Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બમણ-ગમણે છે. એ જ પ્રકારે જમ્બુદ્વીપથી લઈને આગળ લવણસમુદ્ર અને ધાતકીખંડ વગેરે દ્વીપ છે, તે બધા પિતાનાથી આગલા દ્વિીપ-સમુદ્રથી લંબાઈ પહેળામાં બમણું અને પરિધિમાં પણ ઘણા મોટા છે. એ કારણે જમ્બુદ્વીપ બધાથી નાખે છે. તે જમ્બુદ્વીપ વૃત્ત અર્થાત વર્તુલાકાર છે, કેમ કે તેલમાં તળેલા પુખાના આકારે છે. તેલમાં તળેલા યુવા પ્રાયઃ બરાબર ગોળ હોય છે, ઘીમાં તળેલા નહીં. એ કારણે અહીં તેલમાં તળેલ કહેલ છે. તે જમ્બુદ્વીપ વર્તુલ છે કેમ કે તેનો આકાર રથના ચક્રના સમાન મંડલાકાર છે, તે વર્તે છે. કેમ કે કમની કર્ણિકાન સમાન આકારને છે. એજ પ્રકારે તે વર્તલ છે, કેમ કે પૂર્ણિમાના ચદ્રના આકારે છે.
તે લંબાઈ પહેળાઈમાં એક લાખ જન છે, ત્રણ લાખ સેળ હજાર બસે સત્યાવીસ જન, ત્રણ ગભૂતિ એક અઠયાવીસ ધનુષ્ય અને સાડાર આગળથી કાંઈક અધિકની તેની પરિધિ છે.
કઈ મહાન ત્રાદ્ધિના ધારક દેવ હેય યાવત મહતી તિવાળા હોય, મહાબળવાન, મહાન યશસ્વી તેમજ મહાસૌખ્યવાન હોય, તે દેવ સવિલેપન અર્થાત લાખ વગેરેનાં ઢાંકણાવાળી ગંધદ્રવ્યથી પરિપૂર્ણ સમુદગક (ડાબલી) અગર કઈ વિશિષ્ટ પાત્રને લઈને ખેલે, તે સવિલેપન તેમજ ગંધ દ્રવ્યથી પરિપૂર્ણ સમુદ્ગકને ખોલીને સંપૂર્ણ જમ્બુદ્વીપ નામક દ્વીપના ત્રણ ચપટીમાં અર્થાત્ ત્રણ ચપટી વગાડવામાં જેટલો સમય લાગે છે તેટલા સમયમાં ત્રણ-સાત અર્થાત્ એકવીસ વાર ચકકર લગાવીને શીઘ આવી જાય તે હિં ગૌતમ! તે ગન્ધના પગલેથી સંપૂર્ણ જમ્બુદ્વીપ વ્યાપ્ત થાય છે?
શ્રી ગૌતમસ્વામી ઉત્તર આપે છે-હા, પૃષ્ટ થાય છે.
શ્રી ભગવાન હે ગૌતમ! છત્મસ્થ મનુષ્ય શું તે ગંધ પુદ્ગલેને શું સામાન્ય અથવા વિશેષ રૂપે જ ણે છે? શું તે નેત્રથી તેમના તે વણીને ધ્રાણેન્દ્રિયથી તેની ગંધને, રસનેન્દ્રિયથી તેમનાં રસને અને સ્પર્શેનિદ્રયથી સ્પર્શને જાણે-દેખે છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! આ અર્થ સમર્થ નથી, અર્થાત્ છમસ્થ મનુષ્ય તે મને નથી જાણે કે દેખી શકતા.
શ્રી ભગવાન-હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે કે છત્મસ્થ મનુષ્ય તે નિર્જરા-પુદ્ગલેને ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપને, ધ્રાણેન્દ્રિય દ્વાર ગંધ, રસનેન્દ્રિય દ્વારા રસને અને સ્પર્શનેન્દ્રિય દ્વારા સંપર્શને નથી જાણતા-દેખતા.
હે શ્રમણ, હે આયુષ્મન ! હે ગૌતમ! એનું કારણ એ છે કે તેઓ નિર્જરાપુzગલ અર્થાત્ નીર્જીર્ણ થયેલ પુદ્ગલ સૂક્ષમ હોય છે તેઓ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈને રહે છે.
તાત્પર્ય એ છે કે જેમ જબૂદ્વીપમાં વ્યાપ્ત તે ગંધ પુદ્ગલો છમસ્થની ચક્ષુરિ દ્રિય આદિ દ્વારા ગ્રાહ્ય નથી થતાં, એ જ પ્રકારે સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત તે નિર્ણ પુદ્ગલ પણ સૂક્ષમ હોવાને કારણે છદ્મસ્થાની ઇન્દ્રિયો દ્વારા બહુણ નથી કરી શકાતાં એમ કહેલું છે. જે સૂ૦ ૧૪
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૪૧૭