Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
संविग्नेति-संविग्नभाविता बालाः पण्डिताश्च स्युः, पार्थस्थवासिता बालाः स्युः, तत्र पार्थस्थवासिता बाला आभिनिवेशिकाश्च बोध्याः । ये संविग्नभाविता बालास्तेऽपरिणता यथापरिणतिमजानाना द्रव्यादिकमविशेषतया एकान्तव्यवस्थानाः । तेन हेतुना । ये संविग्नभाविताः स्युः, ये च पार्श्वस्थभाविताः, तेषां द्रव्यादिकं मुक्त्वा । आदिना क्षेत्रादिग्रहः । शुद्धोञ्छं शुद्धपिण्डविधानं दर्शितं–“संविग्गभाविआणं लुद्धयदिटुंतभाविआणं च । मुत्तूण खित्तकालं भावं च कहिंति सुद्धंछ ।9।” इत्यादिना बृहत्कल्पादौ । अत्र हि संविग्नभावितान् प्रति द्रव्यादिकारणेष्वशुद्धस्यापि व्युत्पादनं, पार्श्वस्थभावितान् प्रति च शुद्धोञ्छविधेरेव तत्सार्थकमिति लभ्यते । इतरत्तु पिष्टपेषणतुल्यमिति ॥२-२९।।
“જેઓ સંવિગ્નોથી ભાવિત છે અને જેઓ પાર્શ્વસ્થથી ભાવિત છે તેમને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિવક્ષા કર્યા વિના શુદ્ધ પિંડ જ ગ્રહણ કરનારા પૂ. સાધુભગવંતો હોય છે-આ પ્રમાણે જણાવવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે.” - આ પ્રમાણે ઓગણત્રીશમી ગાથાનો સામાન્ય અર્થ છે.
કહેવાનો આશય એ છે કે આ પૂર્વેના શ્લોકમાં જણાવ્યું છે કે અખાતને પ્રાપ્ત કરાવવા માટેનો કોઈ પણ મહાત્માઓનો કાર્યારંભ હોય છે. એ મુજબ ધર્મોપદેશકો શ્રોતાની રુચિ મુજબ શ્રી જિનવચનનું પુણ્યશ્રવણ કરાવીને તેની સ્વ-પરતંત્રતાને અને બુદ્ધિની પરિકર્મિતતાને જાણીને નયાંતરનું શ્રવણ કરાવે છે. આ વાતનું સમર્થન કરતાં આ શ્લોકમાં જણાવ્યું છે કે સંવિગ્ન અને પાર્થસ્થથી ભાવિત એવા શ્રોતાને દ્રવ્ય, ક્ષેત્ર વગેરેના કારણે ગ્રહણ કરાતા અશુદ્ધ પિંડને છોડીને માત્ર શુદ્ધ પિંડ જ પૂ. સાધુભગવંતોને ગ્રહણ કરવાનો છે – એ સમજાવવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે.
મોક્ષની તીવ્ર અભિલાષાવાળા - સંવિગ્ન મહાત્માઓથી ભાવિત બાલજીવો અને પંડિતજીવો હોય છે. પાર્શ્વસ્થવાસિત બાલજીવો હોય છે અને તે અહીં અભિનિવેશવાળા સમજવા. સંવિગ્ન મહાત્માઓથી ભાવિત પણ પરિણત(પરિપક્વ) થયેલા ન હોવાથી તેઓ એમ જ માને છે કે પૂ. સાધુભગવંતોએ શુદ્ધ જ પિંડ ગ્રહણ કરવો જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને તેઓ સંયોગવિશેષમાં અશુદ્ધ પણ પિંડને લઈ શકે છે એ વાતને તેઓ જાણતા નથી. દહીં વગેરે વિશિષ્ટ દ્રવ્ય; અટવી વગેરે ક્ષેત્ર; દુષ્કાળાદિ કાળ અને રોગાદિ ભાવવિશેષને લઈને પૂ. સાધુભગવંતોને અશુદ્ધ પિંડ ગ્રહણ કરવાનો નિષેધ નથી - આ વાત સંવિન્રભાવિત એવા અપરિણત શ્રોતાને ખ્યાલમાં ન હોવાથી તેની રુચિ અનુસાર તેને શુદ્ધ પિંડની ઉપાદેયતા સમજાવવી. કારણ કે તેઓ દ્રવ્યાદિની વિશેષતાને ધ્યાનમાં લીધા વિના એકાંતે શુદ્ધ જ પિંડ પૂ. સાધુભગવંતે ગ્રહણ કરવો જોઈએ - એવું માને છે. તેથી તેમને તેમની રુચિ અનુસાર તે સમજાવવું. આ રીતે “ગાવી યથાવિ શ્રાવ્ય આનું સમર્થન થયું. હવે તો વાવ્યં નાન્દરમ્ આનું સમર્થન કરાય છે.
આશય એ છે કે શ્રોતાને જે વસ્તુની ખબર નથી તે વસ્તુ પણ અવસરે તેને જણાવવાની છે. પાર્થસ્થ(સાધુપણાના આચારમાં શિથિલ)થી ભાવિત એવા અભિનિવેશવાળા શ્રોતાને
એક પરિશીલન
૮૧