Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(નાવ રોમાળિયા નાળિયેરે) વાવનું વૈમાનિકના વૈમાનિક પર્યાયમાં રહે છે. સૂદ છે
ટીક્રાથ:-આના પહેલાં એકત્વની અપેક્ષાએ નિરયિક આદિન નારક આદિ અવસ્થામાં અતીત અને અનાગત વેદના આદિ સમુદુઘાતેનું નિરૂપણ કરાયું છે.
હવે બહત્વની અપેક્ષાથી તેજ નારક આદિના અતીત અને અનાગત વેદના આદિ સમુદ્દઘાતની પ્રરૂપણ કરવાને માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! (ઘણુ) નારકના નાક પર્યાયમાં રહેતાં છતાં કેટલા અતીત વેદના સમુદ્દઘાત છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! અનન્ત નારકના નારક પર્યાયમાં રહેતા છતાં અતીત વેદના સમુદ્રઘાત અનન્ત છે. કેમકે અનેક નારકોને અવ્યવહાર રાશિથી નિકળે અનન્તકાળ વ્યતીત થઈ ગયેલ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! વેદના સમુદ્રઘાત ભાવી કેટલા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેના નારકર્યાયમાં ભાવ સમુદ્દઘાત અનન્ય છે, કેમકે વર્તમાનકાળમાં જે નારક છે, તેમનામાંથી ઘણા અનન્તવાર પુનઃનરમાં ઉત્પન થશે.
જેવા નારકોના નારપર્યાયમાં વેદના મુદ્દઘાત કહ્યા છે, તેવા જ અસુરકુમાર આદિ ભવનવાસી પર્યાયમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિકલેન્દ્રિય પર્યાયમાં પંચેન્દ્રિય તિર્યંચ પર્યાયમાં, મનુષ્યપર્યાયમાં, વાનધ્યન્તર પર્યાયમાં, તિક પર્યાયમાં અને વૈમાનિક પર્યાયમાં અર્થાત્ આ બધા જ પર્યામાં રહેતા છતાં નારકોના અતીત વેદનાસમુદ્દઘાત અને અનન્ત ભાવી વેદના સમુદુઘાત છે.
જેમ નારક પર્યાયથી લઈને વૈમાનિક પર્યાય સુધીમાં રહેલા અતીત અને અનાગત વેદના સમુદ્રઘાત કહ્યા છે એજ પ્રકારે અસુરકુમાર આદિથી લઈને વૈમાનિકો સુધી કહેવા જોઈએ. એજ સૂત્રકાર કહે છે-નારકની સમાન જ વૈમાનિકો સુધી બધા જીના સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં અર્થાત જેવીસે દંડકમાં અતીત અને અનાગત વેદના સમુદુ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૭૧