Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મ પ્રકૃતિને બંધ કરે છે અને કોઈ અબખ્યક હોય છે અર્થાત્ કોઈ પણ પ્રકૃતિનો બંધ નથી કરતા.
સમુચ્ચય જીવના સમાન મનુષ્યની વક્તવ્યતા પણ સમજી લેવી જોઇએ, અર્થાત મનુષ્ય પણ કદાચિત સાત પ્રકૃતિના, કદાચિત આઠ પ્રકૃતિ, કદાચિત્ છ પ્રકૃતિના, કદાચિત્ એક કર્મપ્રકૃતિના બંધક હોય છે અને કદાચિત અબંધક હોય છે.
હવે ગૌતમસ્વામી બહુવચનને આશ્રય લઈને પ્રશ્ન કરે છે હે ભગવન્! પ્રાણાતિપાતથી વિરત મનુષ્ય કેટલી કર્મ પ્રકૃતિને બંધ કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! બધા જીવ સાત કર્મ પ્રકૃતિને બાંધનારા હોય છે અને ઘણા એકને બાંધનારા હોય છે (૧)
* પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂકસંપરાય ગુણસ્થાને વાળા સાત પ્રકૃતિના બન્ધક હોય છે, કિન્તુ પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત જયારે આયુકમને પણ બંધ કરે છે, ત્યારે આઠના બંધક થાય છે.
આયુકમને બંધ કદાચિત્ જ અર્થાત્ એક ભવમા એકજ વાર થાય છે, તેથી જ આયુના બંધક સદેવ નથી મળી આવતા. પ્રમત્ત અને અપ્રમત્ત સદૈવ ઘણું સંખ્યામાં મળી આવે છે, અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદર કયારેક નથી પણ હતા કેમ કે આગમમાં તેમના વિરહનું પણ પ્રતિપાદન કરેલું છે. ઉપશાત મોહ ક્ષીણમેહ અને સયાગી કેવલી એક પ્રકૃતિનાજ બંધક થાય છે, કદાચિત નથી પણ હતા, તેમને વિરહ પણ હોઈ શકે છે, કિન્તુ સગી કેવલી સદેવ મળી આવે છે, તેમને કયારેય વિચ્છેદ થતો નથી, તેથી જ ઘણા જીવ સતિના બન્ધક અને ઘણું એકના બંધક હોય છે, આસિદ્ધ થયું. આ પ્રથમ ભંગ પણ પૂર્ણ થયો.
* દ્વિતીય ભંગ–અથવા અનેક સાત કર્મપ્રકૃતિના બંધક, અનેક જીવ એક પ્રકૃતિના બંધક અને કોઈ એક જીવ આઠ પ્રકૃતિને બધેક થાય છે. (૨)
તૃતીય ભંગ અથવા અનેક સાત કર્મપ્રકૃતિયાના બધેક, ઘણું એક પ્રકૃતિના બંધક અને ઘણા આઠે પ્રકૃતિનો બંધક હોય છે
ચા ભંગ-કયારેક કયારેક છ પ્રકૃતિના બંધ કરનારા જીવ પણ હોય છે, ક્યારેક કયારેક નથી પણ હતા, તેમનો વિરહ છ માસ સુધી હોઈ શકે છે. જે હોય છે તો જઘન્ય એક કે બે હોય છે. ઉત્કૃષ્ટ એક સે આઠ તેથીજ આઠના બંધના અભાવવાળા અને છના બંપકના સદૂભાવવાળા પદથી બે ભંગ કહે છે. અથવા અનેક સાત પ્રકૃતિના બંધક, અનેક એક પ્રકૃતિના બંધક અને એક જીવ છે પ્રકૃતિનબંધક થાય છે. અથવા અનેક સાતના બંધક, અનેક જીવ એક પ્રકૃતિના બંધક અને કેઇ એક આયુ તથા મેહનીય પ્રકૃતિને છોડીને છ પ્રકૃતિના બંધક થાય છે (૪)
અથવા ઘણા જીવ સાત કર્મપ્રકૃતિના બંધક થાય છે, ઘણા એક પ્રકૃતિના બંધક થાય છે અને ઘણા છ પ્રકૃતિના બંધક થાય છે. (૫)
આગિ કેવલી અબંધક પણ કદાચિત્ મળી આવે છે, કદાચિત નથી મળતા. કેમકે તેમને ઉત્કૃષ્ટ વિરહ છ માસ હોય છે, તેઓ જઘન્ય એક કે બે તથા ઉત્કૃષ્ટ એકસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૫