Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ननु पुरुषादिभेदेन देशनाभेदो न युक्तः, राजरङ्कयोरेकरूपेणैव देशनाभिधानात् । तथा चाचारसूत्रं“जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ । जहा तुच्छस्स कत्थइ तहा पुण्णस्स कत्थइ” (आचारांगसूत्र १०१ पत्र १४५) इति । सूत्रोल्लङ्घनं च महतेऽनयेत्याशङ्क्याह
આ રીતે બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ભેદ કરવો (ફેરફાર કરવો) : એ યોગ્ય નથી. કારણ કે રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાનું વિધાન છે. શ્રી આચારાંગસૂત્રમાં (ફૂ.નં.૧૦૧) જણાવ્યું છે કે; પુણ્યશાળી રાજા વગેરેને જેવી દેશના અપાય છે તેવી જ દેશના ગરીબ વગેરે તુચ્છ જનોને અપાય છે. જેવી દેશના તુચ્છ ગરીબ વગેરેને અપાય છે, તેવી જ દેશના રાજા વગેરે પુણ્યવંત આત્માને અપાય છે. આથી સમજી શકાય છે કે શ્રી આચારાંગસૂત્રમાં જીવમાત્રને એકસરખી જ દેશના આપવાનું ફરમાવ્યું છે. તેથી બાલાદિ જીવોને આશ્રયીને દેશનામાં ફેરફાર કરવાનું ઉચિત નથી. કારણ કે સૂત્ર-આગમનું ઉલ્લંઘન મહાન અનર્થનું કારણ છે – આવી શંકાનું નિરાકરણ કરાય છે
कोऽयं पुरुष इत्यादिवचनादत एव च । पर्षदादिविवेकाच्च व्यक्तो मन्दस्य निग्रहः ॥२-४॥
कोऽयमिति-अत एव च विपर्यये दोषादेव च । कोऽयं पुरुष इत्यादिवचनानन्द्यावश्यकादौ । पर्षदादीनां विवेकाद्विवेचनाच्च । मन्दस्य देशादिपुरुषादिज्ञानाभाववतो वक्तुः । निग्रहोऽपसिद्धान्तलक्षणः । व्यक्तः प्रकट एव । अयं भावः-उक्ताचारसूत्रं साधोधर्मव्याख्याने निरीहतामात्रद्योतकमेव । राजादेरभिप्रायाननुसरणे प्रकटदोषोपदर्शनपूर्वमनुपदमेव तत्र पुरुषादिदेशादिपरिज्ञानवत्त्वेन देशनाधिकारित्वाभिव्यञ्जनात् । तदुक्तं-“अवि य हणे अणाइयमाणे एत्थं पि जाण सेयं ति णत्थि केयं पुरिसे कंच णए त्ति” । (आचारांगसूत्र १०२ पत्र १४५/१४६) किं चैवं पुरुषादिपरिज्ञानानावश्यकत्वे पर्षदादिगुणदोषोपवर्णनं तत्र तत्र व्यर्थं વિતિ રિ-૪.
“યથાસ્થાનદેશના આપવામાં ન આવે તો પરસ્થાનદેશના આપનાર વક્તાને કુશીલતાસ્વરૂપ દોષનો પ્રસંગ આવતો હોવાથી જ છોડ પુરુષ... ઇત્યાદિ વચનથી (શ્રી આચારાંગમાં) પુરુષાદિને જાણવાની અને પર્ષદાદિના વિવેચનથી (શ્રી નંદીસૂત્રાદિમાં) પર્ષદાને જાણવાની વાત કરીને; તેમ કરવામાં ન જ આવે તો પરસ્થાનદેશનાને આપનારા મંદનો નિગ્રહ સ્પષ્ટપણે જણાવ્યો છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે યથાસ્થાનદેશના આપવામાં ન આવે અને ઉપર જણાવ્યા મુજબના શ્રી આચારાંગસૂત્રના વચનાનુસાર રાજા અને રંકને એકસરખી જ દેશના આપવાની હોય તો; શ્રી આચારાંગસૂત્રમાં જ આગળ જઈને જે જણાવ્યું છે કે “કોણ પુરુષ છે...” વગેરે - તે, ધર્મદશકે જોવું જોઈએ. તેમ જ શ્રી નંદીસૂત્ર વગેરેમાં પર્ષદાદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
એક પરિશીલન
૪૯