Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તરવાની ભાવનાથી સુપાત્રદાનાદિ શક્તિ અનુસાર વિહિત છે. આપણી શક્તિ કેટલી છે તેનો સારી રીતે ક્યાસ કાઢી શક્તિને છુપાવ્યા વિના અને શક્તિનું અતિક્રમણ કર્યા વિના દાન આપવાનું છે. આવી જાતનું દાન જ મોક્ષનું કારણ બને છે. બચાવીને આપવાની વૃત્તિ દાનને યથાશક્તિ બનવા દેતી નથી. આજની પરિસ્થિતિ તદન વિચિત્ર છે. યથાશક્તિ વિધિ અને ધર્મની પ્રભાવના વગેરે; દાનમાં જ નહિ, દરેક ધર્માનુષ્ઠાનમાં ક્વચિત જ જોવા મળે. અંતે પરમપુણ્યોદયે પ્રાપ્ત થયેલી સામગ્રીનો પૂર્ણપણે ઉપયોગ કરી દાનધર્મની આરાધના દ્વારા, શ્લોકના અંતે જણાવ્યા મુજબ આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ... એ જ એક શુભાભિલાષા. ll૧-૩રા.
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां प्रथमा दानद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૪૪
દાન બત્રીશી