Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં વાસ્તવિક-ધમેદશના-પ્રદાતા પૂ. ગીતાર્થભગવંતોની સ્તવના કરાય છે
जानाति दातुं गीतार्थो य एवं धर्मदेशनाम् ।
कलिकालेऽपि तस्यैव प्रभावाद् धर्म एधते ॥२-३१॥ નાનાતીતિ–વ્ય: ર-રૂા.
“આ પ્રમાણે બાલાદિ જીવોને તેમની તેમની યોગ્યતા મુજબ ધર્મદેશના આપવાનું જે પૂ. ગીતાર્થ ગુરુભગવંત જાણે છે, તેમના જ પ્રભાવથી કલિકાલમાં પણ ધર્મ શોભે છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટ છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મનો પ્રસાર દરેક ભવ્યાત્માઓના હૃદય સુધી કરવા માટે ધમદશના વિના બીજો કોઈ ઉપાય નથી. એ પરમતારક ધર્મદિશના આપવાનો અધિકાર માત્ર પૂ. ગીતાર્થ ગુરુભગવંતને છે. પૂ. ગીતાર્થ ગુરુભગવંત દેશના આપવાના વિધિના જાણકાર હોવા જોઈએ. તેઓશ્રીના અચિંત્ય સામર્થ્યથી કલિકાલમાં પણ ધર્મ દીપે છે. શ્લોકમાં જણાવેલી આ વાત નિરંતર વિચારવી જોઈએ. શ્રી વીતરાગસ્તવમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે શ્રદ્ધાસંપન્ન શ્રોતા હોય અને સુંદર બુદ્ધિમાન વક્તા હોય તો એ બંન્નેના યોગે કલિકાલમાં પણ ભગવાનના શાસનનું સામ્રાજ્ય એકછત્રી બની જાય.
વર્તમાનની છિન્ન-ભિન્ન પરિસ્થિતિનું મુખ્ય કારણ આજની દેશના-પદ્ધતિ છે. ઉપર જણાવ્યા મુજબની શાસ્ત્રીય રીતે દેશના આપવાનું જયારથી બંધ થયું; ત્યારથી આજની વેરવિખેર સ્થિતિની શરૂઆત તો થઈ જ ગયેલી. મન બદલાય એટલે પ્રવૃત્તિ બદલાવાની જ. મોક્ષનું અર્થીપણું નાશ પામે એટલે બધું જ નષ્ટ છે. મોક્ષની સાધનાનો એ (મોક્ષનું અર્થીપણું) તો પ્રાણ હતો. એના નાશ પછી શું બચવાનું હતું?
જે ગીતાર્થ પૂ. ગુરુભગવંતો, કલિકાલજેવા ખરાબ કાળમાં પણ ધર્મને દીતિમાન રાખી શકે છે, એમાં એકમાત્ર આ ધર્મદેશનાનો જ પ્રભાવ છે. શાસ્ત્રીય રીતે દેશના આપવાનું કાર્ય બધા જ ધર્મદશકો કરે તો ચોક્કસ જ ધર્મનો વાસ્તવિક પ્રભાવ વધ્યા વિના નહિ રહે. શ્લોકમાં જણાવ્યા મુજબ ધર્મદેશના, શાસ્ત્રીય રીતે જ પૂ. ગીતાર્થ ગુરુભગવંતોએ જ આપવી જોઇએ. અન્યથા ધમેદશનાથી ધર્મની વૃદ્ધિ નહીં થાય - એ ભૂલવું ના જોઇએ. ર-૩૧
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના એકમાત્ર પ્રભાવક એવા પૂ. ગીતાર્થ ગુરુભગવંતને નમસ્કાર કરી આ પ્રકરણનું સમાપન કરાય છે–
८४
દેશના બત્રીશી