Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બધાને સરખા માનવાની વાત આ શ્લોકને અનુરૂપ નથી. માત્ર પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે શાસ્ત્ર-નિરપેક્ષ વાતો કરવાથી પરમતારક શ્રી જિનશાસનનું ગૌરવ વધતું નથી. ll૧-૨૮ દાનના ચાર ભાંગા(પ્રકાર)નું નિરૂપણ કરીને હવે સુપાત્રના પ્રકાર જણાવાય છે
अतः पात्रं परीक्षेत दानशौण्डः स्वयं धिया ।
तत् त्रिधा स्यान्मुनिः श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः ॥१-२९॥ ગત રૂતિ સ્પષ્ટ: I9-૨૧
સંયતને શુદ્ધદાન અને કારણે અશુદ્ધદાન આપવાથી ઈષ્ટની પ્રાપ્તિ થાય છે; અને અસંયતને શુદ્ધ કે અશુદ્ધદાન આપવાથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તેથી દાન આપવામાં તત્પર એવા ગૃહસ્થ પાત્ર(સદસત્પાત્ર)ની પરીક્ષા કરવી જોઇએ. તે પાત્ર (સત્પાત્ર) ત્રણ પ્રકારનું છે. મુનિ, શ્રાવક અને સમ્યગ્દષ્ટિ: આ ત્રણ પાત્ર, દાન આપવા માટે યોગ્ય છે. કહેવાનો આશય એ છે કે સુપાત્રદાન કરવાની ભાવનાવાળાએ સુપાત્રને બરાબર શોધી લેવું જોઈએ. જે સુપાત્ર ન હોય તેને સુપાત્ર માનીને દાન આપવાથી જે અનિષ્ટની પ્રાપ્તિ થાય છે; તેનાથી દૂર રહેવા સુપાત્રને જાણી લેવાનું ખૂબ જ આવશ્યક છે.
સર્વવિરતિને ધરનારા પૂ. મુનિભગવંતો, દેશવિરતિને ધરનારા શ્રાવકો અને સમ્યગ્દર્શનને ધરનારા સમ્યગ્દષ્ટિ આત્માઓ સત્પાત્ર છે. એની ભક્તિ ભાવથી નિસ્તારનારી છે. ગૃહસ્થજીવનમાં મોક્ષસાધક યોગની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરવો પડે છે - એ પ્રયત્નની અપેક્ષાએ ખૂબ જ અલ્પ પ્રયત્ન સુપાત્રદાનનો યોગ પ્રાપ્ત થતો હોય છે. સુપાત્રદાન માટે કોઈ સાધન પ્રાપ્ત કરવાનું નથી. પોતાની પાસે જે છે તેનો ઉપયોગ કરી સુપાત્રદાન કરવાનું છે. ભવથી નિસ્તરવાની ભાવના હોય તો એ માટે સુપાત્રદાન જેવું કોઇ સરળ અને સરસ સાધન નથી. કોણ જાણે કેમ એની ઉપેક્ષા સેવાય છે - એ સમજાતું નથી. જ્યાં પણ થોડીઘણી પ્રવૃત્તિ દેખાય છે; ત્યાં ભવથી નિસ્તરવાની ભાવનાનાં દર્શન ભાગ્યે જ થતાં હોય છે. મોટા ભાગે, “આપવાથી મળે છે' - એવી ભાવના ત્યાં કામ કરતી જોવા મળે છે. આપવાથી મળે છે એમાં ના નહિ. પરંતુ આપવાનું, મેળવવા માટે નથી - એ યાદ રાખવું જોઈએ. પૂ. મુનિભગવંતોને મુનિભગવંત તરીકે જાણીને જેમ સુપાત્રદાન કરવાનું છે તેમ શ્રાવકોને અને સમ્યગ્દષ્ટિ આત્માને પણ તે તે સ્વરૂપે જાણીને જ (પરીક્ષા કરીને જ) સુપાત્રદાન કરવું જોઈએ. લોકોત્તર માર્ગની પોતપોતાની યોગ્યતા મુજબ યથાશક્તિ આરાધના કરનારા પરમતારક સત્પાત્રની ભક્તિ કરવાથી ભવથી તરાય છે. ગૃહસ્થજીવનમાં પરમ આવશ્યક એવા આ સુપાત્રદાનની પ્રત્યે જે ઉપેક્ષા સેવાય છે તે કોઈપણ રીતે અહિતકર બન્યા વિના નહિ રહે. આજે દાનની પ્રવૃત્તિ ઠીક ઠીક વધી છે પણ સાથે સાથે ઉપર જણાવ્યા મુજબના સુપાત્રદાનની પ્રવૃત્તિ પ્રમાણમાં ખૂબ
૩૪
દાન બત્રીશી