Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મૂર્શિત કરે છે અને તેમને નિપ્રાણ બનાવે છે.
- પ્રાણને અર્થ છે દ્વીન્દ્રિય, બ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવ જેવા શંખ, કોડી, માખી વગેરે. ભૂતને અર્થ વનસ્પતિ કાયિક જીવ છે. જીવ અર્થાત્ પંચેન્દ્રિય પ્રાણી જેવા છીપકલી, સાપ વગેરે સત્વ અર્થાત્ પૃથ્વીકાયિક, અપાયિક, તેજસૂકાયિક અને વાયુકાયિક જીવ.
તે ભગવાન ! આ પ્રાણ, ભૂત, જીવ અને સત્વને આહત વગેરે કરવાનાં કારણે સમુઘાત કરવાવાળા જીવોને કેટલી ક્રિયાઓ લાગે છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાઓ, કદાચ, ચાર કિયાઓ, અને કદાચ પાંચ ક્રિયાઓ હોય છે. જ્યારે કોઈ જીવને પરિતાપ નથી કરતા અને ન જીવન ભારેપણુ કરે છે, ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય છે. જ્યારે કોઈનાં પરિતાપન કરે છે અથવા મારે છે ત્યારે પણ, જેમને પીડા થતી નથી તેમની અપેક્ષાથી ત્રણ ક્રિયાવાળા બને છે. જ્યારે કોઈને પરિતાપ ઉત્પન્ન કરે છે અથવા મારે છે. ત્યારે ચાર ક્રિયા વાળા હોય છે. જ્યારે કે છોને ઘાત કરે છે, તે તેમની અપેક્ષ થી પાંચ કિયાવાળા થાય છે.
હવે વે ના સમુદ્દઘાતગત આગળનાં જીવને ઉદ્દેશીને તેની અપેક્ષાથી વેદના સમુદ્રઘાતગત પુરૂષ પુદ્ગલોથી પૃષ્ટ જીવોની ક્રિયાઓનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! વેદના સમુદ્રઘાત કરનારા જીવનાં પુદ્ગલથી પૃષ્ટ જીવ, વેદનાસમૃદુઘાત જીવની અપેક્ષાથી કેટલી ક્રિયાવાળા કહેલ છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! કદાચિત ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા અને કદાચિત પાંચ ક્રિયાવાળા કહેલા છે. જ્યારે તેઓ તેને કઈ પીડા ઉત્પન્ન કરવામાં સમર્થ નથી થતાં ત્યારે ત્રણ ક્રિયાવાળા હોય છે, જ્યારે પ્રુષ્ટ થઈને તેઓ એ વેદનાથી સમવહત જીવને પરિતાપ પહોંચાડે છે ત્યારે ચાર ક્રિયાવાળા થાય છે. શરીરથી સ્પષ્ટ થનારા વૃશ્ચિક આદિ પરિતાપ જનક હોય છે. આ પ્રત્યક્ષ સિદ્ધ છે, પણ તે પૃષ્ટ થનારા જીવ જ્યારે તેને પ્રાણથી પણ ઉપરત કરી દે છે ત્યારે પાંચ ક્રિયાવાળા હોય છે. શરીરથી પૃષ્ટ થનારા સર્પ વગેરે પિતાના ડંખ દ્વારા પ્રાણઘાતક હોય છે. આ પણ પ્રત્યક્ષપણે જ સિદ્ધ છે. આ પાંચ ક્રિયાઓ આ છે-(૧) આરંભિકી (૨) પ્રાષિક (૩) આધિકરણિકી () પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી.
વેદનાસમુદ્ઘ ત કરનારા જીવે, જીવના દ્વારા મરી જતાં જીનાં દ્વારા જે અન્ય જીવ મરાય છે અને અન્ય છ દ્વારા મારી નાખવામાં આવતા વેદના સમુદ્દઘાતગત જીવના દ્વાર મરાય છે, તે જેની અપેક્ષાએ વેદના મુદ્દઘાતગત જીવન અને વેદના સમુદુઘાત જીવના પુદ્ગલોથી પૃષ્ટ જીવોને થનારી ક્રિયાઓનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન ! તે વેદના મુદ્દઘાતને પ્રાપ્ત થયેલ જીવ અને તે વેદના સમુદુઘાતને પ્રાપ્ત જીવ સંબંધી પુદ્ગલોથી પૃષ્ટ જીવ, અન્ય જીવેની પરંપરા આઘાતથી કેટલી ક્રિયાઓવાળા હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત ત્રણ ક્રિયાઓ વાળા, કદાચિત ચાર ક્રિયાઓવાળા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૦૧