Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનીએ તો વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પણ પ્રતિબંધક માનવાનો પ્રસંગ આવશે. વર્જનાભિપ્રાયાભાવને જ વિશેષણ બનાવવું જોઇએ અને વિરાધનાને જ વિશેષ માનવું જોઈએ – એવા નિયમમાં કોઈ પ્રમાણ નથી. વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક મનાય તો વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પ્રતિબંધક કેમ ન મનાય - આ રીતે બંનેને પ્રતિબંધક માનવાના પ્રસંગથી તો ગૌરવ છે.
જોકે વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધના અને વિરાધનાવિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવ એ બંનેમાં અર્થની દૃષ્ટિએ કોઈ ફરક પડતો ન હોવાથી આર્થિક ગૌરવ નથી. પરંતુ આ રીતે જેને પ્રતિબંધક મનાય છે અને જેને સ્વતંત્ર કારણ મનાય છે તે પ્રતિબંધકના વિશેષણ તરીકે તે કારણના અભાવને લઈને પ્રતિબંધક માનવામાં લાઘવ ઇષ્ટ હોય તો દુષ્ટજ્ઞાન; દોષાભાવવિશિષ્ટબાધ સ્વરૂપે જ અનુમિતિની પ્રત્યે પ્રતિબંધક છે – એમ માનવાનો પ્રસંગ આવશે. આશય એ છે કે શકુ વેતઃ ઈત્યાકારક અનુમિતિની પ્રત્યે શકુ પીતઃ (શ્વતત્કામાવવાન) આવા પ્રકારનું બાધજ્ઞાન પ્રતિબંધક છે. પરંતુ પત્તિમાદિ (પીળિયો વગેરે) દોષ સ્થળે શકુ વીતઃ આવું જ્ઞાન થાય તો તે જ્ઞાન પ્રતિબંધક થતું નથી. આથી સમજી શકાશે કે દોષ(પિરિમાદિ)ના અભાવમાં જ બાધજ્ઞાન અનુમિતિની પ્રત્યે પ્રતિબંધક બનતું હોવા છતાં બાધજ્ઞાનમાં પ્રતિબંધકતા બાધસ્વરૂપે જ મનાય છે, દોષાભાવ(પિત્તિયાદિદોષાભાવ)વિશિષ્ટ બાધરૂપે પ્રતિબંધકતા મનાતી નથી. અર્થાત્ બાધજ્ઞાન પ્રતિબંધક છે, દોષાભાવવિશિષ્ટ બાધજ્ઞાન પ્રતિબંધક મનાતું નથી. દોષાભાવ સ્વતંત્ર રીતે પ્રતિબંધ પ્રયોજક મનાય છે. નિર્જરાની પ્રત્યે વર્જનાભિપ્રાય કારણ છે. વિરાધના પ્રતિબંધક છે. જ્યાં વિરાધના છે અને સાથે વર્જનાભિપ્રાય છે ત્યાં વિરાધના પ્રતિબંધક બનતી નથી. વર્જનાભિપ્રાયના અભાવમાં જ વિરાધના પ્રતિબંધક બને છે. તેથી જો વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવામાં આવે તો બાધજ્ઞાનને પણ બાધસ્વરૂપે પ્રતિબંધક ન માનતા દોષાભાવવિશિષ્ટ બાધ સ્વરૂપે જ પ્રતિબંધક માનવાની આપત્તિ આવશે... એ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ.
વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક માનવાથી દોષાભાવવિશિષ્ટબાધસ્વરૂપે દુષ્ટજ્ઞાનને (બાધાદિદોષવિષયકજ્ઞાનને); અનુમિતિ(પર્વતો વહિનાનું...... ઇત્યાદિ સ્વરૂપ જ્ઞાન)ની પ્રત્યે પ્રતિબંધક માનવાની આપત્તિ આવે છે - તે ઈષ્ટ જ છે. કારણ કે ત્યાં પણ લાઘવ થાય તો તે ઈષ્ટ છે, તેથી વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબંધક માનવામાં કોઈ દોષ નથી.” - આ પ્રમાણે કહેવાનું પણ ઉચિત નથી. કારણ કે જ્યાં વર્જનાભિપ્રાયાભાવસ્વરૂપ વિશેષણ છે અને વિરાધનાસ્વરૂપ વિશેષ્ય નથી, ત્યાં વિશેષ્યના અભાવના કારણે (વિશેષ્યાભાવપ્રયુક્ત); વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાનો (પ્રતિબંધકનો) અભાવ હોવાથી નિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિનો અનિષ્ટ પ્રસંગ આવશે. જ્યાં
દાન બત્રીશી