Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
एतस्यैव फलमभिष्टौतिભાવનાજ્ઞાનના જ ફળનો પ્રભાવ જણાવાય છે–
एतेनैवोपवासादेवैयावृत्त्यादिधातिनः ।
नित्यत्वमेकभक्तादे जानन्ति बलवत्तया ॥२-१६॥ एतेनेति-एतेनैव भावनाज्ञानेनैव । उपवासादेवैयावृत्त्यादिबलवद्गुणघातिनः सकाशात् । बलवत्तया नित्यत्वं सार्वदिकत्वम् “अहो णिच्चं तवोकम्म” इत्याद्यागमप्रसिद्धमेकभक्तादेर्जानन्ति निश्चिन्वन्ति उपदेशपदादिकर्तारः । अन्यथा हि यथाश्रुतार्थमात्रग्राही एकभक्तापेक्षयोपवासादेरेव बलवत्त्वश्रयणात् पूर्वापरविरोधोद्भावनेनैव म्रियेतेति भावः । विस्तरस्तूपदेशरहस्ये ॥२-१६।।
“વૈયાવૃત્યાદિગુણનો નાશ કરનારા ઉપવાસાદિની અપેક્ષાએ નિત્ય એકાશનાદિને આ ભાવનામય જ્ઞાનથી જ બલવત્ તરીકે શાસ્ત્રકારો જાણે છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સામાન્ય રીતે શ્રી દશવૈકાલિકાદિમાં ફરમાવ્યું છે કે સંયમના અનુપાલનનો વિરોધ ન આવે તે રીતે દેહના પાલન માટે નિત્ય એકાશન - આ તપ શ્રેષ્ઠ છે. તેમ જ એકાશન કરતાં ઉપવાસાદિ શ્રેષ્ઠ છે – એમ પણ શાસ્ત્રમાં જણાવ્યું છે. તો એ બે કઈ રીતે સંગત થાય? આ પ્રમાણેની જિજ્ઞાસામાં ભાવનાજ્ઞાનથી મુમુક્ષુ આત્માને સમજાય છે કે ઉપવાસાદિ તપ કર્યા પછી પ્રબળ એવા વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, વિહાર અને પ્રતિલેખનાદિ વિહિત ક્રિયાઓ વગેરે ગુણોનો નાશ થતો હોય તો; આવા ઉપવાસાદિ તપ કરતાં એવા ગુણોની પ્રાપ્તિ કે રક્ષા માટે કારણભૂત નિત્ય એકાશન શ્રેષ્ઠ છે. ભાવનાજ્ઞાનથી જ એ સમજી શકાય છે. ભાવનાજ્ઞાન ન હોય તો આ રીતે સમજી નહિ શકાય.
ઉપર જણાવ્યા મુજબ ભાવનાજ્ઞાનથી જ; બલવાન એવા વૈયાવૃજ્યાદિગુણની હાનિ કરનારા ઉપવાસાદિ તપ કરતાં કરી ચિંતવનું ઇત્યાદિ આગમપ્રસિદ્ધ નિત્ય એકાશનાદિ તપ શ્રેષ્ઠ-બલવાન છે. - આ પ્રમાણે શ્રી ઉપદેશપદાદિના કર્તા શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા નિશ્ચિત કરે છે. અન્યથા આ ભાવનાજ્ઞાન ન હોય તો યથાશ્રુતાર્થમાત્રને ગ્રહણ કરનાર, એકાશન કરતાં ઉપવાસ જ બલવાન છે - એમ સમજીને પૂર્વાપરવાક્યના વિરોધનું ઉલ્કાવન કરવામાં જ પોતાનું જીવન પૂર્ણ કરશે. વિસ્તારથી આ બધું સમજવાની ભાવના જેમને હોય તેમણે ઉપદેશરહસ્યનું અવલોકન કરવું જોઇએ.
હત્રિરાશિવા' મા-૭ (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકમાં આ શ્લોકની (૨-૧૦ની) ટિપ્પણીમાં તેના ભાવાનુવાદકારે જે જણાવ્યું છે તે તદન વિચિત્ર છે. એનો ખ્યાલ આવે-એ માટે એ અંગે “શ્રી જિનશાસનની મોસૈકલક્ષિતામાં થોડું જણાવ્યું હતું. તે અહીં પણ જણાવવાનું આવશ્યક હોવાથી નીચે જણાવ્યું છે.
એક પરિશીલન
હ૫