्छजीवीत्यपि श्रुतिरस्ति । तदुक्तं થાના–“બાધારૂત્તા પામે છે ઉછનીવી' રૂતિ //રૂ-૨૭ના
“સંયમથી નિવૃત્ત થનારા પણ કેટલાક યથાવસ્થિત આચારને જણાવનારા છે' તેમ જ “માર્ગને જણાવનારા છે પણ ઉંછજીવી નથી.' - આ પ્રમાણે વચન છે. સત્તાવીસમા શ્લોકમાં જણાવેલી વાતનો આશય એ છે કે કેટલાક આત્માઓ (સંવિગ્નપાક્ષિક મહાત્માઓ જેવા) સંયમથી નિવૃત્ત હોવા છતાં પોતાના અસંયમનો પક્ષપાત કર્યા વિના આચારના વિષયમાં યથાસ્થિત જ પ્રરૂપણા કરે છે. તેઓ સ્પષ્ટપણે જણાવતા હોય છે કે આચાર તો આવો (શાસ્ત્રમાં જણાવ્યા મુજબનો) જ છે. પરંતુ અમે તે પ્રમાણે કરવા માટે શક્તિમાન-સહિષ્ણુ (સહન કરીને ૧. પ્રજ્ઞા (સંપાને) પરમિનીબા | ૨. “શીના પર્ત રતિ અનુવતો મચા
૧૧૬
માર્ગ બત્રીશી