Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 416
________________ અને કદાચિત પાંચક્રિયાઓવાળા પણ હેાય છે. એ ખાખતમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી. હવે આ વેદનાસમુદ્ધાતની નારકાદિ ચાવીસ ઠંડકાનાં ક્રમથી પ્રરૂપણા કરે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! નારક વેદનાસમુઘાતથી સમવહત થઇને વેદના ચૈાગ્ય પેાતાના શરીરની અદર રહેલ પુર્નંગલોને પેતાનાથી અલગ કરે છે, તે પુદૂગલો દ્વારા કેટલા ક્ષેત્ર આપૂર્ણ થાય છે? કેટલા ક્ષેત્ર વ્યાપ્ત થાય છે ? શ્રી ભગવાન-ડે ગૌતમ! જેમ સમુચ્ચય જીવના વિષયમાં કહ્યુ` છે, તેવું જ નારકાના વિષયમાં પણ કહેવુ' જોઇએ. વિશેષતા એ જ છે કે જીવના સ્થાન પર અહી” ‘નારક’ શબ્દના પ્રયાગ કરવા જોઇએ. આ રીતે શરીરના જેટલા વિસ્તાર અને જેટલી માહા ( મેટાઇ ) છે, એટલા ક્ષેત્રને નિયમથી છએ દિશામાં આપૂર્ણ અને સ્પૃષ્ટ કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! કેટલા કાળમાં પૂર્ણ અને સ્પૃષ્ટ કરે છે ? અને કેટલા કાળ સુધી તે પૂર્ણ અને સ્પૃષ્ટ રહે છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હું ગૌતમ ! એક સમયના, એ સમયના, અથવા ત્રણ સમયના વિગ્રહ દ્વારા જેટલા ક્ષેત્ર વ્ય સ થાય છે, એટલે દૂર સુધી પોતાના શરીરની બરાબર વિસ્તાર અને વિષ્ણુભવાળા ક્ષેત્રને વેદના જનન ચેાગ્ય પુદ્દગલેથી આપૂ કરે છે. આ નારક જીવની ગતિની અપેક્ષાએ સમજવું જોઇએ. ઉત્કૃષ્ટ રૂપથી પણુ ત્રણ સમયનાં વિગ્રહુ દ્વારા જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરાય છે, એટલા ક્ષેત્ર એ પુદ્ગલા દ્વારા આપૃ કરાય છે, ઇત્યાદિ રૂપ સમુચ્ચય જીબની વક્તવ્યતાની સમાન જ નારકની પણ વક્તવ્યતા જાણી લેવી જોઈએ. એ જ પ્રકારની વક્તવ્યતા અસુરકુમારાદિ ભવનપતિઓ, પૃથ્વીકાયિકાર્દિ એકેન્દ્રિયે!, વિકલેન્દ્રિયા, તિર્થાંચ પંચેન્દ્રિયા મનુષ્યા, વાનબ્યંતરા, જ્યાતિષ્કા અને વૈમાનિકાના વિષયમાં પણ સમજી લેવી જોઇએ. તાત્પર્ય એ છે કે એમનામાંથી કોઇ પણ જીવ વૈદાનાસમુઘાતથી સમવહત થઈને જે વેદનાયાગ્ય પુદ્ગલા દ્વારા નિયમથી છએ દિશાએથી શરીરનાં વિષ્ઠભ અને માહલ્યના ખરાખર ક્ષેત્ર આપૂર્ણ અને પૃષ્ટ થાય છે. વગેરે સમગ્ર કથન સમુચ્ચય જીપની વક્તવ્યતાના સમાન જ સમજી લેવુ જોઈએ. એનુ કથન આ પ્રકારે છે– શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! જીવ કષાયસમુદ્ધાતથી સમવહત થઈને પોતાના શરી ૨ની અંદર રહેલા જે પુદ્ગલોને ખડ઼ાર કાઢે છે અર્થાત્ કષાયસમુદ્ધાતથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ પ્રયત્ન દ્વારા પેાતાના શરીરથી બહાર કહાડે છે, તે પુદ્ગલો દ્વારા કેટલા ક્ષેત્ર આપૂર્ણ થાય છે? કેટલા ક્ષેત્ર પૃષ્ટ કરાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-ડે ગૌતમ !વિષ્કલ અને ખાહુલ્યથી પેાતાના શરીરની ખરાખર નિયમથી છએ દિશાઓમાં વ્યાપ્ત કરે છે. આટલાં ક્ષેત્ર આપૂર્ણ કરાય છે, આટલાં ક્ષેત્ર વ્યાપ્ત કરાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫ ૪૦૨

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448