Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમવહત અને અસમવહત પંચેન્દ્રિય તિર્ય માં કે ણ કેન થી અપ, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! તૈજસસમુદ્રઘાતથી સમવહત પંચેન્દ્રિય તિર્યંચ બધાથી ઓછા છે, કેમ કે તેજલબ્ધિ છેડામાં જ હોય છે. તેમની અપેક્ષાએ ક્રિય સમુદ્રઘાતથી સમવહત અસંખ્યાતગણ છે, કેમ કે ઑક્રિયલબ્ધિ અપેક્ષાકૃત ઘણામાં હોય છે. તેમની અપેક્ષાએ પણ મારણાન્તિક સમુઘાતથી સમવહત અસંખ્યાતગણ છે, કેમ કે સંમૂર્ણિમ જલચર, થલચર અને ખેચર બધામાં જે વિક્રિયલબ્ધિથી રહિત હોય છે, તે પ્રત્યેક પ્રસ્તોની અપેક્ષાએ અસંખ્યાતગણી હોય છે. કોઈ કોઈ ગર્ભમાં પણ જે વક્રિય લબ્ધિથી રહિત અને વૈક્રિયલબ્ધિથી સહિત છે, તેમનામાં પણ મારણતિક સમુદ્રઘાતથી સમવહત અસંખ્યાતગણી છે, કેમ કે મરનારા જીવોની અપેક્ષાએ ન મરનારા અસંખ્યા તગણુ છે અને તેમનામાં વેદના મુદ્દઘાતથી મવહત પંચેન્દ્રિય તિવચ સંખ્યાત ગણું છે અને તેમની અપેક્ષાએ પણ અસમવહત પંચેન્દ્રિય તિર્યંચ સંખ્યાતગણુ છે. યુક્તિપૂર્વવત જ સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! વેદના સમુદ્યાતથી સમવહત, કષાય મુદ્દઘાતથી સમવહત, મારણાન્તિક સમુદ્દઘાતથી સમવહત, વૈક્રિયસમુદ્રઘાતથી સમવહત, તેજસસમુદ્દઘાતથી સમવહત, આહારક સમુદ્ઘતિથી સમવહત, કેવલિસમુઘાતથી સમવહત અને અસમાવહત મનુષ્યમાં કોણ કોનાથી અલપ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! આહારકસમુદ્રઘાતથી સમવહત મનુષ્ય બધાથી ઓછા છે, કેમકે આહારક શરીરને આરંભ કરનારા મનુષ્ય અત્ય૯૫ જ હોય છે. તેમની અપેક્ષાએ કેવલિ સમુદ્રઘાતથી સમવહત મનુષ્ય સંખ્યાતગણ અધિક છે, કેમકે તેઓ શતપૃથકત્વ (બસેથી નવસે સુધી)ની સંખ્યામાં મળે છે. તેમની અપેક્ષાએ તૈજસૂસમુદ્રઘાતથી સમવહત સંખ્યાલગણા છે, તેમની અપેક્ષાથી વૈક્રિયસમુઘતથી સમવહત મનુષ્ય સંખ્યાતગાણા છે, તેમની અપેક્ષાએ મારણતિક સમુઘાતથી સમવહત મનુષ્ય અસંખ્યાતગણ છે, કેમ કે મારસુતિક સમુદ્દઘાત, સંમૂછિમ મનુષ્યમાં પણ મળી આવે છે. તેમની અપેક્ષાએ વેદના સમુદ્રઘાતથી સમવહત મનુષ્ય અસંખ્યાતગણી હોય છે, કેમકે પ્રિયમાણ ની અપેક્ષાએ અશ્રિયમાણ અસંખ્યાતગણ અધિક હોય છે અને વેદના સમુદ્રઘાત અપ્રિયમાણમાં પણું હોય છે. તેમની અપેક્ષાએ કષાયસમુદ્દઘાતથી સમવહત મનુષ્ય સંખ્યાતગણ હોય છે. અને કષાયસ મુદ્દઘાતવાળા ઓની અપેક્ષાએ પણ અસમવહત બધા સમુદ્રઘાતથી રહિત મનુષ્ય અસંખ્યાતગણી છે, કેમકે અલ્પ કષાયવાળા સંભૂમિ મનુષ્ય ઉત્કૃષ્ટ કષાયવાળાઆથી સદા સંખ્યાલગણ હોય છે.
વાનચન્તરે, તિષ્ક અને વૈમાનિકની વક્તવ્યતા અસુરકુમારના સમાન છે. સૂ૮
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
3८४